બજેટ પર અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કોણે કર્યા બજેટના વખાણ અને કોણે કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-02-01 15:49:32

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જે બાદ અનેક નેતાઓએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી છે. દરેક વર્ગને લઈને જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત  ભાજપના નેતાઓએ આ બજેટની પ્રશંસા કરી હતી જ્યારે વિપક્ષના નેતાઓએ આ બજેટની આલોચના કરી છે.


પીએમ મોદીએ વિત્તમંત્રી અને તેમની ટીમને પાઠવી શુભકામના 

બજેટ અંગે પ્રતિક્રિયા આપતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમૃત કાલનું પહેલું બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરવા મજબૂત નીવને નાખવાનું કામ કરશે. આ બજેટ આજની આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, કિસાન, મધ્યમ વર્ગના સપનાઓ પૂરા થશે. વિત્તમંત્રી અને તેમની પૂરી ટીમને ઐતિહાસિક બજેટ માટે અભિનંદન પાઠવું છું.

   


ફારુખ અબ્લુલ્લા અને શશિ થરુરે આપી પ્રતિક્રિયા 

તે સિવાય ફારુક અબ્દુલ્લાએ પણ બજેટ અંગે પ્રતિકિયા આપતા કહ્યું હતું કે બજેટમાં મધ્યમ વર્ગની મદદ કરવામાં આવી છે, બધાને કઈને કઈ આપવામાં આવ્યું છે. દોઢ કલાક સુધી અમે બજેટને સાંભળ્યું અને અવસર આવશે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.શશિ થરૂરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટમાં કોઈ વસ્તુઓ સારી હતી. આ બજેટને પૂર્ણ રીતે નકારાત્મક નહીં કહ્યું. પરંતુ આને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નથી.  


ભાજપના નેતાઓ કરી રહ્યા છે બજેટની પ્રશંસા 

તે સિવાય સ્મૃતિ ઈરાનીએ બજેટ માટે કહ્યું કે આ બજેટથી મહિલાનું સન્માન વધશે, છોકરાઓ અને કિશોરો માટે ડિઝિટલ લાયબ્રેરીની ઘોષણાથી બાળકો કેવી રીતે ભણશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બજેટ મધ્યમવર્ગીય પરિવારોના હિતમાં છે. ભલે આ બજેટથી વિપક્ષ નારાજ થતા. તે ઉપરાંત રાજનાથસિંહે પણ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે કેન્દ્રીય બજેટ કિસાનો, મહિલાઓ તેમજ મધ્યમવર્ગને સહાય થાય તેનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.