P.K. Rosy મલયાલમ સિનેમાની એ મહાન દલિત અભિનેત્રી જેમના યોગદાનને ભૂલાવી દેવાયું


  • Published By :
  • Published Date : 2023-02-10 12:03:42

ગૂગલે શુક્રવારે મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા અભિનેત્રી અને પ્રથમ દલિત અભિનેત્રી પીકે રોઝીને તેમની 120મી જન્મજયંતિ નિમિત્તે ડૂડલ સમર્પિત કર્યું છે. આ ડૂડલને ગુલાબના ફૂલો અને ફિલ્મની રીલ્સથી સજાવવામાં આવ્યું છે. પીકે રોઝી કોઈ ફિલ્મમાં લીડ રોલ નિભાવનારી પ્રથમ અભિનેત્રી હતી, તેમની પહેલી ફિલ્મનો ઉગ્ર વિરોધ થયો હતો.1903માં કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલી રોઝીને નાની ઉંમરમાં જ અભિનયનો શોખ હતો. વિગથાકુમારન (ધ લોસ્ટ ચાઈલ્ડ) ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ તે 1928માં પ્રખ્યાત થઈ. તે પોતે દલિત સમાજમાંથી આવતી હતી અને ફિલ્મમાં તેણે ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેમને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.


લોકોએ ઘર સળગાવ્યું હતું


ફિલ્મમાં એક સીન હતો જેમાં પુરૂષ નાયક તેના વાળમાં લગાવેલા એક ફૂલને ચુંબન કરે છે. આ દ્રશ્ય જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેનું ઘર પણ સળગાવી દીધું. આટલું જ નહીં, રોઝીને પણ રાજ્ય છોડવાની ફરજ પડી હતી. એવું કહેવાય છે કે તે લોરીમાં તમિલનાડુ ભાગી ગયા, જ્યાં તેમણે તે જ લોરીના ડ્રાઈવર સાથે લગ્ન કર્યા અને 'રાજમ્મા' તરીકે સ્થાયી થયા.


મહાન યોગદાનને ભૂલાવી દેવાયું


તેમની ટૂંકી કારકિર્દી હોવા છતાં, રોઝીએ અનેક સામાજીક બંધનોની સીમાઓ તોડી નાખી, ખાસ કરીને એવા સમયમાં જ્યારે મહિલાઓ માટે અભિનયના ક્ષેત્રમાં જવું ખરાબ માનવામાં આવતું હતું. તેમના જીવનકાળ દરમિયાન સિનેમા ક્ષેત્રે તેમના યોગદાનની ક્યારેય નોંધ પણ લેવામાં આવી ન હતી, પરંતુ તેમની સંઘર્ષ કથા આજે પણ ઘણા લોકો માટે એક મહાન પ્રેરણા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.