દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ગરમીને કારણે શાળાઓ માટે ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-14 17:21:19

કેરળમાં વિધિવત્ત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ભીષણ ગરમીને લઈ ઝારખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગરમીને ધ્યાનમાં રાખી ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોને 17 જૂન સુધી બંધ રાખવામાં આવશે. આ વાતની જાણકારી સરકારના સચિવ દ્વારા આપવામાં આવી છે.  

    

અનેક રાજ્યોમાં વધી રહ્યો છે તાપમાનનો પારો!

દેશના અનેક રાજ્યો એવા છે જેમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તે સિવાય બિહાર, ઝારખંડમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓડિશાના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે.  


વધતી ગરમીને લઈ ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય! 

ગરમીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યો એવા હતા કે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હિટવેવ દરમિયાન કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ઝારખંડ સરકારે વધતી ગરમીને લઈ બાળકોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્ર બહાર પાડીને ઝારખંડ સરકારે જણાવાયું હતું કે ધોરણ 8 સુધીની શાળાઓમાં 17 જૂન સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.