ઉજ્જૈન મહાકાલના પુજારીના 17 વર્ષીય પુત્રનું સાયલન્ટ હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન થયો


  • Published By :
  • Published Date : 2023-03-14 19:11:03

ઉજ્જૈનમાં ગઈકાલે રંગપંચમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ દિવસે મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો પુત્ર મયંક પણ શોભાયાત્રામાં સામેલ થયો હતો. જો કે શોભાયાત્રા દરમિયાન મયંક નર્વસ હોવાનું અનુભવી રહ્યો હતો. તે ઘરે ગયા બાદ પણ તેને આરામ ન મળતા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું.


તલવારબાજી દરમિયાન નર્વસ થયો 


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુના પુત્ર મયંકે પણ ઉજવણી સમારોહમાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે મયંકની તબિયત સવારથી સારી નહોતી. મંગેશે રંગપંચમી નિમિત્તે આયોજિત ફ્લેગ રનિંગ સેરેમનીમાં તલવારબાજીનું પણ પ્રદર્શન કર્યું હતું. તલવારબાજી કરતી વખતે તેણે નર્વસ હોવાની અનુભતી કરી હતી. સાથીઓ સાથે મસ્તીમાં ડૂબેલો મયંક થોડીવાર પછી બધાને છોડીને ત્યાંથી નીકળી ગયો હતો.


સાયલન્ટ હાર્ટ એટેકથી મોત


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ શર્માનો પુત્ર મયંક 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તલવાર ઘુમાવ્યા બાદ તે નર્વસ થવા લાગ્યો. તેણે તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મયંકને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે મયંકનું મોત સાયલન્ટ હાર્ટ એટેકના કારણે થયું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.