તમિલનાડુમાં વીજળી પ્રધાનના ઘરે પડ્યા EDના દરોડા! પૂછપરછ બાદ તબિયત બગડતા ખસેડાયા હોસ્પિટલ! જાણો કેમ રડી પડ્યા નેતા?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:59:42

તમિલનાડુના વીજળી પ્રધાનના ઘરે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસને લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકો તેમની પૂછપરછ કરવામાં આવી તે બાદ મળતી માહિતી અનુસાર પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.  મંગળવાર મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓ દ્વારા જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેમણે છાતીમાં દુખાવાની વાત કરી અને જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રડી રહ્યા છે

 

ઈડીની કાર્યવાહી થતાં રડી પડ્યા નેતા!

ઈડી દ્વારા અનેક નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે મંગળવાર સવારે તમિલનાડુના વિજળી પ્રધાન વી સેંથિલ બાલાજીના ઘરે ઈડીએ દરોડા પાડ્યા હતા. ચેન્નઈ સ્થિત તેમના ઘરે અધિકારીઓએ લગભગ 24 કલાક તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ મંત્રીને મની લોન્ડરિંગ કેસને લઈ ઈડીએ કસ્ટડીમાં લઈ લીધા હતા. જ્યારે તે કસ્ટડીમાં હતા ત્યારે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. જેને પગલે તેમને સરકારી હોસ્પિટલ શિફ્ટ કરવામાં  આવ્યા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર બુધવારે વિજળી પ્રધાનની ધરપકડ કરી લેવામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મંત્રી રડી રહ્યા છે જેને લઈ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા આ વીડિયો તે સમયનો છે.

 


હોસ્પિટલ પહોંચી રહ્યા છે નેતાઓ!

ઈડીની કાર્યવાહીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં નેતાના સમર્થકો પહોંચ્યા હતા. અને વિરોધ કર્યો હતો. આ મામલે ડીએમકેના નેતાઓનું કહેવું છે કે જ્યારે ઈડી દ્વારા છાપા મારવાની કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન તેમણે બેચેની થતી હોવાની વાત કરી હતી. જ્યારે વી સેંથિલને કસ્ટડીમાં લેવાય તે બાદ મંત્રી રડતા દેખાયા હતા. ત્યારે તબિયત ખરાબ થવાને કારણે નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે વીજળી પ્રધાનને મળવા હોસ્પિટલ નેતાઓ પહોંચી રહ્યા છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.