ગૌતમ અદાણીની સંપત્તિનું થયું ધોવાણ, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાંથી નીકળી ગયું નામ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:54:56

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ માત્ર ત્રણ દિવસમાં કુલ માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડ રુપિયાનું ધોવાણ થયું હતું. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સની યાદીમાંથી ગૌતમ અદાણીનો ક્રમ 11માં નંબર પર આવી ગયો છે. 10 અબજોપતિની યાદીમાંથી નીકળી ગયા છે.     

 


હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને થયું ભારે નુકસાન 

હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. અદાણીના શેરોમાં લાંબા સમયથી ગરબડી અને એકાઉન્ટ સંબંધિત ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો. ગ્રુપને 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં પણ અદાણી ગ્રુપે જવાબ આપ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સાત કંપનીના શેરોના ભાવ એકદમ ગગડી ગયા હતા.  


વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં નથી અદાણી સામેલ 

રિપોર્ટને કારણે સંપત્તિનું ધોવાણ થયું હતું. અબજો ડોલરનું નુકસાન થયું છે જેને કારણે 10 અબજોપતિની યાદીમાંથી ગૌતમ અદાણીનું નામ નીકળી ગયું છે. ચોથા ક્રમેથી સીધા 11માં નંબરે આવી ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ગૌતમ અદાણી 11 નંબરે છે અને મુકેશ અંબાણી 12માં નંબર પર છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.