આ જૂઓ કેવો હોય છે દાઉદી વ્હોરા સમુદાય, જેને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-11 19:42:04

દાઉદી વ્હોરા સમુદાય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ નાતો રહેલો છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયના સૈફ એકેડમીના એક કેમ્પસનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વ્હોરા સમુદાયના એક કાર્યક્રમોમાં પીએમ મોદી સામેલ થતા હોય છે. આ દાઉદી વ્હોરા સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ વાતની માહિતી દાઉદી વ્હોરા સમુદાયની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે. 


સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું મુખ્યાલય

દાઉદી વ્હોરા સમુદાયને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય માનવામાં આવે છે. આ સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ સમુદાયના અંતિમ અને 21માં ઈમામ તૈયબ અબુલને ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે 1132 પછી આધ્યાત્મિક ગુરૂઓની પરંપરા શરૂ થઈ જેમને દાઈ-અલ-મુતલક સૈયદના કહેવામાં આવે છે. 11મી સદીમાં ઈજિપ્તથી આ સમુદાય ભારત આવ્યો હતો અને 1539 આસપાસ ભારતમાં ખૂબ ઝડપથી આ સમુદાયનો વિસ્તાર થયો. ભારતમાં સમુદાયનો વિસ્તાર થવાથી આ સમુદાયે પોતાનું મુખ્યાલય યમનથી શિફ્ટ કરી ગુજરાતના સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું.       


સમગ્ર દેશમાં દાઉદી વ્હોરાની સંખ્યા 10 લાખની આસપાસ 

1558માં આ સમુદાયમાં વંશજ માટે વિવાદ સર્જાયો હતો. 1588માં આ સમુદાયના 30માં સૈયદનાનાં મોત પછી તેમનું વંશજ કોણ બનશે તે માટે વિવાદ ઉભો થયો હતો. દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે પદને લઈ વિવાદ છેડાયો જે બાદ વ્હોરા સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ભાગ થયો દાઉદી વ્હોરા અને બીજો ભાગ થયો સુલેમાની વ્હોરા. ભારતમાં આ સમુદાયના વસતીની વાત કરીએ તો દાઉદી વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે જ્યારે સુલેમાની વ્હોરાની વસતી 3 લાખ આસપાસ છે જ્યારે સમગ્ર  વિશ્વમાં દાઉદી વ્હોરાની વસતી 10 લાખ અને સુલેમાની વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે. સુલેમાની વ્હોરાની ઓફિસ યમનમાં આવી છે જ્યારે દાઉદીની ઓફિસ મુંબઈમાં આવેલી છે.     

 

વ્હોરામાં આધ્યાત્મિક ગુરૂને માનવામાં આવે છે સવોચ્ચ શક્તિ 

સૈયદનાના પદ ઉપર બેઠેલા વ્યક્તિને સમુદાયના લોકો સુપર ઓથોરિટીને સર્વોચ્ચ સત્તા માને છે. હાલ આ સમાજના લીડર ડો.સૈયદના મુફદ્લ સૈફુદ્દીન છે. 2014માં 52માં નેતા ડો. સૈયદની મોહમ્મદ બુરહાનુદ્દીનના અવસાન બાદ તેમણે આ પદ સંભાળ્યું હતું. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.