મુસલમાનો ભારતમાં સુરક્ષિત છે આવું કહેનારા મોહન ભાગવત છે કોણ? :અસદુદ્દીન ઓવૈસી


  • Published By :
  • Published Date : 2023-06-13 15:23:08

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પોતાના ભાષણોમાં અનેક વખત કહીં ચુક્યા છે કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આ બાબતને લઈ અસદુદ્દીન ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આવું બોલનારા મોહન ભાગવત છે કોણ? 


ઓવૈસીએ કર્યા પ્રહાર


મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તાજેતરમાં જ આરએસએસના ચીફનું નિવેદન આવ્યું હતું કે ઈસ્લામ જ્યાં પણ ગયો  ત્યાં ખતમ થઈ ગયો છે. પરંતુ માત્ર ભારતમાં  જ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ છે, બંધારણ છે તો અમે સુરક્ષિત છીએ. તમે અમને આક્રમણખોર કહો છો, પરંતું આક્રમણખોર તો આર્યો હતા. આ દેશ કોઈનો છે તો તે આદિવાસીઓ અને દ્રવિડોંનો છે. માનવ વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટી પણ કરી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.