ઉજ્જૈન મહાકાલના પુજારીના 17 વર્ષીય પુત્રનું સાયલન્ટ હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન થયો


  • Published By :
  • Published Date : 2023-03-14 19:11:03

ઉજ્જૈનમાં ગઈકાલે રંગપંચમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ દિવસે મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો પુત્ર મયંક પણ શોભાયાત્રામાં સામેલ થયો હતો. જો કે શોભાયાત્રા દરમિયાન મયંક નર્વસ હોવાનું અનુભવી રહ્યો હતો. તે ઘરે ગયા બાદ પણ તેને આરામ ન મળતા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું.


તલવારબાજી દરમિયાન નર્વસ થયો 


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુના પુત્ર મયંકે પણ ઉજવણી સમારોહમાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે મયંકની તબિયત સવારથી સારી નહોતી. મંગેશે રંગપંચમી નિમિત્તે આયોજિત ફ્લેગ રનિંગ સેરેમનીમાં તલવારબાજીનું પણ પ્રદર્શન કર્યું હતું. તલવારબાજી કરતી વખતે તેણે નર્વસ હોવાની અનુભતી કરી હતી. સાથીઓ સાથે મસ્તીમાં ડૂબેલો મયંક થોડીવાર પછી બધાને છોડીને ત્યાંથી નીકળી ગયો હતો.


સાયલન્ટ હાર્ટ એટેકથી મોત


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ શર્માનો પુત્ર મયંક 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તલવાર ઘુમાવ્યા બાદ તે નર્વસ થવા લાગ્યો. તેણે તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મયંકને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે મયંકનું મોત સાયલન્ટ હાર્ટ એટેકના કારણે થયું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.