'હેટ સ્પિચ' સામે સુપ્રીમ કોર્ટનું આકરૂ વલણ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-04-28 20:48:27

સર્વોચ્ચ અદાલતે નફરત ફેલાવનારા ભાષણને લઈ આકરૂ વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેના 2022ના આદેશનો વ્યાપ ત્રણ રાજ્યોથી આગળ લંબાવતા, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ નફરત ફેલાવનારા ભાષણો કરનારાઓ સામે કોઈ પણ ફરિયાદ વિના કેસ નોંધી શકે છે. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણોને "દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરતો ગંભીર ગુનો" ગણાવ્યો હતો.


બેન્ચે ચેતવણી આપી 


સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તેનો 21 ઓક્ટોબર, 2022ના આદેશનો અમલ ધર્મને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવે. બેન્ચે ચેતવણી પણ આપી હતી કે કેસ નોંધવામાં કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનના માનવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભાષણ કરનારી વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના તેની સામે આ કાર્યવાહી કરવામાં આવશે, જેથી પ્રસ્તાવના દ્વારા પરિકલ્પિત ભારતના બિનસાંપ્રદાયિક માળખાને સુરક્ષીત રાખી શકાય.


કોર્ટનો હેતુ કાયદાનું શાસન


સુપ્રીમ કોર્ટે શુક્રવારે, કહ્યું હતું કે, ન્યાયાધીશો બિનરાજકીય છે અને તેમને પાર્ટી A કે પાર્ટી B સાથે કોઈ લેવાદેવા નથી અને તેમના મગજમાં માત્ર ભારતનું બંધારણ છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ દેશના વિવિધ ભાગોમાં "વ્યાપક જાહેર હિત" અને "કાયદાના શાસન"ની સ્થાપના સુનિશ્ચિત કરવા માટે હેટ સ્પિચ સામેની અરજીઓ પર વિચાર કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી હતી કે આ અત્યંત ગંભીર મુદ્દા પર કાર્યવાહી કરવામાં વહીવટીતંત્ર તરફથી કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનનાને આમંત્રણ આપશે.


પત્રકાર શાહીન અબ્દુલ્લાએ કરી હતી અરજી


પત્રકાર શાહીન અબ્દુલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે. જેમણે શરૂઆતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોને નફરત ફેલાવનારાઓ સામે કેસ નોંધવા માટે નિર્દેશ માંગ્યો હતો. અબ્દુલ્લાએ ફરીથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વોચ્ચ અદાલતના 21 ઓક્ટોબર, 2022ના આદેશને લાગુ કરવા માટે અરજી દાખલ કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.