નિવૃત જજ અબ્દુલ નઝીરને રાજ્યપાલ બનાવાતા હોબાળો મચ્યો, કોંગ્રેસ અને AIMIMએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-02-12 18:37:47

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ આવ્યું નથી. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રથા માની શકાય નહીં.


કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ


નૈતિકતાનો સવાલ છે, વિપક્ષ બંધારણનું સમર્થન નથી કરતું રાશિદ અલ્વીનું કહેવું છે કે જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક રિપોર્ટ અનુસાર, 50 ટકા રિટાયર્ડ જજ સુપ્રીમ કોર્ટના છે, ક્યાંકને ક્યાંક સરકાર તેમને અન્ય પોસ્ટ પર મોકલી દે છે, જેના કારણે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગોઈને હમણા જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને હવે તમે જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવ્યા છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સરકારના દબાણમાં થયું છે. જસ્ટિસ ગોગોઈની નિમણૂક બાદ જસ્ટિસ નઝીરની ગવર્નર તરીકે નિમણૂક તેમની શંકાને વધુ મજબૂત કરે છે. આ દલીલો સાથે અભિષેક મનુ સિંઘવીએ પણ આ વલણને ખોટું ગણાવ્યું છે. તેની બાજુમાંથી અરુણ જેટલીના જૂના નિવેદનના આધારે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમણે સ્વ. અરૂણ જેટલીને યાદ કરીને કહ્યું કે તેમણે પણ એ સમયે કહ્યું હતું કે પ્રી ટિટાયરમેન્ટ જજમેન્ટ જે હોય છે, તે પોસ્ટ રિટાયરમેન્ટ જોબ્સથી પ્રભાવિત રહી શકે છે. વળી આ બાબત સૈધ્ધાંતિકરૂપે પણ ખોટી છે.


AIMIM નેતાએ પણ વાંધો ઉઠાવ્યો


AIMIM નેતા વારિસ પઠાણે પણ નઝીરને રાજ્યપાલ બનાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જે ન્યાયાધીશોઓએ રામ મંદિરને લઈ ચુકાદો આપ્યો હતો.  તેમને ત્યાર બાદ સારા પદ મળ્યા છે. પછી તે રંજન ગોગોઈ હોય કે અશોક ભૂષણ, અશોક ભૂષણને પણ NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.