સરકારે CAPF ભરતીઓમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, જાણો શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-04-07 18:43:43

અગ્નિવીરો માટે સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની નવી શ્રેણી બનાવવાની મંજૂરી આપી છે. નિશ્ચિતપણે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા પગલાથી અગ્નિવીરોને રાહત મળશે અને તેમને ફાયદો થશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં જ  1.30 લાખ કોન્સ્ટેબલની ભરતી કરશે. તેમાંથી 10 ટકા પોસ્ટ અગ્નિવીરો માટે અનામત હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, કુલ 1,29,929 પદોમાંથી 1,25,262 પુરૂષો અને 4,667 મહિલા ઉમેદવારો માટે હશે. 


આ છે યોગ્યતાના માપદંડ 


ઉમેદવારો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખવામાં આવી છે. આ ભરતી જનરલ ક્યુટી કેડરના કોન્સ્ટેબલની જગ્યાઓ માટે છે. તેમને સામાન્ય કેન્દ્રીય સેવામાં ગ્રુપ-સી નોન-ગેઝેટેડ કેટેગરીમાં મૂકવામાં આવશે. તમામ ખાલી જગ્યાઓ ભારતીય નાગરિકો માટે છે. નિવૃત્તિ 60 વર્ષની ઉંમરે થશે, વય મર્યાદા 18 થી 23 વર્ષ રાખવામાં આવી છે.


અનામત ઉમેદવારોને મળશે આ લાભ


સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, પ્રથમ બેચને મહત્તમ પાંચ વર્ષની અને ભૂતપૂર્વ અગ્નિવીરોને ત્રણ વર્ષ સુધીની વયમાં છૂટછાટ મળશે. તેઓએ શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ (PET)માંથી પણ પસાર થવું પડશે નહીં. SC-ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અને OBCને ત્રણ વર્ષની છૂટ મળશે. તે સાથે જ PM મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપશે. તેમાંથી સૌથી વધુ 50 હજાર નોકરીઓ રેલવે વિભાગમાં છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.