પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી ધરપકડ, ગુજરાતના ઠગે અનેક અધિકારીઓ સાથે કરી હતી બેઠકો


  • Published By :
  • Published Date : 2023-03-17 15:06:04

જમ્મુ-કાશ્મીર પોલીસે અમદાવાદમાં રહેતા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. પીએમઓના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ બતાવી વીઆઈપી સુવિધાઓનો લાભ લેતા કિરણ પટેલના રાજનેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. ઠગ અધિકારી બની બેઠેલા કિરણ પટેલે મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક બેઠકો કરી હતી. સોશિયલ મીડિયા પર કિરણ પટેલના અમિત શાહ સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ચાર્ટર્ડ પ્લેન સાથેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોને ઈમ્પ્રેસ કરવા કિરણ પટેલે પીએમઓના અધિકારી તરીકેનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પણ પોતાની ઓળખ પીએમઓ અધિકારી તરીકેની બતાવી હતી અને તમામ પ્રકારની વીઆઈપી સુવિધાઓ લીધી હતી.

    


પીએમઓ અધિકારી બની લીધી તમામ વીઆઈપી સુવિધા   

ગુજરાતના રહેવાસીની ધરપકડ જમ્મુ-કાશ્મીરમાંથી કરવામાં આવી છે. વાત એમ છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના નિવાસી કિરણ પટેલે પોતાને પીએમઓ ઓફિસર હોવાનું જણાવ્યું અને મળતી તમામ ફેસિલિટી લીધી હતી. પોતાને તેણે પીએમઓનું એડિશનલ ડાયરેક્ટર બતાવ્યો અને ઠગે ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટ પ્રૂફ એસયુવી સહિત અનેક સુવિધાઓનો લાભ લીધો હતો. ત્યારે લોકો કહી રહ્યા છે કે આવા લોકો પીએમ અને ગુજરાત બંનેનું નામ બગાડશે.



કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

પોલીસને શંકા જતા ઠગને લઈ તપાસ શરૂ કરી હતી         

જે ઠગ વ્યક્તિએ પીએમઓના અધિકારી હોવાનું જણાવ્યું હતું તેની ધરપકડ 10 દિવસ પહેલા કરવામાં આવી હતી. પોલીસને શંકા જતા આ અંગે તપાસ કરાઈ હતી પરંતુ આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ પોલીસે ખુલાસો કર્યો કે ગુરૂવારે પોલીસે આ ઠગની ધરપકડ કરી લીધી છે. શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી અને જે દરમિયાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને લઈ માહિતી એકત્ર કરવામાં આવી હતી.  પોલીસની તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે પોતાને પીએમઓ અધિકારી બતાવનાર કિરણ પટેલ અમદાવાદના ઈસનપુરનો નિવાસી છે. થોડા સમય પહેલા સીંધુભવન ખાતે નવો બંગલો લીધો હતો.    

PMOનું આઈડી કાર્ડ.

સોશિયલ મીડિયા પર પીએચડી કર્યું હોવાનો ઉલ્લેખ  

પોતાના ટ્વિટરના બાયોમાં તેણે પીએચડી કર્યું હોવાનું લખ્યું છે. આ અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે. આ ઠગે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. પોતાના પ્રવાસ દરમિયાન વીઆઈપી સુવિધાઓ લીધી હતી જેમાં બુલેટપ્રુફ ગાડી, ઝેડ પ્લસ સિક્યોરિટીનો સમાવેશ થાય છે. પોતાના પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં સીઆરપીએફ જવાનો પણ જોવા મળે છે.  

   

પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફર્યો કાશ્મીરમાં 

આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પીએમઓ ઓફિસર બની અનેક અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. એડિશનલ ડાયરેક્ટર બનીને તેણે જમ્મુ કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન પણ મેળવ્યું હતું. પોલીસ પ્રોટેક્શન લઈ અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઠગે શ્રીનગરના લાલચોક તેમજ ગુલમર્ગની પણ  મુલાકાત લીધી હતી. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર પોલીસને નકલી અધિકારી અંગેની માહિતી મળતા હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.   


કિરણ પટેલ પર લાગેલા છે ઠગાઈના આરોપ  

આ અંગે તેમના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે જણાવ્યું કે કિરણ કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ છે તે તો બધા પતી ગયા છે અને કેસ પણ ક્લોઝ થઈ ગયા છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે કિરણ પટેલ વિરૂદ્ધ 6-7 વર્ષ પહેલા કરોડો રુપિયાની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે. વિવિધ કલમો અંતર્ગત તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.