ઓવરટાઇમ વર્ક એલાઉન્સ માગતા સરકારી કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની લપડાક, જાણો શું હતો મામલો


  • Published By :
  • Published Date : 2023-04-24 14:28:10

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ કામને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ વર્ક એલાઉન્સ મેળવવા અંગે કહ્યું  કે સરકારી કર્મચારીઓ તે આ માટે હકદાર નથી. આ આ બાબત વળતરની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી વિપરીત, સરકારી કર્મચારીઓ કેટલાક અન્ય વિશેષાધિકારો સિવાય પગાર પંચના સુધારાના લાભોનો આનંદ માણે છે.


SPMCIના કેસમાં આપ્યો ચુકાદો


સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તેના કર્મચારીઓ વચ્ચે ઓવરટાઇમ ભથ્થાને લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસની સુનાવણી હાથ ધરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓવરટાઇમ વર્ક એલાઉન્સનો દાવો કરવોએ નિયમો અનુસાર નથી, જેના કારણે તેનો દાવો કરી શકાય નહીં. 


બોમ્બે હાઈકોર્ટનો  ચુકાદો ફગાવ્યો


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને પંકજ મિથલની ડિવિઝન બેન્ચે સરકારી નિયમને ટાંકીને બેન્ચે કહ્યું કે હકીકતમાં કર્મચારીઓને ઓવરટાઇમ ભથ્થાની ચૂકવણીની માંગણી કરવાનો કોઈ અવકાશ નથી. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોથી વિપરીત, સિવિલ પોસ્ટ્સ, રાજ્ય સિવિલ અને કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ નિયમો અનુસાર સરકારના નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. આ કર્મચારીઓ ઓવરટાઇમ ભથ્થાની માંગ કરી શકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનના કર્મચારીઓને પણ ઓવરટાઇમ ભથ્થું મળવું જોઈએ તે અંગે બોમ્બે હાઈકોર્ટે સંમતિ આપી હતી. ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશોને બાજુ પર રાખ્યા છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.