નાણાં મંત્રીનું આકરૂ વલણ, PAN કાર્ડને આધાર સાથે તાત્કાલિક લિંક કરાવો, નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી વધશે


  • Published By :
  • Published Date : 2023-04-06 20:02:07

PAN કાર્ડ સાથે આધાર લિંક કરવા મુદ્દે સમગ્ર દેશમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયની સામાન્ય માણસથી લઈને વિરોધ પક્ષો આકરી ટીકા કરી રહ્યા છે. હવે આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે PAN કાર્ડ સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે સરકારે કરેલી દંડની જોગવાઈનો બચાવ કર્યો છે. 


શું  કહ્યું નાણામંત્રીએ?


નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આધારને PAN સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ, 2022થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ એવી છે કે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે.


વધુમાં  તેમણે કહ્યું કે અગાઉ આધારને PAN સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો, પરંતુ લોકો તેને ગંભીરતાથી લેતા નહોતા. અત્યાર સુધીમાં PAN કાર્ડને આધાર સાથે લિંક કરી દેવુ જોઈતું હતું. જે લોકોએ આજ દિન સુધી PAN કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું, તેઓએ તાત્કાલિક આ કાર્ય કરવું જોઈએ. જો હાલમાં નિર્ધારિત સમય મર્યાદા પુરી થઈ જશે તો દંડમાં વધુ વધારો કરવામાં આવશે અને તે સમયે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.


TDS-TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે


નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં પોતાનું આધાર પાન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ. જો લોકો આવું નહીં કરે, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.


1 જુલાઈ 2023થી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે


નાણા મંત્રાલયના આ નિવેદન અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ, જે લોકોના નામે 1 જુલાઈ, 2017ની તારીખ સુધી પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધાર કાર્ડ માટે પાત્ર છે, તેઓએ 31 માર્ચ, 2023 સુધીમાં આધાર અને પાનને લિંક કરાવવું જોઈએ. હાલમાં, PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી, તેમનો PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.