પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી ધરપકડ, ગુજરાતના ઠગે અનેક અધિકારીઓ સાથે કરી હતી બેઠકો


  • Published By :
  • Published Date : 2023-03-17 15:06:04

જમ્મુ-કાશ્મીર પોલીસે અમદાવાદમાં રહેતા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. પીએમઓના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ બતાવી વીઆઈપી સુવિધાઓનો લાભ લેતા કિરણ પટેલના રાજનેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. ઠગ અધિકારી બની બેઠેલા કિરણ પટેલે મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક બેઠકો કરી હતી. સોશિયલ મીડિયા પર કિરણ પટેલના અમિત શાહ સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ચાર્ટર્ડ પ્લેન સાથેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોને ઈમ્પ્રેસ કરવા કિરણ પટેલે પીએમઓના અધિકારી તરીકેનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પણ પોતાની ઓળખ પીએમઓ અધિકારી તરીકેની બતાવી હતી અને તમામ પ્રકારની વીઆઈપી સુવિધાઓ લીધી હતી.

    


પીએમઓ અધિકારી બની લીધી તમામ વીઆઈપી સુવિધા   

ગુજરાતના રહેવાસીની ધરપકડ જમ્મુ-કાશ્મીરમાંથી કરવામાં આવી છે. વાત એમ છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના નિવાસી કિરણ પટેલે પોતાને પીએમઓ ઓફિસર હોવાનું જણાવ્યું અને મળતી તમામ ફેસિલિટી લીધી હતી. પોતાને તેણે પીએમઓનું એડિશનલ ડાયરેક્ટર બતાવ્યો અને ઠગે ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટ પ્રૂફ એસયુવી સહિત અનેક સુવિધાઓનો લાભ લીધો હતો. ત્યારે લોકો કહી રહ્યા છે કે આવા લોકો પીએમ અને ગુજરાત બંનેનું નામ બગાડશે.



કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

પોલીસને શંકા જતા ઠગને લઈ તપાસ શરૂ કરી હતી         

જે ઠગ વ્યક્તિએ પીએમઓના અધિકારી હોવાનું જણાવ્યું હતું તેની ધરપકડ 10 દિવસ પહેલા કરવામાં આવી હતી. પોલીસને શંકા જતા આ અંગે તપાસ કરાઈ હતી પરંતુ આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ પોલીસે ખુલાસો કર્યો કે ગુરૂવારે પોલીસે આ ઠગની ધરપકડ કરી લીધી છે. શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી અને જે દરમિયાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને લઈ માહિતી એકત્ર કરવામાં આવી હતી.  પોલીસની તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે પોતાને પીએમઓ અધિકારી બતાવનાર કિરણ પટેલ અમદાવાદના ઈસનપુરનો નિવાસી છે. થોડા સમય પહેલા સીંધુભવન ખાતે નવો બંગલો લીધો હતો.    

PMOનું આઈડી કાર્ડ.

સોશિયલ મીડિયા પર પીએચડી કર્યું હોવાનો ઉલ્લેખ  

પોતાના ટ્વિટરના બાયોમાં તેણે પીએચડી કર્યું હોવાનું લખ્યું છે. આ અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે. આ ઠગે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. પોતાના પ્રવાસ દરમિયાન વીઆઈપી સુવિધાઓ લીધી હતી જેમાં બુલેટપ્રુફ ગાડી, ઝેડ પ્લસ સિક્યોરિટીનો સમાવેશ થાય છે. પોતાના પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં સીઆરપીએફ જવાનો પણ જોવા મળે છે.  

   

પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફર્યો કાશ્મીરમાં 

આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પીએમઓ ઓફિસર બની અનેક અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. એડિશનલ ડાયરેક્ટર બનીને તેણે જમ્મુ કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન પણ મેળવ્યું હતું. પોલીસ પ્રોટેક્શન લઈ અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઠગે શ્રીનગરના લાલચોક તેમજ ગુલમર્ગની પણ  મુલાકાત લીધી હતી. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર પોલીસને નકલી અધિકારી અંગેની માહિતી મળતા હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.   


કિરણ પટેલ પર લાગેલા છે ઠગાઈના આરોપ  

આ અંગે તેમના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે જણાવ્યું કે કિરણ કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ છે તે તો બધા પતી ગયા છે અને કેસ પણ ક્લોઝ થઈ ગયા છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે કિરણ પટેલ વિરૂદ્ધ 6-7 વર્ષ પહેલા કરોડો રુપિયાની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે. વિવિધ કલમો અંતર્ગત તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.