સમગ્ર જ્ઞાનવાપી પરિસરનું ASI દ્વારા સર્વે કરાવવાની માગ કરતી અરજીને જિલ્લા કોર્ટે આપી મંજુરી, 22મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-16 17:01:31

વારાણસીના બહુચર્ચીત જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ જ નહીં પરંતું સમગ્ર વિવાદિત સ્થળનું આર્કિયોલોજીકલ સર્વે દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતીથી તપાસ કરાવવાની અરજીને જિલ્લા જજની અદાલતે મંજુરી આપી દીધી છે. આ મામલે કોર્ટે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીને વાંધા રજુ કરવા માટે 19 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. મસાજિદ કમિટીને અરજીની કોપી આપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે કેસની સુનાવણી માટે 22 મેની તારીખ નક્કી કરી છે.


એડવોકેટ વિષ્ણુ શંકર જૈને શું દલીલો કરી?


સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 6 અરજીકર્તાઓ વતી સર્વેની માગ કરતી અરજી કરી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ હિંદુ ધર્મમાં શ્રધ્ધા રાખનારા તમામ લોકો તે ઈચ્છે છે, કે અમારા આરાધ્ય વિશ્વેશ્વર સાથે સંકળાયેલું જ્ઞાનવાપીનું સત્ય સામે આવે. તમામને એ જાણવાનો હક્ક છે કે જ્ઞાનવાપીમાં આદિ વિશ્વેશ્વરનું મંદિર ક્યારે બન્યું હતું? આ જ કારણે હવે અમે લોકોએ મંદિરના સમગ્ર વિવાદિત પરિસરનું કાર્બન ડેટિંગ અને ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર(જીપીઆર) ટેકનોલોજીથી આર્કિયોલોજીકલ સર્વે દ્વારા સર્વે કરાવવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. એડવોકેટએ કહ્યું કે દેશની પ્રજાને વિવાદિત સ્થળની વાસ્તવિક્તા જાણવાનો હક્ક છે. વિવાદિત સ્થળ નીચે જમીનમાં શું સત્ય દટાયું છે? મંદિરને ધ્વસ્ત કરીને તેના ઉપર કથિત ગુંબજ ક્યારે બનાવવામાં આવ્યાં? તથા આ ત્રણેય ગુંબજ કેટવા જુના છે? વધુમાં તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી અમારી આસ્થાના કેન્દ્ર રહેલા અમારા ધર્મસ્થળોને વિદેશી આક્રમણખોરોએ તલવારના જોરે ઉજાડી દીધા હતા.    


આ લોકોએ કરી છે અરજી


સુપ્રીમ કોર્ટના એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ અરજી રામ પ્રસાદ સિંહ, મહંત શિવ પ્રસાદ પાંડેય, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. ચારેય મહિલાઓ પહેલાથી જ જ્ઞાનવાપીના મા શ્રૃંગાર ગૌરી કેસમાં પણ ફરિયાદી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.