જાપાનના વડાપ્રધાન ભારતના પ્રવાસે, પાર્કમાં પાણીપૂરી ખાધી અને લસ્સી બનાવી, પ્રથમ દિવસે વિવિધ મુદ્દાઓ અંગે બંને દેશના પીએમ વચ્ચે થઈ ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-03-21 09:17:50

જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે ભારત આવેલા જાપાનના પીએમએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. ફૂમિયો કિશિદાનો વડાપ્રધાન તરીકેનો આ બીજો પ્રવાસ છે. પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાનને ભેટ તરીકે ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી. 


Image

md jp 3

ભારતીય વાનગીઓનો લીધો સ્વાદ! 

ભારતના પ્રવાસ આવેલા વડાપ્રધાનના અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દિલ્હી પહોંચેલા કિશિદા પાર્કમાં પાણીપુરી ખાઈ રહ્યા છે. તે ઉપરાંત લસ્સી બનાવતા પણ તેઓ દેખાયા હતા અને આમ પન્નાનો સ્વાદ પણ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અને ફુમિયોએ બુદ્ધ જયંતિ પાર્કમાં ચક્કર માર્યો હતો તે દરમિયાન બંને નેતાઓ વાતચીત કરતા દેખાયા હતા. મોદી અને કિશિદા પાર્કમાં ફર્યા અને પછી લાકડાની બેંચ પર બેઠા.

       

વિવિધ મુદ્દા પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા!

હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓની બેઠક થઈ હતી. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બંને દેશોએ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જાપાનના પીએમએ કહ્યું કે મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. એક વર્ષની અંદર તેમની સાથે મારી અનેક વખત મુલાકાત થઈ છે. આ દરમિયાન મને બંને દેશો વચ્ચેના સંબંધને લઈ પોઝિટિવિટી મહેસૂસ થઈ રહી છે. અમારો લક્ષ્ય બધાને સાથે લઈને ચાલવાનો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.