NIAનો સપાટો, 3 રાજ્યમાં 60 જગ્યાએ દરોડા, ISIS શકમંદો સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-15 13:10:27

તમિલનાડુના કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એક્શનમાં આવી છે. NIAની ટીમ દ્વારા તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકી હુમલાની આશંકા વચ્ચે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ શંકાસ્પદ ISIS શકમંદોને શોધવા માટે તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં 60 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ કર્ણાટકમાં પણ 45થી વધુ સ્થળો પર જ્યારે કેરળમાં કેટલાક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ISIS પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા સ્લિપર સેલને શોધવા માટે આ તલાસી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 


કોઈમ્બતુરમાં થયો હતો વિષ્ફોટ


કાર સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાને પગલે તમિલનાડુના ઉક્કડમ વિસ્તારમાં ગયા વર્ષે 23 ઓક્ટોબરના રોજ ઉક્કડમ વિસ્તારમાં કોટ્ટાઈમેડુ ખાતે કોટ્ટાઈ ઈશ્વરન મંદિરની સામે એક કારમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી જેમ્સ મુબીન માર્યો ગયો હતો. દિવાળીના એક દિવસ પહેલા થયેલા બ્લાસ્ટથી એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. આ કેસમાં 11 આરોપીઓની આતંકવાદ વિરોધી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


જેમ્સ મુબીનના ઘરમાંથી વિસ્ફોટકો મળ્યા


તમિલનાડુ પોલીસે મુબીનના ઘરમાંથી 75 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ સાથે ISISના ઝંડાની તસવીર સહિત દસ્તાવેજો અને ઘણી સંવેદનશીલ સામગ્રી મળી આવી છે. મુબીનને વિસ્ફોટકો મેળવવામાં અને તેને તેના ભાડાના મકાનમાંથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરવા બદલ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.