'હેટ સ્પિચ' સામે સુપ્રીમ કોર્ટનું આકરૂ વલણ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-04-28 20:48:27

સર્વોચ્ચ અદાલતે નફરત ફેલાવનારા ભાષણને લઈ આકરૂ વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેના 2022ના આદેશનો વ્યાપ ત્રણ રાજ્યોથી આગળ લંબાવતા, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ નફરત ફેલાવનારા ભાષણો કરનારાઓ સામે કોઈ પણ ફરિયાદ વિના કેસ નોંધી શકે છે. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણોને "દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરતો ગંભીર ગુનો" ગણાવ્યો હતો.


બેન્ચે ચેતવણી આપી 


સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તેનો 21 ઓક્ટોબર, 2022ના આદેશનો અમલ ધર્મને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવે. બેન્ચે ચેતવણી પણ આપી હતી કે કેસ નોંધવામાં કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનના માનવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભાષણ કરનારી વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના તેની સામે આ કાર્યવાહી કરવામાં આવશે, જેથી પ્રસ્તાવના દ્વારા પરિકલ્પિત ભારતના બિનસાંપ્રદાયિક માળખાને સુરક્ષીત રાખી શકાય.


કોર્ટનો હેતુ કાયદાનું શાસન


સુપ્રીમ કોર્ટે શુક્રવારે, કહ્યું હતું કે, ન્યાયાધીશો બિનરાજકીય છે અને તેમને પાર્ટી A કે પાર્ટી B સાથે કોઈ લેવાદેવા નથી અને તેમના મગજમાં માત્ર ભારતનું બંધારણ છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ દેશના વિવિધ ભાગોમાં "વ્યાપક જાહેર હિત" અને "કાયદાના શાસન"ની સ્થાપના સુનિશ્ચિત કરવા માટે હેટ સ્પિચ સામેની અરજીઓ પર વિચાર કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી હતી કે આ અત્યંત ગંભીર મુદ્દા પર કાર્યવાહી કરવામાં વહીવટીતંત્ર તરફથી કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનનાને આમંત્રણ આપશે.


પત્રકાર શાહીન અબ્દુલ્લાએ કરી હતી અરજી


પત્રકાર શાહીન અબ્દુલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે. જેમણે શરૂઆતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોને નફરત ફેલાવનારાઓ સામે કેસ નોંધવા માટે નિર્દેશ માંગ્યો હતો. અબ્દુલ્લાએ ફરીથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વોચ્ચ અદાલતના 21 ઓક્ટોબર, 2022ના આદેશને લાગુ કરવા માટે અરજી દાખલ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.