મુસલમાનો ભારતમાં સુરક્ષિત છે આવું કહેનારા મોહન ભાગવત છે કોણ? :અસદુદ્દીન ઓવૈસી


  • Published By :
  • Published Date : 2023-06-13 15:23:08

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પોતાના ભાષણોમાં અનેક વખત કહીં ચુક્યા છે કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આ બાબતને લઈ અસદુદ્દીન ઓવૈસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાન સુરક્ષિત છે. આવું બોલનારા મોહન ભાગવત છે કોણ? 


ઓવૈસીએ કર્યા પ્રહાર


મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તાજેતરમાં જ આરએસએસના ચીફનું નિવેદન આવ્યું હતું કે ઈસ્લામ જ્યાં પણ ગયો  ત્યાં ખતમ થઈ ગયો છે. પરંતુ માત્ર ભારતમાં  જ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ છે, બંધારણ છે તો અમે સુરક્ષિત છીએ. તમે અમને આક્રમણખોર કહો છો, પરંતું આક્રમણખોર તો આર્યો હતા. આ દેશ કોઈનો છે તો તે આદિવાસીઓ અને દ્રવિડોંનો છે. માનવ વૈજ્ઞાનિકોએ તેની પુષ્ટી પણ કરી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.