ઉજ્જૈન મહાકાલના પુજારીના 17 વર્ષીય પુત્રનું સાયલન્ટ હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન થયો


  • Published By :
  • Published Date : 2023-03-14 19:11:03

ઉજ્જૈનમાં ગઈકાલે રંગપંચમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ દિવસે મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુનો પુત્ર મયંક પણ શોભાયાત્રામાં સામેલ થયો હતો. જો કે શોભાયાત્રા દરમિયાન મયંક નર્વસ હોવાનું અનુભવી રહ્યો હતો. તે ઘરે ગયા બાદ પણ તેને આરામ ન મળતા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું.


તલવારબાજી દરમિયાન નર્વસ થયો 


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ ગુરુના પુત્ર મયંકે પણ ઉજવણી સમારોહમાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે મયંકની તબિયત સવારથી સારી નહોતી. મંગેશે રંગપંચમી નિમિત્તે આયોજિત ફ્લેગ રનિંગ સેરેમનીમાં તલવારબાજીનું પણ પ્રદર્શન કર્યું હતું. તલવારબાજી કરતી વખતે તેણે નર્વસ હોવાની અનુભતી કરી હતી. સાથીઓ સાથે મસ્તીમાં ડૂબેલો મયંક થોડીવાર પછી બધાને છોડીને ત્યાંથી નીકળી ગયો હતો.


સાયલન્ટ હાર્ટ એટેકથી મોત


મહાકાલેશ્વર મંદિરના સહાયક પૂજારી મંગેશ શર્માનો પુત્ર મયંક 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તલવાર ઘુમાવ્યા બાદ તે નર્વસ થવા લાગ્યો. તેણે તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે મયંકને મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે મયંકનું મોત સાયલન્ટ હાર્ટ એટેકના કારણે થયું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે