પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી ધરપકડ, ગુજરાતના ઠગે અનેક અધિકારીઓ સાથે કરી હતી બેઠકો


  • Published By :
  • Published Date : 2023-03-17 15:06:04

જમ્મુ-કાશ્મીર પોલીસે અમદાવાદમાં રહેતા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. પીએમઓના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ બતાવી વીઆઈપી સુવિધાઓનો લાભ લેતા કિરણ પટેલના રાજનેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. ઠગ અધિકારી બની બેઠેલા કિરણ પટેલે મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક બેઠકો કરી હતી. સોશિયલ મીડિયા પર કિરણ પટેલના અમિત શાહ સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ચાર્ટર્ડ પ્લેન સાથેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોને ઈમ્પ્રેસ કરવા કિરણ પટેલે પીએમઓના અધિકારી તરીકેનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પણ પોતાની ઓળખ પીએમઓ અધિકારી તરીકેની બતાવી હતી અને તમામ પ્રકારની વીઆઈપી સુવિધાઓ લીધી હતી.

    


પીએમઓ અધિકારી બની લીધી તમામ વીઆઈપી સુવિધા   

ગુજરાતના રહેવાસીની ધરપકડ જમ્મુ-કાશ્મીરમાંથી કરવામાં આવી છે. વાત એમ છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના નિવાસી કિરણ પટેલે પોતાને પીએમઓ ઓફિસર હોવાનું જણાવ્યું અને મળતી તમામ ફેસિલિટી લીધી હતી. પોતાને તેણે પીએમઓનું એડિશનલ ડાયરેક્ટર બતાવ્યો અને ઠગે ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટ પ્રૂફ એસયુવી સહિત અનેક સુવિધાઓનો લાભ લીધો હતો. ત્યારે લોકો કહી રહ્યા છે કે આવા લોકો પીએમ અને ગુજરાત બંનેનું નામ બગાડશે.



કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

પોલીસને શંકા જતા ઠગને લઈ તપાસ શરૂ કરી હતી         

જે ઠગ વ્યક્તિએ પીએમઓના અધિકારી હોવાનું જણાવ્યું હતું તેની ધરપકડ 10 દિવસ પહેલા કરવામાં આવી હતી. પોલીસને શંકા જતા આ અંગે તપાસ કરાઈ હતી પરંતુ આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ પોલીસે ખુલાસો કર્યો કે ગુરૂવારે પોલીસે આ ઠગની ધરપકડ કરી લીધી છે. શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી અને જે દરમિયાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને લઈ માહિતી એકત્ર કરવામાં આવી હતી.  પોલીસની તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે પોતાને પીએમઓ અધિકારી બતાવનાર કિરણ પટેલ અમદાવાદના ઈસનપુરનો નિવાસી છે. થોડા સમય પહેલા સીંધુભવન ખાતે નવો બંગલો લીધો હતો.    

PMOનું આઈડી કાર્ડ.

સોશિયલ મીડિયા પર પીએચડી કર્યું હોવાનો ઉલ્લેખ  

પોતાના ટ્વિટરના બાયોમાં તેણે પીએચડી કર્યું હોવાનું લખ્યું છે. આ અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે. આ ઠગે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. પોતાના પ્રવાસ દરમિયાન વીઆઈપી સુવિધાઓ લીધી હતી જેમાં બુલેટપ્રુફ ગાડી, ઝેડ પ્લસ સિક્યોરિટીનો સમાવેશ થાય છે. પોતાના પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં સીઆરપીએફ જવાનો પણ જોવા મળે છે.  

   

પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફર્યો કાશ્મીરમાં 

આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પીએમઓ ઓફિસર બની અનેક અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. એડિશનલ ડાયરેક્ટર બનીને તેણે જમ્મુ કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન પણ મેળવ્યું હતું. પોલીસ પ્રોટેક્શન લઈ અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઠગે શ્રીનગરના લાલચોક તેમજ ગુલમર્ગની પણ  મુલાકાત લીધી હતી. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર પોલીસને નકલી અધિકારી અંગેની માહિતી મળતા હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.   


કિરણ પટેલ પર લાગેલા છે ઠગાઈના આરોપ  

આ અંગે તેમના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે જણાવ્યું કે કિરણ કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ છે તે તો બધા પતી ગયા છે અને કેસ પણ ક્લોઝ થઈ ગયા છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે કિરણ પટેલ વિરૂદ્ધ 6-7 વર્ષ પહેલા કરોડો રુપિયાની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે. વિવિધ કલમો અંતર્ગત તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.