દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ગરમીને કારણે શાળાઓ માટે ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-14 17:21:19

કેરળમાં વિધિવત્ત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ભીષણ ગરમીને લઈ ઝારખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગરમીને ધ્યાનમાં રાખી ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોને 17 જૂન સુધી બંધ રાખવામાં આવશે. આ વાતની જાણકારી સરકારના સચિવ દ્વારા આપવામાં આવી છે.  

    

અનેક રાજ્યોમાં વધી રહ્યો છે તાપમાનનો પારો!

દેશના અનેક રાજ્યો એવા છે જેમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તે સિવાય બિહાર, ઝારખંડમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓડિશાના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે.  


વધતી ગરમીને લઈ ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય! 

ગરમીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યો એવા હતા કે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હિટવેવ દરમિયાન કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ઝારખંડ સરકારે વધતી ગરમીને લઈ બાળકોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્ર બહાર પાડીને ઝારખંડ સરકારે જણાવાયું હતું કે ધોરણ 8 સુધીની શાળાઓમાં 17 જૂન સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.