હિમાચલ સરકારે જુની પેન્શન સ્કિમ ફરી શરૂ કરી, 1.36 લાખ કર્મચારીઓને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-04-18 18:05:53

દેશભરમાં નવી પેન્શન સ્કિમને લઈ વિવાદ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમની માગ સાથે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે આ વિવાદ વચ્ચે હિમાચલ સરકારે મહત્વનો નિર્ણય લેતા જુની પેન્શન સ્કિમને ફરીથી યથાવત રાખી છે. સરકાર દ્વારા આ મામલે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા સોમવાર સાંજે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  


1.36 લાખ કર્મચારીઓને થશે લાભ


હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ જુની પેન્શન સ્કિમ 1 એપ્રીલ 2023થી અમલી બનાવવામાં આવી છે. આ સાથે જ તે હવે નવી પેન્શન સ્કિમનો હિસ્સો રહી નથી, હિમાચલ પ્રદેશની સરકારે જુની પેન્શન સ્કિમ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.36 કર્મચારીઓને ફાયદો થશે.


હવે હિમાચલ સરકાર NPSને ફાળો નહીં આપે


નવી પેન્શન સ્કિમ પ્રમાણે સરકાર અને કર્મચારી બંને તરફથી કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જો કે હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન પ્રમાણે હવે NPS હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓનું કોન્ટ્રીબ્યુશન 1 એપ્રિલથી રોકી દેવામાં આવ્યું છે. સરકાર પોતાના કર્મચારીઓને જુની પેન્શન સ્કિમ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન આપશે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે લીધેલા આ મોટા નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે કર્મચારીઓને જુની પેન્શનનો ફરીથી અમલ કરવાનું વચન આપ્યું હતું. ચૂંટાયેલી સરકારે આ રીતે ચૂંટણી વચનને પાળી બતાવ્યું છે.


OPS અને NPS વચ્ચે તફાવત શું છે?


OPS હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ સમયે પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. કારણ કે જૂની સ્કીમમાં સરકારી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી દરના આંકડા અનુસાર પેન્શન નક્કી કરવામાં આવે છે. અન્ય તફાવતો વિશે વાત કરીએ તો, જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નહોતી. જ્યારે NPS અથવા નવી પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે જૂની પેન્શન યોજનામાં આ સુવિધા કર્મચારીઓને મળે છે. જો નવી પેન્શન સ્કીમની વાત કરીએ તો જો આમાં રિટર્ન વધુ સારું હોય તો પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની જૂની સ્કીમની સરખામણીમાં કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે સારા પૈસા મળી શકે છે. કારણ કે આ શેર બજાર આધારિત સ્કીમ છે. વળી, જો ઓછું વળતર મળે તો તેવી સ્થિતીમાં ફંડ ઓછું હોઈ શકે છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.