દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં મોટો ઘટાડો, 329 કરોડ ડોલર ઘટીને 578.45 અબજ ડોલર પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-04-07 21:04:29

દેશની વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળમાં મોટો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન રિઝર્વ 329 મિલિયન ડોલર એટલે કે 32.9 કરોડ ડોલર ઘટીને 578.449 અબજ પર પહોંચ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા બે સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં સારો વધારો થયો હતો અને 24 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 5.977 બિલિયન ડોલર વધીને  578.778 બિલિયન ડોલર થયું હતું. નાણાકીય વર્ષ 2023માં કુલ વિદેશી વિનિમય અનામતમાં  24.23 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.


શા માટે ઘટ્યું ફોરેક્સ રિઝર્વ?


દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવવાનું એક કારણ વૈશ્વિક ઘટનાક્રમો છે. આ કારણે દબાણ હેઠળ આવેલા રૂપિયાને મજબુત રાખવા માટે RBI દ્વારા વિદેશી અનામત ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતો 360 મિલિયન ડોલર ઘટીને 509.691 અબજ ડોલર થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું કે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 279 કરોડ ડોલરથી ઘટીને 45.20 અબજ ડોલર જેટલો રહી ગયો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.