સમગ્ર જ્ઞાનવાપી પરિસરનું ASI દ્વારા સર્વે કરાવવાની માગ કરતી અરજીને જિલ્લા કોર્ટે આપી મંજુરી, 22મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-16 17:01:31

વારાણસીના બહુચર્ચીત જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ જ નહીં પરંતું સમગ્ર વિવાદિત સ્થળનું આર્કિયોલોજીકલ સર્વે દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતીથી તપાસ કરાવવાની અરજીને જિલ્લા જજની અદાલતે મંજુરી આપી દીધી છે. આ મામલે કોર્ટે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીને વાંધા રજુ કરવા માટે 19 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. મસાજિદ કમિટીને અરજીની કોપી આપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે કેસની સુનાવણી માટે 22 મેની તારીખ નક્કી કરી છે.


એડવોકેટ વિષ્ણુ શંકર જૈને શું દલીલો કરી?


સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 6 અરજીકર્તાઓ વતી સર્વેની માગ કરતી અરજી કરી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ હિંદુ ધર્મમાં શ્રધ્ધા રાખનારા તમામ લોકો તે ઈચ્છે છે, કે અમારા આરાધ્ય વિશ્વેશ્વર સાથે સંકળાયેલું જ્ઞાનવાપીનું સત્ય સામે આવે. તમામને એ જાણવાનો હક્ક છે કે જ્ઞાનવાપીમાં આદિ વિશ્વેશ્વરનું મંદિર ક્યારે બન્યું હતું? આ જ કારણે હવે અમે લોકોએ મંદિરના સમગ્ર વિવાદિત પરિસરનું કાર્બન ડેટિંગ અને ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર(જીપીઆર) ટેકનોલોજીથી આર્કિયોલોજીકલ સર્વે દ્વારા સર્વે કરાવવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. એડવોકેટએ કહ્યું કે દેશની પ્રજાને વિવાદિત સ્થળની વાસ્તવિક્તા જાણવાનો હક્ક છે. વિવાદિત સ્થળ નીચે જમીનમાં શું સત્ય દટાયું છે? મંદિરને ધ્વસ્ત કરીને તેના ઉપર કથિત ગુંબજ ક્યારે બનાવવામાં આવ્યાં? તથા આ ત્રણેય ગુંબજ કેટવા જુના છે? વધુમાં તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી અમારી આસ્થાના કેન્દ્ર રહેલા અમારા ધર્મસ્થળોને વિદેશી આક્રમણખોરોએ તલવારના જોરે ઉજાડી દીધા હતા.    


આ લોકોએ કરી છે અરજી


સુપ્રીમ કોર્ટના એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ અરજી રામ પ્રસાદ સિંહ, મહંત શિવ પ્રસાદ પાંડેય, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. ચારેય મહિલાઓ પહેલાથી જ જ્ઞાનવાપીના મા શ્રૃંગાર ગૌરી કેસમાં પણ ફરિયાદી છે. 



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.