જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2022માં 187 આતંકવાદીઓ ઠાર, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-08 18:05:01

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં 187 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીના એક લેખિત સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. નિત્યાનંદે વધુ માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મિરમાં 111 આતંક વિરોધી ઓપરેશન્સ ચલાવ્યા હતા. 


નિત્યાનંદ રાયએ શું જાણકારી આપી?


કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ પણ જણાવ્યું કે વર્ષ 2022માં 125 આતંકવાદી ઘટનાઓ બની હતી. તે સાથે જ 2022માં જમ્મૂ-કશ્મીરમાં 117 વખત આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. નિત્યાનંદ રાયે જણાવ્યું કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 180 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને 95 આતંક વિરોધી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. તે સાથે જ 2021માં કુલ મળીને 100 અથડામણ અને 129 આતંકવાદી ઘટનાઓની જાણકારી મળી હતી.



લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.