મહારાષ્ટ્રના પુણે-સોલાપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, દુર્ઘટનામાં ચાર લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-01 15:57:29

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અનેક વખત અકસ્માતોમાં લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે બુધવાર સવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે-સોલાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં પુર ઝડપથી આવી રહેલી બસ રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા હતા અને જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

 

maharashtra 4 dead bus truck collide on pune solapur highway 15 injured Maharashtra: पुणे-सोलापुर हाईवे पर खड़े ट्रक में जा भिड़ी लग्जरी बस, 4 की मौत, 15 घायल

રસ્તા પર ઉભી રહેલી ટ્રક સાથે ભટકાઈ બસ 

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પુણે સોલાપુર હાઈવે પર ઝડપથી આવી રહેલી બસ ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ એક તરફથી નષ્ટ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એમ્બ્યુલન્સ થકી ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.