દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં મોટો ઘટાડો, 329 કરોડ ડોલર ઘટીને 578.45 અબજ ડોલર પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-04-07 21:04:29

દેશની વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળમાં મોટો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન રિઝર્વ 329 મિલિયન ડોલર એટલે કે 32.9 કરોડ ડોલર ઘટીને 578.449 અબજ પર પહોંચ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા બે સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં સારો વધારો થયો હતો અને 24 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 5.977 બિલિયન ડોલર વધીને  578.778 બિલિયન ડોલર થયું હતું. નાણાકીય વર્ષ 2023માં કુલ વિદેશી વિનિમય અનામતમાં  24.23 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.


શા માટે ઘટ્યું ફોરેક્સ રિઝર્વ?


દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવવાનું એક કારણ વૈશ્વિક ઘટનાક્રમો છે. આ કારણે દબાણ હેઠળ આવેલા રૂપિયાને મજબુત રાખવા માટે RBI દ્વારા વિદેશી અનામત ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતો 360 મિલિયન ડોલર ઘટીને 509.691 અબજ ડોલર થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું કે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 279 કરોડ ડોલરથી ઘટીને 45.20 અબજ ડોલર જેટલો રહી ગયો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.