સમગ્ર જ્ઞાનવાપી પરિસરનું ASI દ્વારા સર્વે કરાવવાની માગ કરતી અરજીને જિલ્લા કોર્ટે આપી મંજુરી, 22મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-16 17:01:31

વારાણસીના બહુચર્ચીત જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ જ નહીં પરંતું સમગ્ર વિવાદિત સ્થળનું આર્કિયોલોજીકલ સર્વે દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતીથી તપાસ કરાવવાની અરજીને જિલ્લા જજની અદાલતે મંજુરી આપી દીધી છે. આ મામલે કોર્ટે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીને વાંધા રજુ કરવા માટે 19 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. મસાજિદ કમિટીને અરજીની કોપી આપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે કેસની સુનાવણી માટે 22 મેની તારીખ નક્કી કરી છે.


એડવોકેટ વિષ્ણુ શંકર જૈને શું દલીલો કરી?


સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 6 અરજીકર્તાઓ વતી સર્વેની માગ કરતી અરજી કરી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ હિંદુ ધર્મમાં શ્રધ્ધા રાખનારા તમામ લોકો તે ઈચ્છે છે, કે અમારા આરાધ્ય વિશ્વેશ્વર સાથે સંકળાયેલું જ્ઞાનવાપીનું સત્ય સામે આવે. તમામને એ જાણવાનો હક્ક છે કે જ્ઞાનવાપીમાં આદિ વિશ્વેશ્વરનું મંદિર ક્યારે બન્યું હતું? આ જ કારણે હવે અમે લોકોએ મંદિરના સમગ્ર વિવાદિત પરિસરનું કાર્બન ડેટિંગ અને ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર(જીપીઆર) ટેકનોલોજીથી આર્કિયોલોજીકલ સર્વે દ્વારા સર્વે કરાવવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. એડવોકેટએ કહ્યું કે દેશની પ્રજાને વિવાદિત સ્થળની વાસ્તવિક્તા જાણવાનો હક્ક છે. વિવાદિત સ્થળ નીચે જમીનમાં શું સત્ય દટાયું છે? મંદિરને ધ્વસ્ત કરીને તેના ઉપર કથિત ગુંબજ ક્યારે બનાવવામાં આવ્યાં? તથા આ ત્રણેય ગુંબજ કેટવા જુના છે? વધુમાં તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી અમારી આસ્થાના કેન્દ્ર રહેલા અમારા ધર્મસ્થળોને વિદેશી આક્રમણખોરોએ તલવારના જોરે ઉજાડી દીધા હતા.    


આ લોકોએ કરી છે અરજી


સુપ્રીમ કોર્ટના એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ અરજી રામ પ્રસાદ સિંહ, મહંત શિવ પ્રસાદ પાંડેય, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. ચારેય મહિલાઓ પહેલાથી જ જ્ઞાનવાપીના મા શ્રૃંગાર ગૌરી કેસમાં પણ ફરિયાદી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.