મુસલમાનો ભારતમાં સુરક્ષિત છે આવું કહેનારા મોહન ભાગવત છે કોણ? :અસદુદ્દીન ઓવૈસી


  • Published By :
  • Published Date : 2023-06-13 15:23:08

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પોતાના ભાષણોમાં અનેક વખત કહીં ચુક્યા છે કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આ બાબતને લઈ અસદુદ્દીન ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આવું બોલનારા મોહન ભાગવત છે કોણ? 


ઓવૈસીએ કર્યા પ્રહાર


મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તાજેતરમાં જ આરએસએસના ચીફનું નિવેદન આવ્યું હતું કે ઈસ્લામ જ્યાં પણ ગયો  ત્યાં ખતમ થઈ ગયો છે. પરંતુ માત્ર ભારતમાં  જ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ છે, બંધારણ છે તો અમે સુરક્ષિત છીએ. તમે અમને આક્રમણખોર કહો છો, પરંતું આક્રમણખોર તો આર્યો હતા. આ દેશ કોઈનો છે તો તે આદિવાસીઓ અને દ્રવિડોંનો છે. માનવ વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટી પણ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.