નિવૃત જજ અબ્દુલ નઝીરને રાજ્યપાલ બનાવાતા હોબાળો મચ્યો, કોંગ્રેસ અને AIMIMએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-02-12 18:37:47

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ આવ્યું નથી. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રથા માની શકાય નહીં.


કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ


નૈતિકતાનો સવાલ છે, વિપક્ષ બંધારણનું સમર્થન નથી કરતું રાશિદ અલ્વીનું કહેવું છે કે જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક રિપોર્ટ અનુસાર, 50 ટકા રિટાયર્ડ જજ સુપ્રીમ કોર્ટના છે, ક્યાંકને ક્યાંક સરકાર તેમને અન્ય પોસ્ટ પર મોકલી દે છે, જેના કારણે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગોઈને હમણા જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને હવે તમે જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવ્યા છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સરકારના દબાણમાં થયું છે. જસ્ટિસ ગોગોઈની નિમણૂક બાદ જસ્ટિસ નઝીરની ગવર્નર તરીકે નિમણૂક તેમની શંકાને વધુ મજબૂત કરે છે. આ દલીલો સાથે અભિષેક મનુ સિંઘવીએ પણ આ વલણને ખોટું ગણાવ્યું છે. તેની બાજુમાંથી અરુણ જેટલીના જૂના નિવેદનના આધારે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમણે સ્વ. અરૂણ જેટલીને યાદ કરીને કહ્યું કે તેમણે પણ એ સમયે કહ્યું હતું કે પ્રી ટિટાયરમેન્ટ જજમેન્ટ જે હોય છે, તે પોસ્ટ રિટાયરમેન્ટ જોબ્સથી પ્રભાવિત રહી શકે છે. વળી આ બાબત સૈધ્ધાંતિકરૂપે પણ ખોટી છે.


AIMIM નેતાએ પણ વાંધો ઉઠાવ્યો


AIMIM નેતા વારિસ પઠાણે પણ નઝીરને રાજ્યપાલ બનાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જે ન્યાયાધીશોઓએ રામ મંદિરને લઈ ચુકાદો આપ્યો હતો.  તેમને ત્યાર બાદ સારા પદ મળ્યા છે. પછી તે રંજન ગોગોઈ હોય કે અશોક ભૂષણ, અશોક ભૂષણને પણ NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.