નિવૃત જજ અબ્દુલ નઝીરને રાજ્યપાલ બનાવાતા હોબાળો મચ્યો, કોંગ્રેસ અને AIMIMએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-02-12 18:37:47

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ આવ્યું નથી. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રથા માની શકાય નહીં.


કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ


નૈતિકતાનો સવાલ છે, વિપક્ષ બંધારણનું સમર્થન નથી કરતું રાશિદ અલ્વીનું કહેવું છે કે જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક રિપોર્ટ અનુસાર, 50 ટકા રિટાયર્ડ જજ સુપ્રીમ કોર્ટના છે, ક્યાંકને ક્યાંક સરકાર તેમને અન્ય પોસ્ટ પર મોકલી દે છે, જેના કારણે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગોઈને હમણા જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને હવે તમે જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવ્યા છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સરકારના દબાણમાં થયું છે. જસ્ટિસ ગોગોઈની નિમણૂક બાદ જસ્ટિસ નઝીરની ગવર્નર તરીકે નિમણૂક તેમની શંકાને વધુ મજબૂત કરે છે. આ દલીલો સાથે અભિષેક મનુ સિંઘવીએ પણ આ વલણને ખોટું ગણાવ્યું છે. તેની બાજુમાંથી અરુણ જેટલીના જૂના નિવેદનના આધારે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમણે સ્વ. અરૂણ જેટલીને યાદ કરીને કહ્યું કે તેમણે પણ એ સમયે કહ્યું હતું કે પ્રી ટિટાયરમેન્ટ જજમેન્ટ જે હોય છે, તે પોસ્ટ રિટાયરમેન્ટ જોબ્સથી પ્રભાવિત રહી શકે છે. વળી આ બાબત સૈધ્ધાંતિકરૂપે પણ ખોટી છે.


AIMIM નેતાએ પણ વાંધો ઉઠાવ્યો


AIMIM નેતા વારિસ પઠાણે પણ નઝીરને રાજ્યપાલ બનાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જે ન્યાયાધીશોઓએ રામ મંદિરને લઈ ચુકાદો આપ્યો હતો.  તેમને ત્યાર બાદ સારા પદ મળ્યા છે. પછી તે રંજન ગોગોઈ હોય કે અશોક ભૂષણ, અશોક ભૂષણને પણ NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.