યુવાનો પર વધતો હાર્ટ એટેકનો ખતરો! મનસુખ માંડિવાયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલે શું લેવાયા પગલા?


  • Published By :
  • Published Date : 2023-06-12 12:49:12

હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. થોડા સમય પહેલા હાર્ટની હજારો સર્જરી કરનાર ડોક્ટરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. કોરોના મહામારી બાદ આ સમસ્યા વધતી જઈ રહી છે. તંદુરસ્ત દેખાતો માણસ અચાનક પડી જાય છે અને તે પછી ક્યારેય ઉભો થઈ શક્તો નથી. ત્યારે વધતા હાર્ટ એટેકના કેસને લઈ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડિવાયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે કોરોના બાદ શા માટે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેની જાણકારી મેળવવા ઈન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ તપાસ કરી રહી છે. 



કેન્દ્રીય આરોગ્યમંત્રીએ હાર્ટ એટેકને લઈ આપ્યું નિવેદન!

કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સમય એવો હતો જ્યારે હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા, હાલ કોરોના મહામારી કાબુમાં આવી ગઈ છે પરંતુ તેની સાઈડઈફેક્ટ હાલ જોવા મળી રહી છે. હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મૃત્યુ પામી રહ્યા છે. દિવસમાં એક બે એવી ઘટનાઓ તો સામે આવે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હોય. આ બધા વચ્ચે આ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ કારણ શોધવા માટે આઈસીએમઆર રિસર્ચ કરી રહ્યું છે. યુવાનોમાં શા માટે હૃદય હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.   


   

નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સુરતથી સમાચાર સામે આવ્યા હતા એક જ સોસાયટીમાં રહેતા બે સભ્યોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. તે સિવાય રાજકોટથી પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. સમગ્ર રાજ્યમાંથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે પહેલા પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. મહત્વનું છે કે આ રિસર્ચ બાદ યુવાનોના જીવન હાર્ટ એટેકથી બચી શકે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.          



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.