P.K. Rosy મલયાલમ સિનેમાની એ મહાન દલિત અભિનેત્રી જેમના યોગદાનને ભૂલાવી દેવાયું


  • Published By :
  • Published Date : 2023-02-10 12:03:42

ગૂગલે શુક્રવારે મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા અભિનેત્રી અને પ્રથમ દલિત અભિનેત્રી પીકે રોઝીને તેમની 120મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. આ ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મની રીલ્સથી સજાવવામાં આવ્યું છે. પીકે રોઝી કોઈ ફિલ્મમાં લીડ રોલ નિભાવનારી પ્રથમ અભિનેત્રી હતી, તેમની પહેલી ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો.1903માં કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલી રોઝીને નાની ઉંમરમાં જ અભિનયનો શોખ હતો. વિગથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડ) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ તે 1928માં પ્રખ્યાત થઈ. તે પોતે દલિત સમાજમાંથી આવતી હતી અને ફિલ્મમાં તેણે ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.


લોકોએ ઘર સળગાવ્યું હતું


ફિલ્મમાં એક સીન હતો જેમાં પુરૂષ નાયક તેના વાળમાં લગાવેલા એક ફૂલને ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેનું ઘર પણ સળગાવી દીધું. આટલું જ નહીં, રોઝીને પણ રાજ્ય છોડવાની ફરજ પડી હતી. એવું કહેવાય છે કે તે લોરીમાં તમિલનાડુ ભાગી ગયા, જ્યાં તેમણે તે જ લોરીના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા અને 'રાજમ્મા' તરીકે સ્થાયી થયા.


મહાન યોગદાનને ભૂલાવી દેવાયું


તેમની ટૂંકી કારકિર્દી હોવા છતાં, રોઝીએ અનેક સામાજીક બંધનોની સીમાઓ તોડી નાખી, ખાસ કરીને એવા સમયમાં જ્યારે મહિલાઓ માટે અભિનયના ક્ષેત્રમાં જવું ખરાબ માનવામાં આવતું હતું. તેમના જીવનકાળ દરમિયાન સિનેમા ક્ષેત્રે તેમના યોગદાનની ક્યારેય નોંધ પણ લેવામાં આવી ન હતી, પરંતુ તેમની સંઘર્ષ કથા આજે પણ ઘણા લોકો માટે એક મહાન પ્રેરણા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.