પહેલા પૂજા પછી જનસંબોધન! મધ્યપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, જાણો મધ્યપ્રદેશની જનતાને કોંગ્રેસે શું આપ્યા વચન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 15:39:14

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશમાં આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જબલપુર પહોંચ્યા હતા અને ત્યાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જનસંબોધન કરતા પહેલા તેમણે 101 બ્રાહ્મણો સાથે નર્મદાની પૂજા કરી હતી.

  

પ્રિયંકા ગાંધીએ નર્મદા દેવીની કરી પૂજા!

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જબલપુરની મુલાકાતે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે નર્મદા દેવીની પૂજા કરી હતી. તેમની સાથે પુર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા. નર્મદા નદીની પૂજા બાદ જબલપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું અને મધ્યપ્રદેશની જનતાને અનેક વચનો આપ્યા હતા. 

મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવી આ ગેરંટી!

ઘોષણા પત્રની જેમ જાહેરાત કરવામાં આવે છે તે રીતે પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા અને જૂની પેન્શન યોજનાને લાગુ કરીશું. સાથે જ માત્ર 500 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે સિવાય મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે નારી સન્માન નિધિ હેઠળ દર મહિને મહિલાઓને દોઢ હજાર રુપિયા આપવામાં  આવશે. તે ઉપરાંત ખેડૂતો માટે જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોની લોન માફી કરવામાં આવશે.  તે ઉપરાંત 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કર્ણાટક અને હિમાચલમાં જે ગેરેન્ટી આપી છે તે પૂર્ણ કરી છે.

         



સંબોધનમાં સરકાર પર કર્યા પ્રહાર!      

પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધી આક્રામક દેખાયા હતા. પોતાના સંબોધનમાં તેમણે મહાકાલ લોકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક પુજારીએ મને વીડિયો મોકલ્યો. ભારે પવનમાં મૂર્તિઓ ઉડી રહી છે. તેમણે ભગવાનને પણ છોડ્યા નથી. 225 મહિનાની સરકારમાં તેમણે 220 કૌભાંડો કર્યા છે. લગભગ દર મહિને એક નવું કૌભાંડ સામે આવે છે. વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે છેલ્લા 18 વર્ષથી તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. તમારો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તમારું શોષણ કરવામાં આવી રહ્યું છે. મની પાવર દ્વારા જનાદેશને કચડી નાખવામાં આવે છે. છેલ્લી વખતે તમે અમારી સરકાર બનાવી હતી, પણ જોડ-તોડ અને પૈસાથી ભાજપના લોકોએ અમારી સરકાર પાડીને પોતાની સરકાર બનાવી હતી.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.