દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ગરમીને કારણે શાળાઓ માટે ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-06-14 17:21:19

કેરળમાં વિધિવત્ત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ભીષણ ગરમીને લઈ ઝારખંડ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગરમીને ધ્યાનમાં રાખી ધોરણ 8 સુધીની તમામ સ્કૂલોને 17 જૂન સુધી બંધ રાખવામાં આવશે. આ વાતની જાણકારી સરકારના સચિવ દ્વારા આપવામાં આવી છે.  

    

અનેક રાજ્યોમાં વધી રહ્યો છે તાપમાનનો પારો!

દેશના અનેક રાજ્યો એવા છે જેમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ દેશના અનેક રાજ્યો એવા પણ છે જ્યાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તે સિવાય બિહાર, ઝારખંડમાં દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓડિશાના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે.  


વધતી ગરમીને લઈ ઝારખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય! 

ગરમીને ધ્યાનમાં રાખી અનેક રાજ્યો એવા હતા કે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હિટવેવ દરમિયાન કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ઝારખંડ સરકારે વધતી ગરમીને લઈ બાળકોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. પરિપત્ર બહાર પાડીને ઝારખંડ સરકારે જણાવાયું હતું કે ધોરણ 8 સુધીની શાળાઓમાં 17 જૂન સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.