આ જૂઓ કેવો હોય છે દાઉદી વ્હોરા સમુદાય, જેને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-11 19:42:04

દાઉદી વ્હોરા સમુદાય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ નાતો રહેલો છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયના સૈફ એકેડમીના એક કેમ્પસનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વ્હોરા સમુદાયના એક કાર્યક્રમોમાં પીએમ મોદી સામેલ થતા હોય છે. આ દાઉદી વ્હોરા સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ વાતની માહિતી દાઉદી વ્હોરા સમુદાયની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે. 


સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું મુખ્યાલય

દાઉદી વ્હોરા સમુદાયને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય માનવામાં આવે છે. આ સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ સમુદાયના અંતિમ અને 21માં ઈમામ તૈયબ અબુલને ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે 1132 પછી આધ્યાત્મિક ગુરૂઓની પરંપરા શરૂ થઈ જેમને દાઈ-અલ-મુતલક સૈયદના કહેવામાં આવે છે. 11મી સદીમાં ઈજિપ્તથી આ સમુદાય ભારત આવ્યો હતો અને 1539 આસપાસ ભારતમાં ખૂબ ઝડપથી આ સમુદાયનો વિસ્તાર થયો. ભારતમાં સમુદાયનો વિસ્તાર થવાથી આ સમુદાયે પોતાનું મુખ્યાલય યમનથી શિફ્ટ કરી ગુજરાતના સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું.       


સમગ્ર દેશમાં દાઉદી વ્હોરાની સંખ્યા 10 લાખની આસપાસ 

1558માં આ સમુદાયમાં વંશજ માટે વિવાદ સર્જાયો હતો. 1588માં આ સમુદાયના 30માં સૈયદનાનાં મોત પછી તેમનું વંશજ કોણ બનશે તે માટે વિવાદ ઉભો થયો હતો. દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે પદને લઈ વિવાદ છેડાયો જે બાદ વ્હોરા સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ભાગ થયો દાઉદી વ્હોરા અને બીજો ભાગ થયો સુલેમાની વ્હોરા. ભારતમાં આ સમુદાયના વસતીની વાત કરીએ તો દાઉદી વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે જ્યારે સુલેમાની વ્હોરાની વસતી 3 લાખ આસપાસ છે જ્યારે સમગ્ર  વિશ્વમાં દાઉદી વ્હોરાની વસતી 10 લાખ અને સુલેમાની વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે. સુલેમાની વ્હોરાની ઓફિસ યમનમાં આવી છે જ્યારે દાઉદીની ઓફિસ મુંબઈમાં આવેલી છે.     

 

વ્હોરામાં આધ્યાત્મિક ગુરૂને માનવામાં આવે છે સવોચ્ચ શક્તિ 

સૈયદનાના પદ ઉપર બેઠેલા વ્યક્તિને સમુદાયના લોકો સુપર ઓથોરિટીને સર્વોચ્ચ સત્તા માને છે. હાલ આ સમાજના લીડર ડો.સૈયદના મુફદ્લ સૈફુદ્દીન છે. 2014માં 52માં નેતા ડો. સૈયદની મોહમ્મદ બુરહાનુદ્દીનના અવસાન બાદ તેમણે આ પદ સંભાળ્યું હતું. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.