આર્મી જવાનની પત્ની સાથે થઈ છેડછાડ! વીડિયો બનાવી જવાને લગાવ્યા આરોપ! જાણો ક્યાંની છે ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 11:04:01

ભારતીય સેનાના સૈનિકો દેશની સીમાઓની સુરક્ષા કરતા હોય છે. જવાનો સીમા પર તૈનાત હોય છે એટલે આપણાં મનમાં સલામતીનો ભાવ જાગે છે. અનેક લોકોના દિલમાં આર્મી જવાન માટે અલગ માન અલગ સન્માન હોય છે. એવા અનેક વીડિયો એવા પણ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો આર્મી જવાનોને સેલ્યુટ કરતા દેખાય છે. ત્યારે એક જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની સાથે ગેરવર્તન થયું છે. જવાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દાવો કરી રહ્યા છે જે તમિલનાડુમાં તેમની પત્નીને અર્ધ નગ્ન કરવામાં આવી અને પછી તેની સાથે મારપીટ કરવામાં  આવી. સમગ્ર ઘટનાનું વર્ણન કર્યા બાદ તે હાથ જોડી વિનંતી કરતા દેખાય છે.


જવાનની પત્ની સાથે થયું ગેરવર્તન!  

મહિલાઓ પર થતાં અત્યાચાર જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. રોજે એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોય. ત્યારે એક આર્મી જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પત્ની સાથે છેડછાડ થઈ હોય તેવી વાત કહી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પત્નનીને અર્ધનગ્ન કરવામાં આવી અને તે બાદ મારપીટ કરવામાં આવી. પત્નીને ન્યાય મળે તે માટે પોલીસને કાર્યવાહી કરવા તેમજ મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. જે જવાનનો વીડિયો સામે આવ્યો છે તેમનું નામ છે હવલદાર પ્રભાકરન છે, તે તમિલનાડુના રહેવાસી છે હાલ કાશ્મીરમાં તે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમની પત્ની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય તેવી વાત કહી હતી. 


પોલીસે કરી આ મામલે કાર્યવાહી!

વીડિયોમાં જવાન આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની તમિલનાડુના એક ગામડા લીજ પર દુકાન ચલાવે છે. પરંતુ થોડા સમયથી પત્નીને અનેક લોકો હેરાન કરી રહ્યા છે. દુકાનનો સામાન પણ ફેંકી દીધો હતો તેમજ પરિવાર પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે બાદ મારી પત્નીને અર્ધનગ્ન કરી તેને મારવામાં આવી હતી. આ વાતની જાણ એસપીને કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી થશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર જવાનની પત્ની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પોલીસ દ્વારા બે લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.            


પોલીસે જણાવ્યો શું હતો સમગ્ર ઘટનાક્રમ? 

આ મામલે પોલીસે જણાવ્યું કે રેણુગમ્બલ મંદિર સાથે જોડાયેલ જમીન પર બનેલી દુકાન એક વ્યક્તિ દ્વારા જવાનના સસરાને પાંચ વર્ષ માટે 9.5 લાખ રૂપિયામાં લીઝ પર આપવામાં આવી હતી. વ્યક્તિના મૃત્યુ પછી, તેનો પુત્ર દુકાન પાછી માંગતો હતો. તે પૈસા પરત કરવા તૈયાર હતો અને 10 ફેબ્રુઆરીએ કરાર થયો હતો. વધુમાં પોલીસે કહ્યું કે દુકાન આપનાર વ્યક્તિના પુત્રનું કહેવું છે કે જવાનના સસરાએ પૈસા લેવા અને દુકાન છોડવાની ના પાડી દીધી હતી. 10 જૂનના રોજ, જ્યારે તે જવાનના સસરાના પુત્રોને પૈસા આપવા માટે દુકાન પર ગયો, ત્યારે તેઓએ તેના પર કથિત રીતે હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ દરમિયાન દુકાનમાં રાખેલો સામાન બહાર ફેંકી દીધો હતો. જવાનની પત્ની અને પત્નીની માતા દુકાનમાં હતા, પરંતુ ટોળાએ તેમના પર હુમલો કર્યો ન હતો.




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.