જમ્મુ-કાશ્મીર: પુંછમાં આતંકવાદીઓના ગ્રેનેડ હુમલામાં આર્મીની ટ્રકમાં આગ લાગી, 5 જવાન શહીદ, 1 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-04-20 21:13:31

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય સેનાના વાહનમાં આગ લાગતાં પાંચ જવાનો શહીદ થયા હતા. વાસ્તવમાં તે વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. મોડી સાંજે આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેનાના એક વાહન પર આતંકી હુમલો થયો હતો. સેનાએ કહ્યું છે કે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ બેર ગલી અને પૂંચ વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડના કારણે વાહનમાં આગ લાગી હોવાની આશંકા છે.


આતંકી સંગઠન PAFFએ જવાબદારી લીધી


બીજી તરફ આ આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ PAFF (PAFF)એ લીધી છે. PAFFએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બદવાયેલું સ્વરૂપ છે. જે આ પહેલા પણ ઘણા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે.


પાંચ જવાન શહીદ, એક ઘાયલ


મળતી માહિતી મુજબ, ગુરુવારે બપોરે લગભગ 3 વાગે પૂંચ જિલ્લાના ભટાદુરિયા વિસ્તારમાં સેનાના એક પેટ્રોલિંગ વાહનમાં આગ લાગી હતી. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને એક ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સેના અને પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ સાંજે સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.


સેનાએ આપ્યું આ નિવેદન


સેનાના પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું હતું કે સેનાનું આરઆર વાહન બિમ્બર ગલીથી પૂંચ તરફ જઈ રહ્યું હતું. લગભગ 3 વાગ્યે આ વિસ્તારમાં તેના પર આતંકી હુમલો થયો હતો. ભારે વરસાદનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓએ વાહન પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે જવાનોને સંભાળવાનો મોકો મળ્યો ન હતો. જેના કારણે વાહનમાં આગ લાગી હતી અને વાહનમાં હાજર 6 જવાન ઘાયલ થયા હતા. જેમાં પાંચ જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. એક ઘાયલને સારવાર માટે રાજૌરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.