ગૌતમ અદાણીની સંપત્તિનું થયું ધોવાણ, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાંથી નીકળી ગયું નામ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:54:56

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સની યાદીમાંથી ગૌતમ અદાણીનો ક્રમ 11માં નંબર પર આવી ગયો છે. 10 અબજોપતિની યાદીમાંથી નીકળી ગયા છે.     

 


હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને થયું ભારે નુકસાન 

હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. અદાણીના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને એકાઉન્ટ સંબંધિત ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો. ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં પણ અદાણી ગ્રુપે જવાબ આપ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરોના ભાવ એકદમ ગગડી ગયા હતા.  


વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં નથી અદાણી સામેલ 

રિપોર્ટને કારણે સંપત્તિનું ધોવાણ થયું હતું. અબજો ડોલરનું નુકસાન થયું છે જેને કારણે 10 અબજોપતિની યાદીમાંથી ગૌતમ અદાણીનું નામ નીકળી ગયું છે. ચોથા ક્રમેથી સીધા 11માં નંબરે આવી ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ગૌતમ અદાણી 11 નંબરે છે અને મુકેશ અંબાણી 12માં નંબર પર છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.