યુવાનો પર વધતો હાર્ટ એટેકનો ખતરો! મનસુખ માંડિવાયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલે શું લેવાયા પગલા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 12:49:12

હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. થોડા સમય પહેલા હાર્ટની હજારો સર્જરી કરનાર ડોક્ટરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. કોરોના મહામારી બાદ આ સમસ્યા વધતી જઈ રહી છે. તંદુરસ્ત દેખાતો માણસ અચાનક પડી જાય છે અને તે પછી ક્યારેય ઉભો થઈ શક્તો નથી. ત્યારે વધતા હાર્ટ એટેકના કેસને લઈ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડિવાયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે કોરોના બાદ શા માટે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેની જાણકારી મેળવવા ઈન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ તપાસ કરી રહી છે. 



કેન્દ્રીય આરોગ્યમંત્રીએ હાર્ટ એટેકને લઈ આપ્યું નિવેદન!

કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સમય એવો હતો જ્યારે હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા, હાલ કોરોના મહામારી કાબુમાં આવી ગઈ છે પરંતુ તેની સાઈડઈફેક્ટ હાલ જોવા મળી રહી છે. હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મૃત્યુ પામી રહ્યા છે. દિવસમાં એક બે એવી ઘટનાઓ તો સામે આવે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હોય. આ બધા વચ્ચે આ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ કારણ શોધવા માટે આઈસીએમઆર રિસર્ચ કરી રહ્યું છે. યુવાનોમાં શા માટે હૃદય હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.   


   

નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સુરતથી સમાચાર સામે આવ્યા હતા એક જ સોસાયટીમાં રહેતા બે સભ્યોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. તે સિવાય રાજકોટથી પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. સમગ્ર રાજ્યમાંથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે પહેલા પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. મહત્વનું છે કે આ રિસર્ચ બાદ યુવાનોના જીવન હાર્ટ એટેકથી બચી શકે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.          



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.