ત્રણ મહિનાનું એરિયર, 42 ટકા DA,સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-04-07 16:12:29

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભરતા નાણાકીય વર્ષ 2023ના છેલ્લા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કર્યો હતો. હવે સરકાર  DAની ગણતરી માટે નવી ફોર્મ્યુલા લાવવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જુલાઈમાં DA ગણતરીની આ ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. કેન્દ્ર પછી ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના  DAમાં વધારો કર્યો છે.


લાખો કર્મચારીઓને થશે ફાયદો


કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને જાન્યુઆરી 2023થી એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ   47.58 લાખ કર્મચારીઓ અને  69.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. DAમાં આ વૃધ્ધી 7માં કેન્દ્રીય વેતન પંચની ભલામણો બાદ  કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વાર્ષિક 12,815 કરોડ રૂપિયાનું નાણાકિય ભારણ વધશે. સરકાર દર 6 મહિને કર્મચારીઓના DAમાં વૃધ્ધી કરે છે.


પગાર કેટલો વધશે?


DAમાં ચાર ટકાના વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે પણ સમજીએ. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 38 ટકા જોઈએ તો DA 6,840 રૂપિયા થાય છે. બીજી તરફ, જો આપણે 42 ટકા જોઈએ તો તે 7,560 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીના પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.