સમગ્ર જ્ઞાનવાપી પરિસરનું ASI દ્વારા સર્વે કરાવવાની માગ કરતી અરજીને જિલ્લા કોર્ટે આપી મંજુરી, 22મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-16 17:01:31

વારાણસીના બહુચર્ચીત જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિ જ નહીં પરંતું સમગ્ર વિવાદિત સ્થળનું આર્કિયોલોજીકલ સર્વે દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતીથી તપાસ કરાવવાની અરજીને જિલ્લા જજની અદાલતે મંજુરી આપી દીધી છે. આ મામલે કોર્ટે અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટીને વાંધા રજુ કરવા માટે 19 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. મસાજિદ કમિટીને અરજીની કોપી આપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે કેસની સુનાવણી માટે 22 મેની તારીખ નક્કી કરી છે.


એડવોકેટ વિષ્ણુ શંકર જૈને શું દલીલો કરી?


સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 6 અરજીકર્તાઓ વતી સર્વેની માગ કરતી અરજી કરી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મ હિંદુ ધર્મમાં શ્રધ્ધા રાખનારા તમામ લોકો તે ઈચ્છે છે, કે અમારા આરાધ્ય વિશ્વેશ્વર સાથે સંકળાયેલું જ્ઞાનવાપીનું સત્ય સામે આવે. તમામને એ જાણવાનો હક્ક છે કે જ્ઞાનવાપીમાં આદિ વિશ્વેશ્વરનું મંદિર ક્યારે બન્યું હતું? આ જ કારણે હવે અમે લોકોએ મંદિરના સમગ્ર વિવાદિત પરિસરનું કાર્બન ડેટિંગ અને ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર(જીપીઆર) ટેકનોલોજીથી આર્કિયોલોજીકલ સર્વે દ્વારા સર્વે કરાવવાની કોર્ટ સમક્ષ માગ કરી છે. એડવોકેટએ કહ્યું કે દેશની પ્રજાને વિવાદિત સ્થળની વાસ્તવિક્તા જાણવાનો હક્ક છે. વિવાદિત સ્થળ નીચે જમીનમાં શું સત્ય દટાયું છે? મંદિરને ધ્વસ્ત કરીને તેના ઉપર કથિત ગુંબજ ક્યારે બનાવવામાં આવ્યાં? તથા આ ત્રણેય ગુંબજ કેટવા જુના છે? વધુમાં તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી અમારી આસ્થાના કેન્દ્ર રહેલા અમારા ધર્મસ્થળોને વિદેશી આક્રમણખોરોએ તલવારના જોરે ઉજાડી દીધા હતા.    


આ લોકોએ કરી છે અરજી


સુપ્રીમ કોર્ટના એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ અરજી રામ પ્રસાદ સિંહ, મહંત શિવ પ્રસાદ પાંડેય, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. ચારેય મહિલાઓ પહેલાથી જ જ્ઞાનવાપીના મા શ્રૃંગાર ગૌરી કેસમાં પણ ફરિયાદી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.