મહારાષ્ટ્રના પુણે-સોલાપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-01 15:57:29

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અનેક વખત અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે બુધવાર સવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે-સોલાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં પુર ઝડપથી આવી રહેલી બસ રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

maharashtra 4 dead bus truck collide on pune solapur highway 15 injured Maharashtra: पुणे-सोलापुर हाईवे पर खड़े ट्रक में जा भिड़ी लग्जरी बस, 4 की मौत, 15 घायल

રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ બસ 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે સોલાપુર હાઈવે પર ઝડપથી આવી રહેલી બસ ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ એક તરફથી નષ્ટ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એમ્બ્યુલન્સ થકી ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.