પહેલા પૂજા પછી જનસંબોધન! મધ્યપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, જાણો મધ્યપ્રદેશની જનતાને કોંગ્રેસે શું આપ્યા વચન?


  • Published By :
  • Published Date : 2023-06-12 15:39:14

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જબલપુર પહોંચ્યા હતા અને ત્યાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જનસંબોધન કરતા પહેલા તેમણે 101 બ્રાહ્મણો સાથે નર્મદાની પૂજા કરી હતી.

  

પ્રિયંકા ગાંધીએ નર્મદા દેવીની કરી પૂજા!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જબલપુરની મુલાકાતે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નર્મદા દેવીની પૂજા કરી હતી. તેમની સાથે પુર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. નર્મદા નદીની પૂજા બાદ જબલપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું અને મધ્યપ્રદેશની જનતાને અનેક વચનો આપ્યા હતા. 

મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવી આ ગેરંટી!

ઘોષણા પત્રની જેમ જાહેરાત કરવામાં આવે છે તે રીતે પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા અને જૂની પેન્શન યોજનાને લાગુ કરીશું. સાથે જ માત્ર 500 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે સિવાય મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે નારી સન્માન નિધિ હેઠળ દર મહિને મહિલાઓને દોઢ હજાર રુપિયા આપવામાં  આવશે. તે ઉપરાંત ખેડૂતો માટે જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોની લોન માફી કરવામાં આવશે.  તે ઉપરાંત 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કર્ણાટક અને હિમાચલમાં જે ગેરેન્ટી આપી છે તે પૂર્ણ કરી છે.

         



સંબોધનમાં સરકાર પર કર્યા પ્રહાર!      

પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધી આક્રામક દેખાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે મહાકાલ લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક પુજારીએ મને વીડિયો મોકલ્યો. ભારે પવનમાં મૂર્તિઓ ઉડી રહી છે. તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. 225 મહિનાની સરકારમાં તેમણે 220 કૌભાંડો કર્યા છે. લગભગ દર મહિને એક નવું કૌભાંડ સામે આવે છે. વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. મની પાવર દ્વારા જનાદેશને કચડી નાખવામાં આવે છે. છેલ્લી વખતે તમે અમારી સરકાર બનાવી હતી, પણ જોડ-તોડ અને પૈસાથી ભાજપના લોકોએ અમારી સરકાર પાડીને પોતાની સરકાર બનાવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.