NIAનો સપાટો, 3 રાજ્યમાં 60 જગ્યાએ દરોડા, ISIS શકમંદો સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-15 13:10:27

તમિલનાડુના કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એક્શનમાં આવી છે. NIAની ટીમ દ્વારા તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકી હુમલાની આશંકા વચ્ચે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ શંકાસ્પદ ISIS શકમંદોને શોધવા માટે તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં 60 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ કર્ણાટકમાં પણ 45થી વધુ સ્થળો પર જ્યારે કેરળમાં કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ISIS પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા સ્લિપર સેલને શોધવા માટે આ તલાસી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


કોઈમ્બતુરમાં થયો હતો વિષ્ફોટ


કાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાને પગલે તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં ગયા વર્ષે 23 ઓક્ટોબરના રોજ ઉક્કડમ વિસ્તારમાં કોટ્ટાઈમેડુ ખાતે કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. દિવાળીના એક દિવસ પહેલા થયેલા બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ કેસમાં 11 આરોપીઓની આતંકવાદ વિરોધી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


જેમ્સ મુબીનના ઘરમાંથી વિસ્ફોટકો મળ્યા


તમિલનાડુ પોલીસે મુબીનના ઘરમાંથી 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. મુબીનને વિસ્ફોટકો મેળવવામાં અને તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.