જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ આપ્યું નિવેદન, કહ્યું ઈસલામ સૌથી જૂનો ધર્મ છે


  • Published By :
  • Published Date : 2023-02-11 16:42:29

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મહમૂદ મદનીએ કહ્યું કે ભાજપ અને આરએસએસથી અમારી કોઈ ધાર્મિક મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે. તેમણે કહ્યું કે ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું જ મદનીનું પણ છે. આ નિવેદન તેમણે જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે વિવિધ સામાજીક જૂથો, સમુદાયો અને દેશના તમામ વર્ગો સાથે સંબંધિત છે.


આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે - મદની  

શનિવારના રોજ આયોજીત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં મહમૂદ મદનીએ નિવેદન આપ્યું હતું કે મારી નજરમાં હિંદુ અને મુસલમાન બરાબર છે. તેમણે કહ્યું કે આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ આપણા બહુમતીવાદને અવગણીને જે પણ કાયદાઓ પસાર થશે તેની સીધી અસર દેશની એકતા, વિવિધતા અને અખંડિતતા પર પડશે. 


આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે - મહેમૂદ

પોતાના સંબોધનમાં તેમણેએ પણ કહ્યું કે આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે. એવું કહેવું કે ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો છે તે કહેવું ખોટુ છે અને નિરાધાર છે. ઈસ્લામ ધર્મ બધા ધર્મો કરતા સૌથી જૂનો ધર્મ છે. ભારત સૌથી સારો દેશ છે પરંતુ અહિંયા મુસ્લિમ વિરુદ્ધ નફરતના કિસ્સા સતત વધી રહ્યા છે. હાલના દિવસોમાં ઈસ્લામફોબિયા સતત વધી રહ્યો છે.      


ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું મદનીનું પણ છે  - મહમૂદ       

સમાન નાગરિક મુદ્દાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોર્ડ માત્ર મુસ્લમાનોનો મુદ્દો નથી, પરંતુ દેશના અલગ અલગ સામાજીક સમૂહો, સમૂદાય, જાતિયો અને બધા વર્ણોથી સંબંધિત છે. તેમણેએ પણ કહ્યું કે અમે આરએસએસના સંચાલકને આમંત્રણ આપી છીએ કે આપસી મતભેદ અને દૂશ્મની ભૂલાવી એક બીજાને ગળે લગાવીએ અને દેશને દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી તો તમારે પણ ઈસ્લામ ધર્મથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને આરએસએસથી અમારા કોઈ ધાર્મિક મતભેદ નથી પરંતુ વૈચારિક મતભેદ છે. ભારત જેટલું મોદી અને ભાગવતનું છે એટલું જ મદનીનું પણ છે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.