નિવૃત જજ અબ્દુલ નઝીરને રાજ્યપાલ બનાવાતા હોબાળો મચ્યો, કોંગ્રેસ અને AIMIMએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-02-12 18:37:47

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ આવ્યું નથી. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રથા માની શકાય નહીં.


કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ


નૈતિકતાનો સવાલ છે, વિપક્ષ બંધારણનું સમર્થન નથી કરતું રાશિદ અલ્વીનું કહેવું છે કે જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક રિપોર્ટ અનુસાર, 50 ટકા રિટાયર્ડ જજ સુપ્રીમ કોર્ટના છે, ક્યાંકને ક્યાંક સરકાર તેમને અન્ય પોસ્ટ પર મોકલી દે છે, જેના કારણે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગોઈને હમણા જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને હવે તમે જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવ્યા છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સરકારના દબાણમાં થયું છે. જસ્ટિસ ગોગોઈની નિમણૂક બાદ જસ્ટિસ નઝીરની ગવર્નર તરીકે નિમણૂક તેમની શંકાને વધુ મજબૂત કરે છે. આ દલીલો સાથે અભિષેક મનુ સિંઘવીએ પણ આ વલણને ખોટું ગણાવ્યું છે. તેની બાજુમાંથી અરુણ જેટલીના જૂના નિવેદનના આધારે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમણે સ્વ. અરૂણ જેટલીને યાદ કરીને કહ્યું કે તેમણે પણ એ સમયે કહ્યું હતું કે પ્રી ટિટાયરમેન્ટ જજમેન્ટ જે હોય છે, તે પોસ્ટ રિટાયરમેન્ટ જોબ્સથી પ્રભાવિત રહી શકે છે. વળી આ બાબત સૈધ્ધાંતિકરૂપે પણ ખોટી છે.


AIMIM નેતાએ પણ વાંધો ઉઠાવ્યો


AIMIM નેતા વારિસ પઠાણે પણ નઝીરને રાજ્યપાલ બનાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જે ન્યાયાધીશોઓએ રામ મંદિરને લઈ ચુકાદો આપ્યો હતો.  તેમને ત્યાર બાદ સારા પદ મળ્યા છે. પછી તે રંજન ગોગોઈ હોય કે અશોક ભૂષણ, અશોક ભૂષણને પણ NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.