આર્મી જવાનની પત્ની સાથે થઈ છેડછાડ! વીડિયો બનાવી જવાને લગાવ્યા આરોપ! જાણો ક્યાંની છે ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-06-12 11:04:01

ભારતીય સેનાના સૈનિકો દેશની સીમાઓની સુરક્ષા કરતા હોય છે. જવાનો સીમા પર તૈનાત હોય છે એટલે આપણાં મનમાં સલામતીનો ભાવ જાગે છે. અનેક લોકોના દિલમાં આર્મી જવાન માટે અલગ માન અલગ સન્માન હોય છે. એવા અનેક વીડિયો એવા પણ સામે આવતા હોય છે જેમાં નાના બાળકો આર્મી જવાનોને સેલ્યુટ કરતા દેખાય છે. ત્યારે એક જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની સાથે ગેરવર્તન થયું છે. જવાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દાવો કરી રહ્યા છે જે તમિલનાડુમાં તેમની પત્નીને અર્ધ નગ્ન કરવામાં આવી અને પછી તેની સાથે મારપીટ કરવામાં  આવી. સમગ્ર ઘટનાનું વર્ણન કર્યા બાદ તે હાથ જોડી વિનંતી કરતા દેખાય છે.


જવાનની પત્ની સાથે થયું ગેરવર્તન!  

મહિલાઓ પર થતાં અત્યાચાર જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. રોજે એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોય. ત્યારે એક આર્મી જવાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પત્ની સાથે છેડછાડ થઈ હોય તેવી વાત કહી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પત્નનીને અર્ધનગ્ન કરવામાં આવી અને તે બાદ મારપીટ કરવામાં આવી. પત્નીને ન્યાય મળે તે માટે પોલીસને કાર્યવાહી કરવા તેમજ મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. જે જવાનનો વીડિયો સામે આવ્યો છે તેમનું નામ છે હવલદાર પ્રભાકરન છે, તે તમિલનાડુના રહેવાસી છે હાલ કાશ્મીરમાં તે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમની પત્ની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોય તેવી વાત કહી હતી. 


પોલીસે કરી આ મામલે કાર્યવાહી!

વીડિયોમાં જવાન આરોપ લગાવી રહ્યા છે કે તેમની પત્ની તમિલનાડુના એક ગામડા લીજ પર દુકાન ચલાવે છે. પરંતુ થોડા સમયથી પત્નીને અનેક લોકો હેરાન કરી રહ્યા છે. દુકાનનો સામાન પણ ફેંકી દીધો હતો તેમજ પરિવાર પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે બાદ મારી પત્નીને અર્ધનગ્ન કરી તેને મારવામાં આવી હતી. આ વાતની જાણ એસપીને કરવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી થશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર જવાનની પત્ની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પોલીસ દ્વારા બે લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.            


પોલીસે જણાવ્યો શું હતો સમગ્ર ઘટનાક્રમ? 

આ મામલે પોલીસે જણાવ્યું કે રેણુગમ્બલ મંદિર સાથે જોડાયેલ જમીન પર બનેલી દુકાન એક વ્યક્તિ દ્વારા જવાનના સસરાને પાંચ વર્ષ માટે 9.5 લાખ રૂપિયામાં લીઝ પર આપવામાં આવી હતી. વ્યક્તિના મૃત્યુ પછી, તેનો પુત્ર દુકાન પાછી માંગતો હતો. તે પૈસા પરત કરવા તૈયાર હતો અને 10 ફેબ્રુઆરીએ કરાર થયો હતો. વધુમાં પોલીસે કહ્યું કે દુકાન આપનાર વ્યક્તિના પુત્રનું કહેવું છે કે જવાનના સસરાએ પૈસા લેવા અને દુકાન છોડવાની ના પાડી દીધી હતી. 10 જૂનના રોજ, જ્યારે તે જવાનના સસરાના પુત્રોને પૈસા આપવા માટે દુકાન પર ગયો, ત્યારે તેઓએ તેના પર કથિત રીતે હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આ દરમિયાન દુકાનમાં રાખેલો સામાન બહાર ફેંકી દીધો હતો. જવાનની પત્ની અને પત્નીની માતા દુકાનમાં હતા, પરંતુ ટોળાએ તેમના પર હુમલો કર્યો ન હતો.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.