યુવાનો પર વધતો હાર્ટ એટેકનો ખતરો! મનસુખ માંડિવાયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલે શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2023-06-12 12:49:12

હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. થોડા સમય પહેલા હાર્ટની હજારો સર્જરી કરનાર ડોક્ટરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. કોરોના મહામારી બાદ આ સમસ્યા વધતી જઈ રહી છે. તંદુરસ્ત દેખાતો માણસ અચાનક પડી જાય છે અને તે પછી ક્યારેય ઉભો થઈ શક્તો નથી. ત્યારે વધતા હાર્ટ એટેકના કેસને લઈ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડિવાયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે કોરોના બાદ શા માટે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેની જાણકારી મેળવવા ઈન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ તપાસ કરી રહી છે. 



કેન્દ્રીય આરોગ્યમંત્રીએ હાર્ટ એટેકને લઈ આપ્યું નિવેદન!

કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સમય એવો હતો જ્યારે હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા, હાલ કોરોના મહામારી કાબુમાં આવી ગઈ છે પરંતુ તેની સાઈડઈફેક્ટ હાલ જોવા મળી રહી છે. હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મૃત્યુ પામી રહ્યા છે. દિવસમાં એક બે એવી ઘટનાઓ તો સામે આવે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હોય. આ બધા વચ્ચે આ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ કારણ શોધવા માટે આઈસીએમઆર રિસર્ચ કરી રહ્યું છે. યુવાનોમાં શા માટે હૃદય હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.   


   

નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સુરતથી સમાચાર સામે આવ્યા હતા એક જ સોસાયટીમાં રહેતા બે સભ્યોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. તે સિવાય રાજકોટથી પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. સમગ્ર રાજ્યમાંથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે પહેલા પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. મહત્વનું છે કે આ રિસર્ચ બાદ યુવાનોના જીવન હાર્ટ એટેકથી બચી શકે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.          



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.