મહારાષ્ટ્રના પુણે-સોલાપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-01 15:57:29

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અનેક વખત અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે બુધવાર સવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે-સોલાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં પુર ઝડપથી આવી રહેલી બસ રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

maharashtra 4 dead bus truck collide on pune solapur highway 15 injured Maharashtra: पुणे-सोलापुर हाईवे पर खड़े ट्रक में जा भिड़ी लग्जरी बस, 4 की मौत, 15 घायल

રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ બસ 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે સોલાપુર હાઈવે પર ઝડપથી આવી રહેલી બસ ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ એક તરફથી નષ્ટ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એમ્બ્યુલન્સ થકી ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.