ગૌતમ અદાણીની સંપત્તિનું થયું ધોવાણ, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાંથી નીકળી ગયું નામ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:54:56

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સની યાદીમાંથી ગૌતમ અદાણીનો ક્રમ 11માં નંબર પર આવી ગયો છે. 10 અબજોપતિની યાદીમાંથી નીકળી ગયા છે.     

 


હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને થયું ભારે નુકસાન 

હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. અદાણીના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને એકાઉન્ટ સંબંધિત ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો. ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં પણ અદાણી ગ્રુપે જવાબ આપ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરોના ભાવ એકદમ ગગડી ગયા હતા.  


વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં નથી અદાણી સામેલ 

રિપોર્ટને કારણે સંપત્તિનું ધોવાણ થયું હતું. અબજો ડોલરનું નુકસાન થયું છે જેને કારણે 10 અબજોપતિની યાદીમાંથી ગૌતમ અદાણીનું નામ નીકળી ગયું છે. ચોથા ક્રમેથી સીધા 11માં નંબરે આવી ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ગૌતમ અદાણી 11 નંબરે છે અને મુકેશ અંબાણી 12માં નંબર પર છે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.