હિમાચલ સરકારે જુની પેન્શન સ્કિમ ફરી શરૂ કરી, 1.36 લાખ કર્મચારીઓને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-04-18 18:05:53

દેશભરમાં નવી પેન્શન સ્કિમને લઈ વિવાદ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમની માગ સાથે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે આ વિવાદ વચ્ચે હિમાચલ સરકારે મહત્વનો નિર્ણય લેતા જુની પેન્શન સ્કિમને ફરીથી યથાવત રાખી છે. સરકાર દ્વારા આ મામલે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા સોમવાર સાંજે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  


1.36 લાખ કર્મચારીઓને થશે લાભ


હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ જુની પેન્શન સ્કિમ 1 એપ્રીલ 2023થી અમલી બનાવવામાં આવી છે. આ સાથે જ તે હવે નવી પેન્શન સ્કિમનો હિસ્સો રહી નથી, હિમાચલ પ્રદેશની સરકારે જુની પેન્શન સ્કિમ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.36 કર્મચારીઓને ફાયદો થશે.


હવે હિમાચલ સરકાર NPSને ફાળો નહીં આપે


નવી પેન્શન સ્કિમ પ્રમાણે સરકાર અને કર્મચારી બંને તરફથી કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જો કે હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન પ્રમાણે હવે NPS હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓનું કોન્ટ્રીબ્યુશન 1 એપ્રિલથી રોકી દેવામાં આવ્યું છે. સરકાર પોતાના કર્મચારીઓને જુની પેન્શન સ્કિમ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન આપશે. રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે લીધેલા આ મોટા નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે કર્મચારીઓને જુની પેન્શનનો ફરીથી અમલ કરવાનું વચન આપ્યું હતું. ચૂંટાયેલી સરકારે આ રીતે ચૂંટણી વચનને પાળી બતાવ્યું છે.


OPS અને NPS વચ્ચે તફાવત શું છે?


OPS હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ સમયે પગારની અડધી રકમ પેન્શન તરીકે આપવામાં આવે છે. કારણ કે જૂની સ્કીમમાં સરકારી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી દરના આંકડા અનુસાર પેન્શન નક્કી કરવામાં આવે છે. અન્ય તફાવતો વિશે વાત કરીએ તો, જૂની પેન્શન યોજનામાં કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવતી નહોતી. જ્યારે NPS અથવા નવી પેન્શન યોજનામાં કર્મચારીઓના પગારમાંથી 10% કાપવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે જૂની પેન્શન યોજનામાં આ સુવિધા કર્મચારીઓને મળે છે. જો નવી પેન્શન સ્કીમની વાત કરીએ તો જો આમાં રિટર્ન વધુ સારું હોય તો પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની જૂની સ્કીમની સરખામણીમાં કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે સારા પૈસા મળી શકે છે. કારણ કે આ શેર બજાર આધારિત સ્કીમ છે. વળી, જો ઓછું વળતર મળે તો તેવી સ્થિતીમાં ફંડ ઓછું હોઈ શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.