મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની અમૃતપાલ સિંહની આખરે ઝડપાયો, પંજાબના મોગામાંથી કરાઈ ધરપકડ, 18 માર્ચથી હતો ફરાર


  • Published By :
  • Published Date : 2023-04-23 11:28:21

પંજાબ પોલીસ જેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી હતી તે મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક ચીફ અમૃતપાલ સિંહની અંતે ધરપકડ થઈ છે. વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહની 36 દિવસ બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ખાલિસ્તાન સમર્થકને પોલીસે પંજાબના મોગાના ગુરુદ્વારામાંથી ધરપકડ કરાઈ છે, અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા જ ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. 


પંજાબ પોલીસે આપી જાણકારી


ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મોગમાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સલામતી જાળવવા અપીલ કરી છે. લોકોને કોઈપણ ફેક ન્યૂઝ શેર ન કરવા પણ અપીલ કરી છે.


NSA એક્ટ હેઠળ થશે કાર્યવાહી


પંજાબ પોલીસે18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી લીધી હતી. પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વૉરંટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. 


કોણ છે અમૃતપાલ સિંહ?


અમૃતપાલ સિંહ  'વારિસ  દે પંજાબ' સંસ્થાનો ચીફ છે. આ સંગઠન અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યું છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત ફર્યો હતો.  'વારિસ  દે પંજાબ' સંગઠનની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા કરવામાં આવી હતી. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલ આ સંગઠનનો વડો બન્યો હતો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું હતું. અમૃતપાલની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સાંઢગાંઠ હોવાનું પણ સામે આવ્યું છે. તેણે 23 ફેબ્રુઆરીના રોજ તેના એક સાથીને છોડાવવા હજારો સમર્થકો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યાર બાદ તેણે વિવિધ ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં પણ અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. તે ઉપરાંત તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.