દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ગરમીને કારણે શાળાઓ માટે ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 17:21:19

કેરળમાં વિધિવત્ત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ભીષણ ગરમીને લઈ ઝારખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગરમીને ધ્યાનમાં રાખી ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોને 17 જૂન સુધી બંધ રાખવામાં આવશે. આ વાતની જાણકારી સરકારના સચિવ દ્વારા આપવામાં આવી છે.  

    

અનેક રાજ્યોમાં વધી રહ્યો છે તાપમાનનો પારો!

દેશના અનેક રાજ્યો એવા છે જેમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તે સિવાય બિહાર, ઝારખંડમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓડિશાના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે.  


વધતી ગરમીને લઈ ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય! 

ગરમીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યો એવા હતા કે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હિટવેવ દરમિયાન કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ઝારખંડ સરકારે વધતી ગરમીને લઈ બાળકોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્ર બહાર પાડીને ઝારખંડ સરકારે જણાવાયું હતું કે ધોરણ 8 સુધીની શાળાઓમાં 17 જૂન સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.       



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.