જમીયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ આપ્યું નિવેદન, કહ્યું ઈસલામ સૌથી જૂનો ધર્મ છે


  • Published By :
  • Published Date : 2023-02-11 16:42:29

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મહમૂદ મદનીએ કહ્યું કે ભાજપ અને આરએસએસથી અમારી કોઈ ધાર્મિક મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે. તેમણે કહ્યું કે ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું જ મદનીનું પણ છે. આ નિવેદન તેમણે જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં આપ્યું હતું. ઉપરાંત તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા માત્ર મુસ્લિમોનો મુદ્દો નથી, પરંતુ તે વિવિધ સામાજીક જૂથો, સમુદાયો અને દેશના તમામ વર્ગો સાથે સંબંધિત છે.


આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે - મદની  

શનિવારના રોજ આયોજીત જમીયત ઉલેમા-એ-હિંદના 34માં અધિવેશનમાં મહમૂદ મદનીએ નિવેદન આપ્યું હતું કે મારી નજરમાં હિંદુ અને મુસલમાન બરાબર છે. તેમણે કહ્યું કે આપણો દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ આપણા બહુમતીવાદને અવગણીને જે પણ કાયદાઓ પસાર થશે તેની સીધી અસર દેશની એકતા, વિવિધતા અને અખંડિતતા પર પડશે. 


આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે - મહેમૂદ

પોતાના સંબોધનમાં તેમણેએ પણ કહ્યું કે આ ભૂમિ મુસલમાનોની પહેલી માતૃભૂમિ છે. એવું કહેવું કે ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો છે તે કહેવું ખોટુ છે અને નિરાધાર છે. ઈસ્લામ ધર્મ બધા ધર્મો કરતા સૌથી જૂનો ધર્મ છે. ભારત સૌથી સારો દેશ છે પરંતુ અહિંયા મુસ્લિમ વિરુદ્ધ નફરતના કિસ્સા સતત વધી રહ્યા છે. હાલના દિવસોમાં ઈસ્લામફોબિયા સતત વધી રહ્યો છે.      


ભારત જેટલું મોદી અને ભાગવતનું છે તેટલું મદનીનું પણ છે  - મહમૂદ       

સમાન નાગરિક મુદ્દાને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોર્ડ માત્ર મુસ્લમાનોનો મુદ્દો નથી, પરંતુ દેશના અલગ અલગ સામાજીક સમૂહો, સમૂદાય, જાતિયો અને બધા વર્ણોથી સંબંધિત છે. તેમણેએ પણ કહ્યું કે અમે આરએસએસના સંચાલકને આમંત્રણ આપી છીએ કે આપસી મતભેદ અને દૂશ્મની ભૂલાવી એક બીજાને ગળે લગાવીએ અને દેશને દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી તો તમારે પણ ઈસ્લામ ધર્મથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને આરએસએસથી અમારા કોઈ ધાર્મિક મતભેદ નથી પરંતુ વૈચારિક મતભેદ છે. ભારત જેટલું મોદી અને ભાગવતનું છે એટલું જ મદનીનું પણ છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.