નાણાં મંત્રીનું આકરૂ વલણ, PAN કાર્ડને આધાર સાથે તાત્કાલિક લિંક કરાવો, નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી વધશે


  • Published By :
  • Published Date : 2023-04-06 20:02:07

PAN કાર્ડ સાથે આધાર લિંક કરવા મુદ્દે સમગ્ર દેશમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયની સામાન્ય માણસથી લઈને વિરોધ પક્ષો આકરી ટીકા કરી રહ્યા છે. હવે આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે PAN કાર્ડ સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે સરકારે કરેલી દંડની જોગવાઈનો બચાવ કર્યો છે. 


શું  કહ્યું નાણામંત્રીએ?


નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે આધારને PAN સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી મફત હતું, ત્યારબાદ 1 એપ્રિલ, 2022થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ એવી છે કે જો 30 જૂન 2023 સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે.


વધુમાં  તેમણે કહ્યું કે અગાઉ આધારને PAN સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવતો હતો, પરંતુ લોકો તેને ગંભીરતાથી લેતા નહોતા. અત્યાર સુધીમાં PAN કાર્ડને આધાર સાથે લિંક કરી દેવુ જોઈતું હતું. જે લોકોએ આજ દિન સુધી PAN કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું, તેઓએ તાત્કાલિક આ કાર્ય કરવું જોઈએ. જો હાલમાં નિર્ધારિત સમય મર્યાદા પુરી થઈ જશે તો દંડમાં વધુ વધારો કરવામાં આવશે અને તે સમયે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.


TDS-TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલી પડશે


નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં પોતાનું આધાર પાન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ. જો લોકો આવું નહીં કરે, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.


1 જુલાઈ 2023થી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે


નાણા મંત્રાલયના આ નિવેદન અનુસાર, આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ, જે લોકોના નામે 1 જુલાઈ, 2017ની તારીખ સુધી પાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધાર કાર્ડ માટે પાત્ર છે, તેઓએ 31 માર્ચ, 2023 સુધીમાં આધાર અને પાનને લિંક કરાવવું જોઈએ. હાલમાં, PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, જેમણે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કર્યા નથી, તેમનો PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.