તમિલનાડુમાં વીજળી પ્રધાનના ઘરે પડ્યા EDના દરોડા! પૂછપરછ બાદ તબિયત બગડતા ખસેડાયા હોસ્પિટલ! જાણો કેમ રડી પડ્યા નેતા?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:59:42

તમિલનાડુના વીજળી પ્રધાનના ઘરે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસને લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકો તેમની પૂછપરછ કરવામાં આવી તે બાદ મળતી માહિતી અનુસાર પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.  મંગળવાર મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓ દ્વારા જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેમણે છાતીમાં દુખાવાની વાત કરી અને જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રડી રહ્યા છે

 

ઈડીની કાર્યવાહી થતાં રડી પડ્યા નેતા!

ઈડી દ્વારા અનેક નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે મંગળવાર સવારે તમિલનાડુના વિજળી પ્રધાન વી સેંથિલ બાલાજીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા. ચેન્નઈ સ્થિત તેમના ઘરે અધિકારીઓએ લગભગ 24 કલાક તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ મંત્રીને મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીએ કસ્ટડીમાં લઈ લીધા હતા. જ્યારે તે કસ્ટડીમાં હતા ત્યારે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. જેને પગલે તેમને સરકારી હોસ્પિટલ શિફ્ટ કરવામાં  આવ્યા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર બુધવારે વિજળી પ્રધાનની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંત્રી રડી રહ્યા છે જેને લઈ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા આ વીડિયો તે સમયનો છે.

 


હોસ્પિટલ પહોંચી રહ્યા છે નેતાઓ!

ઈડીની કાર્યવાહીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં નેતાના સમર્થકો પહોંચ્યા હતા. અને વિરોધ કર્યો હતો. આ મામલે ડીએમકેના નેતાઓનું કહેવું છે કે જ્યારે ઈડી દ્વારા છાપા મારવાની કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન તેમણે બેચેની થતી હોવાની વાત કરી હતી. જ્યારે વી સેંથિલને કસ્ટડીમાં લેવાય તે બાદ મંત્રી રડતા દેખાયા હતા. ત્યારે તબિયત ખરાબ થવાને કારણે નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે વીજળી પ્રધાનને મળવા હોસ્પિટલ નેતાઓ પહોંચી રહ્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.