જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2022માં 187 આતંકવાદીઓ ઠાર, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-08 18:05:01

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં 187 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીના એક લેખિત સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. નિત્યાનંદે વધુ માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મિરમાં 111 આતંક વિરોધી ઓપરેશન્સ ચલાવ્યા હતા. 


નિત્યાનંદ રાયએ શું જાણકારી આપી?


કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ પણ જણાવ્યું કે વર્ષ 2022માં 125 આતંકવાદી ઘટનાઓ બની હતી. તે સાથે જ 2022માં જમ્મૂ-કશ્મીરમાં 117 વખત આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. નિત્યાનંદ રાયે જણાવ્યું કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 180 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને 95 આતંક વિરોધી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. તે સાથે જ 2021માં કુલ મળીને 100 અથડામણ અને 129 આતંકવાદી ઘટનાઓની જાણકારી મળી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.