ત્રણ મહિનાનું એરિયર, 42 ટકા DA,સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-04-07 16:12:29

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભરતા નાણાકીય વર્ષ 2023ના છેલ્લા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કર્યો હતો. હવે સરકાર  DAની ગણતરી માટે નવી ફોર્મ્યુલા લાવવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જુલાઈમાં DA ગણતરીની આ ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. કેન્દ્ર પછી ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના  DAમાં વધારો કર્યો છે.


લાખો કર્મચારીઓને થશે ફાયદો


કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને જાન્યુઆરી 2023થી એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ   47.58 લાખ કર્મચારીઓ અને  69.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. DAમાં આ વૃધ્ધી 7માં કેન્દ્રીય વેતન પંચની ભલામણો બાદ  કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વાર્ષિક 12,815 કરોડ રૂપિયાનું નાણાકિય ભારણ વધશે. સરકાર દર 6 મહિને કર્મચારીઓના DAમાં વૃધ્ધી કરે છે.


પગાર કેટલો વધશે?


DAમાં ચાર ટકાના વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે પણ સમજીએ. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 38 ટકા જોઈએ તો DA 6,840 રૂપિયા થાય છે. બીજી તરફ, જો આપણે 42 ટકા જોઈએ તો તે 7,560 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીના પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.