આ જૂઓ કેવો હોય છે દાઉદી વ્હોરા સમુદાય, જેને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય મનાય છે


  • Published By :
  • Published Date : 2023-02-11 19:42:04

દાઉદી વ્હોરા સમુદાય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ નાતો રહેલો છે. થોડા દિવસ પહેલા મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયના સૈફ એકેડમીના એક કેમ્પસનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વ્હોરા સમુદાયના એક કાર્યક્રમોમાં પીએમ મોદી સામેલ થતા હોય છે. આ દાઉદી વ્હોરા સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ વાતની માહિતી દાઉદી વ્હોરા સમુદાયની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવી છે. 


સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું મુખ્યાલય

દાઉદી વ્હોરા સમુદાયને મુસ્લિમોમાં સૌથી ધનિક સમુદાય માનવામાં આવે છે. આ સમુદાયને પયગંબર હઝરત મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. આ સમુદાયના અંતિમ અને 21માં ઈમામ તૈયબ અબુલને ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે 1132 પછી આધ્યાત્મિક ગુરૂઓની પરંપરા શરૂ થઈ જેમને દાઈ-અલ-મુતલક સૈયદના કહેવામાં આવે છે. 11મી સદીમાં ઈજિપ્તથી આ સમુદાય ભારત આવ્યો હતો અને 1539 આસપાસ ભારતમાં ખૂબ ઝડપથી આ સમુદાયનો વિસ્તાર થયો. ભારતમાં સમુદાયનો વિસ્તાર થવાથી આ સમુદાયે પોતાનું મુખ્યાલય યમનથી શિફ્ટ કરી ગુજરાતના સિદ્ધપુર ખાતે શિફ્ટ કર્યું હતું.       


સમગ્ર દેશમાં દાઉદી વ્હોરાની સંખ્યા 10 લાખની આસપાસ 

1558માં આ સમુદાયમાં વંશજ માટે વિવાદ સર્જાયો હતો. 1588માં આ સમુદાયના 30માં સૈયદનાનાં મોત પછી તેમનું વંશજ કોણ બનશે તે માટે વિવાદ ઉભો થયો હતો. દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે પદને લઈ વિવાદ છેડાયો જે બાદ વ્હોરા સમુદાય બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ભાગ થયો દાઉદી વ્હોરા અને બીજો ભાગ થયો સુલેમાની વ્હોરા. ભારતમાં આ સમુદાયના વસતીની વાત કરીએ તો દાઉદી વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે જ્યારે સુલેમાની વ્હોરાની વસતી 3 લાખ આસપાસ છે જ્યારે સમગ્ર  વિશ્વમાં દાઉદી વ્હોરાની વસતી 10 લાખ અને સુલેમાની વ્હોરાની વસતી 5 લાખ આસપાસ છે. સુલેમાની વ્હોરાની ઓફિસ યમનમાં આવી છે જ્યારે દાઉદીની ઓફિસ મુંબઈમાં આવેલી છે.     

 

વ્હોરામાં આધ્યાત્મિક ગુરૂને માનવામાં આવે છે સવોચ્ચ શક્તિ 

સૈયદનાના પદ ઉપર બેઠેલા વ્યક્તિને સમુદાયના લોકો સુપર ઓથોરિટીને સર્વોચ્ચ સત્તા માને છે. હાલ આ સમાજના લીડર ડો.સૈયદના મુફદ્લ સૈફુદ્દીન છે. 2014માં 52માં નેતા ડો. સૈયદની મોહમ્મદ બુરહાનુદ્દીનના અવસાન બાદ તેમણે આ પદ સંભાળ્યું હતું. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.