જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ 2022માં 187 આતંકવાદીઓ ઠાર, કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-08 18:05:01

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં 187 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીના એક લેખિત સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. નિત્યાનંદે વધુ માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મિરમાં 111 આતંક વિરોધી ઓપરેશન્સ ચલાવ્યા હતા. 


નિત્યાનંદ રાયએ શું જાણકારી આપી?


કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ પણ જણાવ્યું કે વર્ષ 2022માં 125 આતંકવાદી ઘટનાઓ બની હતી. તે સાથે જ 2022માં જમ્મૂ-કશ્મીરમાં 117 વખત આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. નિત્યાનંદ રાયે જણાવ્યું કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 180 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને 95 આતંક વિરોધી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. તે સાથે જ 2021માં કુલ મળીને 100 અથડામણ અને 129 આતંકવાદી ઘટનાઓની જાણકારી મળી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.