મુસલમાનો ભારતમાં સુરક્ષિત છે આવું કહેનારા મોહન ભાગવત છે કોણ? :અસદુદ્દીન ઓવૈસી


  • Published By :
  • Published Date : 2023-06-13 15:23:08

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પોતાના ભાષણોમાં અનેક વખત કહીં ચુક્યા છે કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આ બાબતને લઈ અસદુદ્દીન ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આવું બોલનારા મોહન ભાગવત છે કોણ? 


ઓવૈસીએ કર્યા પ્રહાર


મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તાજેતરમાં જ આરએસએસના ચીફનું નિવેદન આવ્યું હતું કે ઈસ્લામ જ્યાં પણ ગયો  ત્યાં ખતમ થઈ ગયો છે. પરંતુ માત્ર ભારતમાં  જ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ છે, બંધારણ છે તો અમે સુરક્ષિત છીએ. તમે અમને આક્રમણખોર કહો છો, પરંતું આક્રમણખોર તો આર્યો હતા. આ દેશ કોઈનો છે તો તે આદિવાસીઓ અને દ્રવિડોંનો છે. માનવ વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટી પણ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે