બજેટ પર અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કોણે કર્યા બજેટના વખાણ અને કોણે કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-02-01 15:49:32

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જે બાદ અનેક નેતાઓએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી છે. દરેક વર્ગને લઈને જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત  ભાજપના નેતાઓએ આ બજેટની પ્રશંસા કરી હતી જ્યારે વિપક્ષના નેતાઓએ આ બજેટની આલોચના કરી છે.


પીએમ મોદીએ વિત્તમંત્રી અને તેમની ટીમને પાઠવી શુભકામના 

બજેટ અંગે પ્રતિક્રિયા આપતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમૃત કાલનું પહેલું બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરવા મજબૂત નીવને નાખવાનું કામ કરશે. આ બજેટ આજની આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, કિસાન, મધ્યમ વર્ગના સપનાઓ પૂરા થશે. વિત્તમંત્રી અને તેમની પૂરી ટીમને ઐતિહાસિક બજેટ માટે અભિનંદન પાઠવું છું.

   


ફારુખ અબ્લુલ્લા અને શશિ થરુરે આપી પ્રતિક્રિયા 

તે સિવાય ફારુક અબ્દુલ્લાએ પણ બજેટ અંગે પ્રતિકિયા આપતા કહ્યું હતું કે બજેટમાં મધ્યમ વર્ગની મદદ કરવામાં આવી છે, બધાને કઈને કઈ આપવામાં આવ્યું છે. દોઢ કલાક સુધી અમે બજેટને સાંભળ્યું અને અવસર આવશે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.શશિ થરૂરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટમાં કોઈ વસ્તુઓ સારી હતી. આ બજેટને પૂર્ણ રીતે નકારાત્મક નહીં કહ્યું. પરંતુ આને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નથી.  


ભાજપના નેતાઓ કરી રહ્યા છે બજેટની પ્રશંસા 

તે સિવાય સ્મૃતિ ઈરાનીએ બજેટ માટે કહ્યું કે આ બજેટથી મહિલાનું સન્માન વધશે, છોકરાઓ અને કિશોરો માટે ડિઝિટલ લાયબ્રેરીની ઘોષણાથી બાળકો કેવી રીતે ભણશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બજેટ મધ્યમવર્ગીય પરિવારોના હિતમાં છે. ભલે આ બજેટથી વિપક્ષ નારાજ થતા. તે ઉપરાંત રાજનાથસિંહે પણ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે કેન્દ્રીય બજેટ કિસાનો, મહિલાઓ તેમજ મધ્યમવર્ગને સહાય થાય તેનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.