જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ આપ્યું નિવેદન, કહ્યું ઈસલામ સૌથી જૂનો ધર્મ છે


  • Published By :
  • Published Date : 2023-02-11 16:42:29

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મહમૂદ મદનીએ કહ્યું કે ભાજપ અને આરએસએસથી અમારી કોઈ ધાર્મિક મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે. તેમણે કહ્યું કે ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું જ મદનીનું પણ છે. આ નિવેદન તેમણે જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે વિવિધ સામાજીક જૂથો, સમુદાયો અને દેશના તમામ વર્ગો સાથે સંબંધિત છે.


આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે - મદની  

શનિવારના રોજ આયોજીત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં મહમૂદ મદનીએ નિવેદન આપ્યું હતું કે મારી નજરમાં હિંદુ અને મુસલમાન બરાબર છે. તેમણે કહ્યું કે આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ આપણા બહુમતીવાદને અવગણીને જે પણ કાયદાઓ પસાર થશે તેની સીધી અસર દેશની એકતા, વિવિધતા અને અખંડિતતા પર પડશે. 


આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે - મહેમૂદ

પોતાના સંબોધનમાં તેમણેએ પણ કહ્યું કે આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે. એવું કહેવું કે ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો છે તે કહેવું ખોટુ છે અને નિરાધાર છે. ઈસ્લામ ધર્મ બધા ધર્મો કરતા સૌથી જૂનો ધર્મ છે. ભારત સૌથી સારો દેશ છે પરંતુ અહિંયા મુસ્લિમ વિરુદ્ધ નફરતના કિસ્સા સતત વધી રહ્યા છે. હાલના દિવસોમાં ઈસ્લામફોબિયા સતત વધી રહ્યો છે.      


ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું મદનીનું પણ છે  - મહમૂદ       

સમાન નાગરિક મુદ્દાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોર્ડ માત્ર મુસ્લમાનોનો મુદ્દો નથી, પરંતુ દેશના અલગ અલગ સામાજીક સમૂહો, સમૂદાય, જાતિયો અને બધા વર્ણોથી સંબંધિત છે. તેમણેએ પણ કહ્યું કે અમે આરએસએસના સંચાલકને આમંત્રણ આપી છીએ કે આપસી મતભેદ અને દૂશ્મની ભૂલાવી એક બીજાને ગળે લગાવીએ અને દેશને દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી તો તમારે પણ ઈસ્લામ ધર્મથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને આરએસએસથી અમારા કોઈ ધાર્મિક મતભેદ નથી પરંતુ વૈચારિક મતભેદ છે. ભારત જેટલું મોદી અને ભાગવતનું છે એટલું જ મદનીનું પણ છે.     




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.