P.K. Rosy મલયાલમ સિનેમાની એ મહાન દલિત અભિનેત્રી જેમના યોગદાનને ભૂલાવી દેવાયું


  • Published By :
  • Published Date : 2023-02-10 12:03:42

ગૂગલે શુક્રવારે મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા અભિનેત્રી અને પ્રથમ દલિત અભિનેત્રી પીકે રોઝીને તેમની 120મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. આ ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મની રીલ્સથી સજાવવામાં આવ્યું છે. પીકે રોઝી કોઈ ફિલ્મમાં લીડ રોલ નિભાવનારી પ્રથમ અભિનેત્રી હતી, તેમની પહેલી ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો.1903માં કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલી રોઝીને નાની ઉંમરમાં જ અભિનયનો શોખ હતો. વિગથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડ) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ તે 1928માં પ્રખ્યાત થઈ. તે પોતે દલિત સમાજમાંથી આવતી હતી અને ફિલ્મમાં તેણે ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.


લોકોએ ઘર સળગાવ્યું હતું


ફિલ્મમાં એક સીન હતો જેમાં પુરૂષ નાયક તેના વાળમાં લગાવેલા એક ફૂલને ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેનું ઘર પણ સળગાવી દીધું. આટલું જ નહીં, રોઝીને પણ રાજ્ય છોડવાની ફરજ પડી હતી. એવું કહેવાય છે કે તે લોરીમાં તમિલનાડુ ભાગી ગયા, જ્યાં તેમણે તે જ લોરીના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા અને 'રાજમ્મા' તરીકે સ્થાયી થયા.


મહાન યોગદાનને ભૂલાવી દેવાયું


તેમની ટૂંકી કારકિર્દી હોવા છતાં, રોઝીએ અનેક સામાજીક બંધનોની સીમાઓ તોડી નાખી, ખાસ કરીને એવા સમયમાં જ્યારે મહિલાઓ માટે અભિનયના ક્ષેત્રમાં જવું ખરાબ માનવામાં આવતું હતું. તેમના જીવનકાળ દરમિયાન સિનેમા ક્ષેત્રે તેમના યોગદાનની ક્યારેય નોંધ પણ લેવામાં આવી ન હતી, પરંતુ તેમની સંઘર્ષ કથા આજે પણ ઘણા લોકો માટે એક મહાન પ્રેરણા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.