ઓવરટાઇમ વર્ક એલાઉન્સ માગતા સરકારી કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની લપડાક, જાણો શું હતો મામલો


  • Published By :
  • Published Date : 2023-04-24 14:28:10

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ કામને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ વર્ક એલાઉન્સ મેળવવા અંગે કહ્યું  કે સરકારી કર્મચારીઓ તે આ માટે હકદાર નથી. આ આ બાબત વળતરની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી વિપરીત, સરકારી કર્મચારીઓ કેટલાક અન્ય વિશેષાધિકારો સિવાય પગાર પંચના સુધારાના લાભોનો આનંદ માણે છે.


SPMCIના કેસમાં આપ્યો ચુકાદો


સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તેના કર્મચારીઓ વચ્ચે ઓવરટાઇમ ભથ્થાને લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસની સુનાવણી હાથ ધરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓવરટાઇમ વર્ક એલાઉન્સનો દાવો કરવોએ નિયમો અનુસાર નથી, જેના કારણે તેનો દાવો કરી શકાય નહીં. 


બોમ્બે હાઈકોર્ટનો  ચુકાદો ફગાવ્યો


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને પંકજ મિથલની ડિવિઝન બેન્ચે સરકારી નિયમને ટાંકીને બેન્ચે કહ્યું કે હકીકતમાં કર્મચારીઓને ઓવરટાઇમ ભથ્થાની ચૂકવણીની માંગણી કરવાનો કોઈ અવકાશ નથી. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોથી વિપરીત, સિવિલ પોસ્ટ્સ, રાજ્ય સિવિલ અને કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ નિયમો અનુસાર સરકારના નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. આ કર્મચારીઓ ઓવરટાઇમ ભથ્થાની માંગ કરી શકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનના કર્મચારીઓને પણ ઓવરટાઇમ ભથ્થું મળવું જોઈએ તે અંગે બોમ્બે હાઈકોર્ટે સંમતિ આપી હતી. ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશોને બાજુ પર રાખ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.