નાણામંત્રી સીતારમણેએ રજુ કર્યું આર્થિક સર્વેક્ષણ, જાણો કેવી રહેશે દેશની આર્થિક વૃધ્ધીની ગતિ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:03:17

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. વર્ષ 2023ના આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2023-24માં દેશની આર્થિક વૃધ્ધીની ગતિ 6 થી 6.8 ટકા સુધી રહી શકે છે. આ વિકાસ દર ચાલુ નાણાકિય વર્ષમાં 7 ટકાની અનુમાનિત વૃધ્ધી દરની તુલનામાં ઓછી છે.  


ઝડપી આર્થિક રિકવરી જોવા મળી  


સરકારના વાર્ષિક આર્થિક સર્વેક્ષણ 2023ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઝડપી રિકવરી જોવા મળી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલું માંગ અને મૂડી રોકાણ વધવાથી વૃદ્ધિને મજબૂતી મળશે.


મજબૂત વૃદ્ધિની અપેક્ષા


આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભારતની વૃદ્ધિની ગાથા ચાલુ રહેશે. આ ખાતરી વૈશ્વિક પડકારો વચ્ચે આવી છે.


આર્થિક સર્વેની મોટી બાબતો


1-આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ચાલુ ખાતાની ખાધ સતત વધતી રહેશે તો ભારતીય રૂપિયા પર દબાણ વધી શકે છે.


2-આર્થિક સર્વેમાં એવી ધારણા છે કે નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વૃદ્ધિની ગતિ સાત ટકા રહી શકે છે.

સર્વેમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2022-23ના બીજા છ મહિનામાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ધીમી ગતિ, વૈશ્વિક વેપારમાં સંકોચનને કારણે નિકાસ મોરચે કેટલીક ચિંતાઓ ઊભી થઈ છે.


3-આર્થિક સર્વેક્ષણ 2023 માં, તે બાબત દર્શાવવામાં આવી છે કે વિનિમય દરની દ્રષ્ટિએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે તે ખરીદ શક્તિની સમાનતાની દ્રષ્ટિએ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.


4-આર્થિક સર્વેક્ષણ 2023માં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીડીપી વૃદ્ધિની ગતિમાં ઘટાડો થવા છતાં ભારત નાણાકીય વર્ષ 2023-24માં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.