ઈંડિગો એરલાઈન્સ ફરી આવી ચર્ચામાં, જાણો પેસેન્જરે ફ્લાઈટમાં એવી શું હરકત કરી કે તેની વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-31 17:35:16

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી કિસ્સાઓ સામે અવારનવાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ફરી એક વખત ફ્લાઈટથી ન્યુઝ સામે આવી છે જેમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી હતી. ફ્લાઈટમાં સિગરેટ પીવાની કોઈ સુવિધા નથી હોતી. એટલે જ્યારે પેસેન્જરે સિગરેટને સળગાવી ત્યારે ફાયર એલાર્મ વાગ્યું હતું. જેને લઈ ફ્લાઈટમાં હોબાળો થયો હતો. આ સમગ્ર ઘટના ઈન્ડિગો ફ્લાઈટમાં બની હતી. 


ફ્લાઈટમાં પેસેન્જરે સળગાવી દીધી સિગરેટ 

ફરી એક વખત ઈન્ડિગો ફ્લાઈટ ચર્ચામાં આવી છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જરે હોબાળો કર્યો હતો. ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની મનાઈ હોય છે. પરંતુ આ પેસેન્જરે ટોઈલેટમાં જઈ સિગરેટ સળગાવી દીધી. જેને કારણે ફાયર એલાર્મ વાગ્યું. ફાયર એલાર્મ વાગતા ક્રૂ મેમ્બર અને પેસેન્જરો એલર્ટ થઈ ગયા હતા. 


પેસેન્જર વિરૂદ્ધ કરવામાં  આવી કાર્યવાહી 

ફાયર એલાર્મ વાગતા ઉડતી ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે એક પેસેન્જર ટોઈલેટમાં બેસી સિગરેટ પી રહ્યો હતો. તરત જ સિગરેટને બુઝાવી દેવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતા જ પેસેન્જરને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. પેસેન્જર વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર પેસેન્જરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.    

  

આ પહેલા પણ ઈન્ડિગો ફ્લાઈટ આવી છે ચર્ચામાં 

નશામાં ધૂત પેસેન્જરો એવી હરકતો કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. 26 માર્ચે ગુવાહટીથી દિલ્હી જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જરે ઉલટી કરી લીધી હતી. તે પહેલા પણ 26 નવેમ્બરે પણ એવી ઘટના બની હતી જેની ચર્ચાઓ અનેક જગ્યાઓ પર થઈ હતી. નશામાં ધૂત એક પેસેન્જરે બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધી હતી. આ વાતને લઈ પણ ઘણો હોબાળો થયો હતો. પોલીસે પેસાબ કરનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.    


જો પેસેન્જર સ્મોકિંગ કરતા પકડાય તો શું થાય કાર્યવાહી?

જો તમે ફ્લાઈટમાં સિગરેટ પીતા પકડાવ છો તો તમારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ફ્લાઈટમાં સ્મોકિંગને લઈને નિયમની વાત કરીએ તો ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1937ના સેક્શન 25માં જણાવાયું છે કે ફ્લાઈટમાં સ્મોકિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે તમે ફ્લાઈટમાં સ્મોકિંગ નહીં કરી શકો. જો કોઈ પેસેન્જર ધ્રૂમપાન કરતા ઝડપાય છે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ શકે છે. નિયમો અનુસાર ફ્લાઈટમાં હંગામો કરવો, ધ્રૂમપાન કરવું, દુર્વ્યવહાર કરતા કોઈ પેસેન્જર પકડાય છે તો પેસેન્જરને મુસાફરી કરતા અટકાવાઈ શકાય છે. વિમાનમાંથી પણ ઉતારાઈ શકાય છે.   


રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.