સરકારે CAPF ભરતીઓમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, જાણો શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-04-07 18:43:43

અગ્નિવીરો માટે સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની નવી શ્રેણી બનાવવાની મંજૂરી આપી છે. નિશ્ચિતપણે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા પગલાથી અગ્નિવીરોને રાહત મળશે અને તેમને ફાયદો થશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં જ  1.30 લાખ કોન્સ્ટેબલની ભરતી કરશે. તેમાંથી 10 ટકા પોસ્ટ અગ્નિવીરો માટે અનામત હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કુલ 1,29,929 પદોમાંથી 1,25,262 પુરૂષો અને 4,667 મહિલા ઉમેદવારો માટે હશે. 


આ છે યોગ્યતાના માપદંડ 


ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખવામાં આવી છે. આ ભરતી જનરલ ક્યુટી કેડરના કોન્સ્ટેબલની જગ્યાઓ માટે છે. તેમને સામાન્ય કેન્દ્રીય સેવામાં ગ્રુપ-સી નોન-ગેઝેટેડ કેટેગરીમાં મૂકવામાં આવશે. તમામ ખાલી જગ્યાઓ ભારતીય નાગરિકો માટે છે. નિવૃત્તિ 60 વર્ષની ઉંમરે થશે, વય મર્યાદા 18 થી 23 વર્ષ રાખવામાં આવી છે.


અનામત ઉમેદવારોને મળશે આ લાભ


સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, પ્રથમ બેચને મહત્તમ પાંચ વર્ષની અને ભૂતપૂર્વ અગ્નિવીરોને ત્રણ વર્ષ સુધીની વયમાં છૂટછાટ મળશે. તેઓએ શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ (PET)માંથી પણ પસાર થવું પડશે નહીં. SC-ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે. તે સાથે જ PM મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. તેમાંથી સૌથી વધુ 50 હજાર નોકરીઓ રેલવે વિભાગમાં છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.