હિમાચલ સરકારે જુની પેન્શન સ્કિમ ફરી શરૂ કરી, 1.36 લાખ કર્મચારીઓને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-04-18 18:05:53

દેશભરમાં નવી પેન્શન સ્કિમને લઈ વિવાદ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમની માગ સાથે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે આ વિવાદ વચ્ચે હિમાચલ સરકારે મહત્વનો નિર્ણય લેતા જુની પેન્શન સ્કિમને ફરીથી યથાવત રાખી છે. સરકાર દ્વારા આ મામલે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા સોમવાર સાંજે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  


1.36 લાખ કર્મચારીઓને થશે લાભ


હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ જુની પેન્શન સ્કિમ 1 એપ્રીલ 2023થી અમલી બનાવવામાં આવી છે. આ સાથે જ તે હવે નવી પેન્શન સ્કિમનો હિસ્સો રહી નથી, હિમાચલ પ્રદેશની સરકારે જુની પેન્શન સ્કિમ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.36 કર્મચારીઓને ફાયદો થશે.


હવે હિમાચલ સરકાર NPSને ફાળો નહીં આપે


નવી પેન્શન સ્કિમ પ્રમાણે સરકાર અને કર્મચારી બંને તરફથી કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જો કે હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન પ્રમાણે હવે NPS હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓનું કોન્ટ્રીબ્યુશન 1 એપ્રિલથી રોકી દેવામાં આવ્યું છે. સરકાર પોતાના કર્મચારીઓને જુની પેન્શન સ્કિમ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન આપશે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે લીધેલા આ મોટા નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે કર્મચારીઓને જુની પેન્શનનો ફરીથી અમલ કરવાનું વચન આપ્યું હતું. ચૂંટાયેલી સરકારે આ રીતે ચૂંટણી વચનને પાળી બતાવ્યું છે.


OPS અને NPS વચ્ચે તફાવત શું છે?


OPS હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ સમયે પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. કારણ કે જૂની સ્કીમમાં સરકારી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી દરના આંકડા અનુસાર પેન્શન નક્કી કરવામાં આવે છે. અન્ય તફાવતો વિશે વાત કરીએ તો, જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નહોતી. જ્યારે NPS અથવા નવી પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે જૂની પેન્શન યોજનામાં આ સુવિધા કર્મચારીઓને મળે છે. જો નવી પેન્શન સ્કીમની વાત કરીએ તો જો આમાં રિટર્ન વધુ સારું હોય તો પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની જૂની સ્કીમની સરખામણીમાં કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે સારા પૈસા મળી શકે છે. કારણ કે આ શેર બજાર આધારિત સ્કીમ છે. વળી, જો ઓછું વળતર મળે તો તેવી સ્થિતીમાં ફંડ ઓછું હોઈ શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.