ઈંડિગો એરલાઈન્સ ફરી આવી ચર્ચામાં, જાણો પેસેન્જરે ફ્લાઈટમાં એવી શું હરકત કરી કે તેની વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-03-31 17:35:16

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી કિસ્સાઓ સામે અવારનવાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ફરી એક વખત ફ્લાઈટથી ન્યુઝ સામે આવી છે જેમાં એક પેસેન્જરે સિગરેટ સળગાવી હતી. ફ્લાઈટમાં સિગરેટ પીવાની કોઈ સુવિધા નથી હોતી. એટલે જ્યારે પેસેન્જરે સિગરેટને સળગાવી ત્યારે ફાયર એલાર્મ વાગ્યું હતું. જેને લઈ ફ્લાઈટમાં હોબાળો થયો હતો. આ સમગ્ર ઘટના ઈન્ડિગો ફ્લાઈટમાં બની હતી. 


ફ્લાઈટમાં પેસેન્જરે સળગાવી દીધી સિગરેટ 

ફરી એક વખત ઈન્ડિગો ફ્લાઈટ ચર્ચામાં આવી છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જરે હોબાળો કર્યો હતો. ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની મનાઈ હોય છે. પરંતુ આ પેસેન્જરે ટોઈલેટમાં જઈ સિગરેટ સળગાવી દીધી. જેને કારણે ફાયર એલાર્મ વાગ્યું. ફાયર એલાર્મ વાગતા ક્રૂ મેમ્બર અને પેસેન્જરો એલર્ટ થઈ ગયા હતા. 


પેસેન્જર વિરૂદ્ધ કરવામાં  આવી કાર્યવાહી 

ફાયર એલાર્મ વાગતા ઉડતી ફ્લાઈટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે એક પેસેન્જર ટોઈલેટમાં બેસી સિગરેટ પી રહ્યો હતો. તરત જ સિગરેટને બુઝાવી દેવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતા જ પેસેન્જરને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. પેસેન્જર વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર પેસેન્જરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.    

  

આ પહેલા પણ ઈન્ડિગો ફ્લાઈટ આવી છે ચર્ચામાં 

નશામાં ધૂત પેસેન્જરો એવી હરકતો કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. 26 માર્ચે ગુવાહટીથી દિલ્હી જઈ રહેલી ઈંડિગોની ફ્લાઈટમાં એક પેસેન્જરે ઉલટી કરી લીધી હતી. તે પહેલા પણ 26 નવેમ્બરે પણ એવી ઘટના બની હતી જેની ચર્ચાઓ અનેક જગ્યાઓ પર થઈ હતી. નશામાં ધૂત એક પેસેન્જરે બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેસાબ કરી દીધી હતી. આ વાતને લઈ પણ ઘણો હોબાળો થયો હતો. પોલીસે પેસાબ કરનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.    


જો પેસેન્જર સ્મોકિંગ કરતા પકડાય તો શું થાય કાર્યવાહી?

જો તમે ફ્લાઈટમાં સિગરેટ પીતા પકડાવ છો તો તમારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ફ્લાઈટમાં સ્મોકિંગને લઈને નિયમની વાત કરીએ તો ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1937ના સેક્શન 25માં જણાવાયું છે કે ફ્લાઈટમાં સ્મોકિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે તમે ફ્લાઈટમાં સ્મોકિંગ નહીં કરી શકો. જો કોઈ પેસેન્જર ધ્રૂમપાન કરતા ઝડપાય છે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ શકે છે. નિયમો અનુસાર ફ્લાઈટમાં હંગામો કરવો, ધ્રૂમપાન કરવું, દુર્વ્યવહાર કરતા કોઈ પેસેન્જર પકડાય છે તો પેસેન્જરને મુસાફરી કરતા અટકાવાઈ શકાય છે. વિમાનમાંથી પણ ઉતારાઈ શકાય છે.   


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.