બજેટ પર અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કોણે કર્યા બજેટના વખાણ અને કોણે કરી ટીકા


  • Published By :
  • Published Date : 2023-02-01 15:49:32

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જે બાદ અનેક નેતાઓએ બજેટને લઈ પ્રતિક્રિયા આપી છે. દરેક વર્ગને લઈને જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત  ભાજપના નેતાઓએ આ બજેટની પ્રશંસા કરી હતી જ્યારે વિપક્ષના નેતાઓએ આ બજેટની આલોચના કરી છે.


પીએમ મોદીએ વિત્તમંત્રી અને તેમની ટીમને પાઠવી શુભકામના 

બજેટ અંગે પ્રતિક્રિયા આપતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમૃત કાલનું પહેલું બજેટ વિકસીત ભારતના વિરાટ સંકલ્પને પૂર્ણ કરવા મજબૂત નીવને નાખવાનું કામ કરશે. આ બજેટ આજની આકાંક્ષી સમાજ, ગામ, ગરીબ, કિસાન, મધ્યમ વર્ગના સપનાઓ પૂરા થશે. વિત્તમંત્રી અને તેમની પૂરી ટીમને ઐતિહાસિક બજેટ માટે અભિનંદન પાઠવું છું.

   


ફારુખ અબ્લુલ્લા અને શશિ થરુરે આપી પ્રતિક્રિયા 

તે સિવાય ફારુક અબ્દુલ્લાએ પણ બજેટ અંગે પ્રતિકિયા આપતા કહ્યું હતું કે બજેટમાં મધ્યમ વર્ગની મદદ કરવામાં આવી છે, બધાને કઈને કઈ આપવામાં આવ્યું છે. દોઢ કલાક સુધી અમે બજેટને સાંભળ્યું અને અવસર આવશે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.શશિ થરૂરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બજેટમાં કોઈ વસ્તુઓ સારી હતી. આ બજેટને પૂર્ણ રીતે નકારાત્મક નહીં કહ્યું. પરંતુ આને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નથી.  


ભાજપના નેતાઓ કરી રહ્યા છે બજેટની પ્રશંસા 

તે સિવાય સ્મૃતિ ઈરાનીએ બજેટ માટે કહ્યું કે આ બજેટથી મહિલાનું સન્માન વધશે, છોકરાઓ અને કિશોરો માટે ડિઝિટલ લાયબ્રેરીની ઘોષણાથી બાળકો કેવી રીતે ભણશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બજેટ મધ્યમવર્ગીય પરિવારોના હિતમાં છે. ભલે આ બજેટથી વિપક્ષ નારાજ થતા. તે ઉપરાંત રાજનાથસિંહે પણ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે કેન્દ્રીય બજેટ કિસાનો, મહિલાઓ તેમજ મધ્યમવર્ગને સહાય થાય તેનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.