આર્મી જવાનની પત્ની સાથે થઈ છેડછાડ! વીડિયો બનાવી જવાને લગાવ્યા આરોપ! જાણો ક્યાંની છે ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-06-12 11:04:01

ભારતીય સેનાના સૈનિકો દેશની સીમાઓની સુરક્ષા કરતા હોય છે. જવાનો સીમા પર તૈનાત હોય છે એટલે આપણાં મનમાં સલામતીનો ભાવ જાગે છે. અનેક લોકોના દિલમાં આર્મી જવાન માટે અલગ માન અલગ સન્માન હોય છે. એવા અનેક વીડિયો એવા પણ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો આર્મી જવાનોને સેલ્યુટ કરતા દેખાય છે. ત્યારે એક જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની સાથે ગેરવર્તન થયું છે. જવાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દાવો કરી રહ્યા છે જે તમિલનાડુમાં તેમની પત્નીને અર્ધ નગ્ન કરવામાં આવી અને પછી તેની સાથે મારપીટ કરવામાં  આવી. સમગ્ર ઘટનાનું વર્ણન કર્યા બાદ તે હાથ જોડી વિનંતી કરતા દેખાય છે.


જવાનની પત્ની સાથે થયું ગેરવર્તન!  

મહિલાઓ પર થતાં અત્યાચાર જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. રોજે એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોય. ત્યારે એક આર્મી જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પત્ની સાથે છેડછાડ થઈ હોય તેવી વાત કહી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પત્નનીને અર્ધનગ્ન કરવામાં આવી અને તે બાદ મારપીટ કરવામાં આવી. પત્નીને ન્યાય મળે તે માટે પોલીસને કાર્યવાહી કરવા તેમજ મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. જે જવાનનો વીડિયો સામે આવ્યો છે તેમનું નામ છે હવલદાર પ્રભાકરન છે, તે તમિલનાડુના રહેવાસી છે હાલ કાશ્મીરમાં તે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમની પત્ની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય તેવી વાત કહી હતી. 


પોલીસે કરી આ મામલે કાર્યવાહી!

વીડિયોમાં જવાન આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની તમિલનાડુના એક ગામડા લીજ પર દુકાન ચલાવે છે. પરંતુ થોડા સમયથી પત્નીને અનેક લોકો હેરાન કરી રહ્યા છે. દુકાનનો સામાન પણ ફેંકી દીધો હતો તેમજ પરિવાર પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે બાદ મારી પત્નીને અર્ધનગ્ન કરી તેને મારવામાં આવી હતી. આ વાતની જાણ એસપીને કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી થશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર જવાનની પત્ની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પોલીસ દ્વારા બે લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.            


પોલીસે જણાવ્યો શું હતો સમગ્ર ઘટનાક્રમ? 

આ મામલે પોલીસે જણાવ્યું કે રેણુગમ્બલ મંદિર સાથે જોડાયેલ જમીન પર બનેલી દુકાન એક વ્યક્તિ દ્વારા જવાનના સસરાને પાંચ વર્ષ માટે 9.5 લાખ રૂપિયામાં લીઝ પર આપવામાં આવી હતી. વ્યક્તિના મૃત્યુ પછી, તેનો પુત્ર દુકાન પાછી માંગતો હતો. તે પૈસા પરત કરવા તૈયાર હતો અને 10 ફેબ્રુઆરીએ કરાર થયો હતો. વધુમાં પોલીસે કહ્યું કે દુકાન આપનાર વ્યક્તિના પુત્રનું કહેવું છે કે જવાનના સસરાએ પૈસા લેવા અને દુકાન છોડવાની ના પાડી દીધી હતી. 10 જૂનના રોજ, જ્યારે તે જવાનના સસરાના પુત્રોને પૈસા આપવા માટે દુકાન પર ગયો, ત્યારે તેઓએ તેના પર કથિત રીતે હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ દરમિયાન દુકાનમાં રાખેલો સામાન બહાર ફેંકી દીધો હતો. જવાનની પત્ની અને પત્નીની માતા દુકાનમાં હતા, પરંતુ ટોળાએ તેમના પર હુમલો કર્યો ન હતો.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.