દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં મોટો ઘટાડો, 329 કરોડ ડોલર ઘટીને 578.45 અબજ ડોલર પર પહોંચ્યું


  • Published By :
  • Published Date : 2023-04-07 21:04:29

દેશની વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળમાં મોટો ઘટાડો નોંધાયો છે. 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન રિઝર્વ 329 મિલિયન ડોલર એટલે કે 32.9 કરોડ ડોલર ઘટીને 578.449 અબજ પર પહોંચ્યું છે. સમીક્ષા હેઠળના પાછલા બે સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં સારો વધારો થયો હતો અને 24 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 5.977 બિલિયન ડોલર વધીને  578.778 બિલિયન ડોલર થયું હતું. નાણાકીય વર્ષ 2023માં કુલ વિદેશી વિનિમય અનામતમાં  24.23 બિલિયન ડોલરનો ઘટાડો થવાની ધારણા છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો.


શા માટે ઘટ્યું ફોરેક્સ રિઝર્વ?


દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવવાનું એક કારણ વૈશ્વિક ઘટનાક્રમો છે. આ કારણે દબાણ હેઠળ આવેલા રૂપિયાને મજબુત રાખવા માટે RBI દ્વારા વિદેશી અનામત ભંડોળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાકીય પૂરક અનુસાર, 31 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતો 360 મિલિયન ડોલર ઘટીને 509.691 અબજ ડોલર થઈ ગઈ છે. રિઝર્વ બેંકે કહ્યું કે છેલ્લા સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 279 કરોડ ડોલરથી ઘટીને 45.20 અબજ ડોલર જેટલો રહી ગયો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.