પહેલા પૂજા પછી જનસંબોધન! મધ્યપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, જાણો મધ્યપ્રદેશની જનતાને કોંગ્રેસે શું આપ્યા વચન?


  • Published By :
  • Published Date : 2023-06-12 15:39:14

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જબલપુર પહોંચ્યા હતા અને ત્યાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જનસંબોધન કરતા પહેલા તેમણે 101 બ્રાહ્મણો સાથે નર્મદાની પૂજા કરી હતી.

  

પ્રિયંકા ગાંધીએ નર્મદા દેવીની કરી પૂજા!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જબલપુરની મુલાકાતે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નર્મદા દેવીની પૂજા કરી હતી. તેમની સાથે પુર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. નર્મદા નદીની પૂજા બાદ જબલપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું અને મધ્યપ્રદેશની જનતાને અનેક વચનો આપ્યા હતા. 

મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવી આ ગેરંટી!

ઘોષણા પત્રની જેમ જાહેરાત કરવામાં આવે છે તે રીતે પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા અને જૂની પેન્શન યોજનાને લાગુ કરીશું. સાથે જ માત્ર 500 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે સિવાય મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે નારી સન્માન નિધિ હેઠળ દર મહિને મહિલાઓને દોઢ હજાર રુપિયા આપવામાં  આવશે. તે ઉપરાંત ખેડૂતો માટે જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોની લોન માફી કરવામાં આવશે.  તે ઉપરાંત 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કર્ણાટક અને હિમાચલમાં જે ગેરેન્ટી આપી છે તે પૂર્ણ કરી છે.

         



સંબોધનમાં સરકાર પર કર્યા પ્રહાર!      

પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધી આક્રામક દેખાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે મહાકાલ લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક પુજારીએ મને વીડિયો મોકલ્યો. ભારે પવનમાં મૂર્તિઓ ઉડી રહી છે. તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. 225 મહિનાની સરકારમાં તેમણે 220 કૌભાંડો કર્યા છે. લગભગ દર મહિને એક નવું કૌભાંડ સામે આવે છે. વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. મની પાવર દ્વારા જનાદેશને કચડી નાખવામાં આવે છે. છેલ્લી વખતે તમે અમારી સરકાર બનાવી હતી, પણ જોડ-તોડ અને પૈસાથી ભાજપના લોકોએ અમારી સરકાર પાડીને પોતાની સરકાર બનાવી હતી.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.