જાપાનના વડાપ્રધાન ભારતના પ્રવાસે, પાર્કમાં પાણીપૂરી ખાધી અને લસ્સી બનાવી, પ્રથમ દિવસે વિવિધ મુદ્દાઓ અંગે બંને દેશના પીએમ વચ્ચે થઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-03-21 09:17:50

જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે ભારત આવેલા જાપાનના પીએમએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. ફૂમિયો કિશિદાનો વડાપ્રધાન તરીકેનો આ બીજો પ્રવાસ છે. પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાનને ભેટ તરીકે ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી. 


Image

md jp 3

ભારતીય વાનગીઓનો લીધો સ્વાદ! 

ભારતના પ્રવાસ આવેલા વડાપ્રધાનના અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દિલ્હી પહોંચેલા કિશિદા પાર્કમાં પાણીપુરી ખાઈ રહ્યા છે. તે ઉપરાંત લસ્સી બનાવતા પણ તેઓ દેખાયા હતા અને આમ પન્નાનો સ્વાદ પણ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અને ફુમિયોએ બુદ્ધ જયંતિ પાર્કમાં ચક્કર માર્યો હતો તે દરમિયાન બંને નેતાઓ વાતચીત કરતા દેખાયા હતા. મોદી અને કિશિદા પાર્કમાં ફર્યા અને પછી લાકડાની બેંચ પર બેઠા.

       

વિવિધ મુદ્દા પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા!

હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓની બેઠક થઈ હતી. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બંને દેશોએ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જાપાનના પીએમએ કહ્યું કે મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. એક વર્ષની અંદર તેમની સાથે મારી અનેક વખત મુલાકાત થઈ છે. આ દરમિયાન મને બંને દેશો વચ્ચેના સંબંધને લઈ પોઝિટિવિટી મહેસૂસ થઈ રહી છે. અમારો લક્ષ્ય બધાને સાથે લઈને ચાલવાનો છે.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.