ઓવરટાઇમ વર્ક એલાઉન્સ માગતા સરકારી કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની લપડાક, જાણો શું હતો મામલો


  • Published By :
  • Published Date : 2023-04-24 14:28:10

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ કામને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ વર્ક એલાઉન્સ મેળવવા અંગે કહ્યું  કે સરકારી કર્મચારીઓ તે આ માટે હકદાર નથી. આ આ બાબત વળતરની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી વિપરીત, સરકારી કર્મચારીઓ કેટલાક અન્ય વિશેષાધિકારો સિવાય પગાર પંચના સુધારાના લાભોનો આનંદ માણે છે.


SPMCIના કેસમાં આપ્યો ચુકાદો


સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તેના કર્મચારીઓ વચ્ચે ઓવરટાઇમ ભથ્થાને લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસની સુનાવણી હાથ ધરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓવરટાઇમ વર્ક એલાઉન્સનો દાવો કરવોએ નિયમો અનુસાર નથી, જેના કારણે તેનો દાવો કરી શકાય નહીં. 


બોમ્બે હાઈકોર્ટનો  ચુકાદો ફગાવ્યો


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને પંકજ મિથલની ડિવિઝન બેન્ચે સરકારી નિયમને ટાંકીને બેન્ચે કહ્યું કે હકીકતમાં કર્મચારીઓને ઓવરટાઇમ ભથ્થાની ચૂકવણીની માંગણી કરવાનો કોઈ અવકાશ નથી. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોથી વિપરીત, સિવિલ પોસ્ટ્સ, રાજ્ય સિવિલ અને કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ નિયમો અનુસાર સરકારના નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. આ કર્મચારીઓ ઓવરટાઇમ ભથ્થાની માંગ કરી શકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનના કર્મચારીઓને પણ ઓવરટાઇમ ભથ્થું મળવું જોઈએ તે અંગે બોમ્બે હાઈકોર્ટે સંમતિ આપી હતી. ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશોને બાજુ પર રાખ્યા છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.