નાણામંત્રી સીતારમણેએ રજુ કર્યું આર્થિક સર્વેક્ષણ, જાણો કેવી રહેશે દેશની આર્થિક વૃધ્ધીની ગતિ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:03:17

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. વર્ષ 2023ના આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં દેશની આર્થિક વૃધ્ધીની ગતિ 6 થી 6.8 ટકા સુધી રહી શકે છે. આ વિકાસ દર ચાલુ નાણાકિય વર્ષમાં 7 ટકાની અનુમાનિત વૃધ્ધી દરની તુલનામાં ઓછી છે.  


ઝડપી આર્થિક રિકવરી જોવા મળી  


સરકારના વાર્ષિક આર્થિક સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપી રિકવરી જોવા મળી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ અને મૂડી રોકાણ વધવાથી વૃદ્ધિને મજબૂતી મળશે.


મજબૂત વૃદ્ધિની અપેક્ષા


આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભારતની વૃદ્ધિની ગાથા ચાલુ રહેશે. આ ખાતરી વૈશ્વિક પડકારો વચ્ચે આવી છે.


આર્થિક સર્વેની મોટી બાબતો


1-આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ચાલુ ખાતાની ખાધ સતત વધતી રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.


2-આર્થિક સર્વેમાં એવી ધારણા છે કે નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ગતિ સાત ટકા રહી શકે છે.

સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ, વૈશ્વિક વેપારમાં સંકોચનને કારણે નિકાસ મોરચે કેટલીક ચિંતાઓ ઊભી થઈ છે.


3-આર્થિક સર્વેક્ષણ 2023 માં, તે બાબત દર્શાવવામાં આવી છે કે વિનિમય દરની દ્રષ્ટિએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે તે ખરીદ શક્તિની સમાનતાની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.


4-આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીડીપી વૃદ્ધિની ગતિમાં ઘટાડો થવા છતાં ભારત નાણાકીય વર્ષ 2023-24માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.