રંગ લગાવવાને બહાને જાપાનની યુવતી સાથે કરાઈ જબરદસ્તી! વીડિયો વાયરલ થતા પોલીસે દિલ્હીના ત્રણ છોકરાઓ વિરૂદ્ધ કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-11 12:10:45

હોળી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા વિદેશથી પણ લોકો ભારત આવતા હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદેશી મહેમાનોનું અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હોળીની ઉજવણી દરમિયાન જાપાની યુવતી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 


હોળી રમતી વખતે વિદેશી મહિલા સાથે થયું હતું ગેરવર્તન

હોળીના તહેવારમાં અનેક વખત છેડતીનો બનાવ સામે આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હોળીની ઉજવણી દરમિયાન વિદેશી મહિલાની છેડતી કરવામાં આવી રહી છે. આ ઘટના દિલ્હીના પહાડગંજની હોવાનું માનવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક જાપાની યુવતી સાથે ઘણા છોકરાઓ રોડ પર ખરાબ વ્યવહાર કરતા નજરે પડે છે. રંગ લગાવવાને બહાને યુવતીને હેરાન કરવામાં આવે છે. તેની સાથે બળજબરી કરવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.     


વીડિયો વાયરલ થતાં લોકોમાં ભભૂકી ઉઠ્યો રોષ  

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક છોકરાઓ અયોગ્ય રીતે છોકરીને કલર લગાવી રહ્યા છે. ઉપરાંત હોલી હૈ ની બૂમો પણ પાડી રહ્યા છે. ઉજવણીના બહાને જાપાનની યુવતી પર ઈંડું તોડી નાખવામાં આવે છે. છોકરાઓ યુવતીને ખરાબ રીતે પકડીને રાખે છે. આ બધા વચ્ચે અન્ય એક છોકરો આવીને છોકરીને કસીને પકડી લે છે અને તે બાદ છોકરી પર સ્પ્રે નાખવામાં આવે છે. પોતાને છોડવાનો પ્રયત્ન ઘણી વખત યુવતી કરી રહી છે પરંતુ તેને છોકરાઓ જવા નથી દેતા. 


પોલીસે કરી ત્રણ છોકરાઓની ધરપકડ 

આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે પોલીસે નિવેદન આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી મળી છે. પોલીસ દ્વારા યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે ત્રણ છોકરાઓની ધરપકડ કરી લીધી છે. ત્રણેય છોકરાઓ પહાડગંજ નજીક આવેલા વિસ્તારના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી યોગ્યતાના આધારે અને છોકરીની ફરિયાદના આધારે આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.