'હેટ સ્પિચ' સામે સુપ્રીમ કોર્ટનું આકરૂ વલણ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યા આ નિર્દેશ


  • Published By :
  • Published Date : 2023-04-28 20:48:27

સર્વોચ્ચ અદાલતે નફરત ફેલાવનારા ભાષણને લઈ આકરૂ વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેના 2022ના આદેશનો વ્યાપ ત્રણ રાજ્યોથી આગળ લંબાવતા, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ નફરત ફેલાવનારા ભાષણો કરનારાઓ સામે કોઈ પણ ફરિયાદ વિના કેસ નોંધી શકે છે. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણોને "દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરતો ગંભીર ગુનો" ગણાવ્યો હતો.


બેન્ચે ચેતવણી આપી 


સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તેનો 21 ઓક્ટોબર, 2022ના આદેશનો અમલ ધર્મને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવે. બેન્ચે ચેતવણી પણ આપી હતી કે કેસ નોંધવામાં કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનના માનવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ભાષણ કરનારી વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના તેની સામે આ કાર્યવાહી કરવામાં આવશે, જેથી પ્રસ્તાવના દ્વારા પરિકલ્પિત ભારતના બિનસાંપ્રદાયિક માળખાને સુરક્ષીત રાખી શકાય.


કોર્ટનો હેતુ કાયદાનું શાસન


સુપ્રીમ કોર્ટે શુક્રવારે, કહ્યું હતું કે, ન્યાયાધીશો બિનરાજકીય છે અને તેમને પાર્ટી A કે પાર્ટી B સાથે કોઈ લેવાદેવા નથી અને તેમના મગજમાં માત્ર ભારતનું બંધારણ છે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ દેશના વિવિધ ભાગોમાં "વ્યાપક જાહેર હિત" અને "કાયદાના શાસન"ની સ્થાપના સુનિશ્ચિત કરવા માટે હેટ સ્પિચ સામેની અરજીઓ પર વિચાર કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી હતી કે આ અત્યંત ગંભીર મુદ્દા પર કાર્યવાહી કરવામાં વહીવટીતંત્ર તરફથી કોઈ પણ વિલંબ કોર્ટની અવમાનનાને આમંત્રણ આપશે.


પત્રકાર શાહીન અબ્દુલ્લાએ કરી હતી અરજી


પત્રકાર શાહીન અબ્દુલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે. જેમણે શરૂઆતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોને નફરત ફેલાવનારાઓ સામે કેસ નોંધવા માટે નિર્દેશ માંગ્યો હતો. અબ્દુલ્લાએ ફરીથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સર્વોચ્ચ અદાલતના 21 ઓક્ટોબર, 2022ના આદેશને લાગુ કરવા માટે અરજી દાખલ કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.