યુવાનો પર વધતો હાર્ટ એટેકનો ખતરો! મનસુખ માંડિવાયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલે શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2023-06-12 12:49:12

હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. થોડા સમય પહેલા હાર્ટની હજારો સર્જરી કરનાર ડોક્ટરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. કોરોના મહામારી બાદ આ સમસ્યા વધતી જઈ રહી છે. તંદુરસ્ત દેખાતો માણસ અચાનક પડી જાય છે અને તે પછી ક્યારેય ઉભો થઈ શક્તો નથી. ત્યારે વધતા હાર્ટ એટેકના કેસને લઈ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડિવાયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે કોરોના બાદ શા માટે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેની જાણકારી મેળવવા ઈન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ તપાસ કરી રહી છે. 



કેન્દ્રીય આરોગ્યમંત્રીએ હાર્ટ એટેકને લઈ આપ્યું નિવેદન!

કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સમય એવો હતો જ્યારે હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા, હાલ કોરોના મહામારી કાબુમાં આવી ગઈ છે પરંતુ તેની સાઈડઈફેક્ટ હાલ જોવા મળી રહી છે. હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મૃત્યુ પામી રહ્યા છે. દિવસમાં એક બે એવી ઘટનાઓ તો સામે આવે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હોય. આ બધા વચ્ચે આ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ કારણ શોધવા માટે આઈસીએમઆર રિસર્ચ કરી રહ્યું છે. યુવાનોમાં શા માટે હૃદય હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.   


   

નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સુરતથી સમાચાર સામે આવ્યા હતા એક જ સોસાયટીમાં રહેતા બે સભ્યોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. તે સિવાય રાજકોટથી પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. સમગ્ર રાજ્યમાંથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે પહેલા પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. મહત્વનું છે કે આ રિસર્ચ બાદ યુવાનોના જીવન હાર્ટ એટેકથી બચી શકે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.