ઓવરટાઇમ વર્ક એલાઉન્સ માગતા સરકારી કર્મચારીઓને સુપ્રીમ કોર્ટની લપડાક, જાણો શું હતો મામલો


  • Published By :
  • Published Date : 2023-04-24 14:28:10

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ કામને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ વર્ક એલાઉન્સ મેળવવા અંગે કહ્યું  કે સરકારી કર્મચારીઓ તે આ માટે હકદાર નથી. આ આ બાબત વળતરની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી વિપરીત, સરકારી કર્મચારીઓ કેટલાક અન્ય વિશેષાધિકારો સિવાય પગાર પંચના સુધારાના લાભોનો આનંદ માણે છે.


SPMCIના કેસમાં આપ્યો ચુકાદો


સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને તેના કર્મચારીઓ વચ્ચે ઓવરટાઇમ ભથ્થાને લઈને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ કેસની સુનાવણી હાથ ધરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઓવરટાઇમ વર્ક એલાઉન્સનો દાવો કરવોએ નિયમો અનુસાર નથી, જેના કારણે તેનો દાવો કરી શકાય નહીં. 


બોમ્બે હાઈકોર્ટનો  ચુકાદો ફગાવ્યો


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને પંકજ મિથલની ડિવિઝન બેન્ચે સરકારી નિયમને ટાંકીને બેન્ચે કહ્યું કે હકીકતમાં કર્મચારીઓને ઓવરટાઇમ ભથ્થાની ચૂકવણીની માંગણી કરવાનો કોઈ અવકાશ નથી. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોથી વિપરીત, સિવિલ પોસ્ટ્સ, રાજ્ય સિવિલ અને કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ નિયમો અનુસાર સરકારના નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. આ કર્મચારીઓ ઓવરટાઇમ ભથ્થાની માંગ કરી શકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કોર્પોરેશનના કર્મચારીઓને પણ ઓવરટાઇમ ભથ્થું મળવું જોઈએ તે અંગે બોમ્બે હાઈકોર્ટે સંમતિ આપી હતી. ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશોને બાજુ પર રાખ્યા છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.