જાપાનના વડાપ્રધાન ભારતના પ્રવાસે, પાર્કમાં પાણીપૂરી ખાધી અને લસ્સી બનાવી, પ્રથમ દિવસે વિવિધ મુદ્દાઓ અંગે બંને દેશના પીએમ વચ્ચે થઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-03-21 09:17:50

જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે ભારત આવેલા જાપાનના પીએમએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. ફૂમિયો કિશિદાનો વડાપ્રધાન તરીકેનો આ બીજો પ્રવાસ છે. પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાનને ભેટ તરીકે ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી. 


Image

md jp 3

ભારતીય વાનગીઓનો લીધો સ્વાદ! 

ભારતના પ્રવાસ આવેલા વડાપ્રધાનના અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દિલ્હી પહોંચેલા કિશિદા પાર્કમાં પાણીપુરી ખાઈ રહ્યા છે. તે ઉપરાંત લસ્સી બનાવતા પણ તેઓ દેખાયા હતા અને આમ પન્નાનો સ્વાદ પણ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અને ફુમિયોએ બુદ્ધ જયંતિ પાર્કમાં ચક્કર માર્યો હતો તે દરમિયાન બંને નેતાઓ વાતચીત કરતા દેખાયા હતા. મોદી અને કિશિદા પાર્કમાં ફર્યા અને પછી લાકડાની બેંચ પર બેઠા.

       

વિવિધ મુદ્દા પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા!

હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓની બેઠક થઈ હતી. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બંને દેશોએ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જાપાનના પીએમએ કહ્યું કે મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. એક વર્ષની અંદર તેમની સાથે મારી અનેક વખત મુલાકાત થઈ છે. આ દરમિયાન મને બંને દેશો વચ્ચેના સંબંધને લઈ પોઝિટિવિટી મહેસૂસ થઈ રહી છે. અમારો લક્ષ્ય બધાને સાથે લઈને ચાલવાનો છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.