પહેલા પૂજા પછી જનસંબોધન! મધ્યપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, જાણો મધ્યપ્રદેશની જનતાને કોંગ્રેસે શું આપ્યા વચન?


  • Published By :
  • Published Date : 2023-06-12 15:39:14

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જબલપુર પહોંચ્યા હતા અને ત્યાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જનસંબોધન કરતા પહેલા તેમણે 101 બ્રાહ્મણો સાથે નર્મદાની પૂજા કરી હતી.

  

પ્રિયંકા ગાંધીએ નર્મદા દેવીની કરી પૂજા!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જબલપુરની મુલાકાતે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નર્મદા દેવીની પૂજા કરી હતી. તેમની સાથે પુર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. નર્મદા નદીની પૂજા બાદ જબલપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું અને મધ્યપ્રદેશની જનતાને અનેક વચનો આપ્યા હતા. 

મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવી આ ગેરંટી!

ઘોષણા પત્રની જેમ જાહેરાત કરવામાં આવે છે તે રીતે પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા અને જૂની પેન્શન યોજનાને લાગુ કરીશું. સાથે જ માત્ર 500 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે સિવાય મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે નારી સન્માન નિધિ હેઠળ દર મહિને મહિલાઓને દોઢ હજાર રુપિયા આપવામાં  આવશે. તે ઉપરાંત ખેડૂતો માટે જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોની લોન માફી કરવામાં આવશે.  તે ઉપરાંત 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કર્ણાટક અને હિમાચલમાં જે ગેરેન્ટી આપી છે તે પૂર્ણ કરી છે.

         



સંબોધનમાં સરકાર પર કર્યા પ્રહાર!      

પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધી આક્રામક દેખાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે મહાકાલ લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક પુજારીએ મને વીડિયો મોકલ્યો. ભારે પવનમાં મૂર્તિઓ ઉડી રહી છે. તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. 225 મહિનાની સરકારમાં તેમણે 220 કૌભાંડો કર્યા છે. લગભગ દર મહિને એક નવું કૌભાંડ સામે આવે છે. વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. મની પાવર દ્વારા જનાદેશને કચડી નાખવામાં આવે છે. છેલ્લી વખતે તમે અમારી સરકાર બનાવી હતી, પણ જોડ-તોડ અને પૈસાથી ભાજપના લોકોએ અમારી સરકાર પાડીને પોતાની સરકાર બનાવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.