મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની અમૃતપાલ સિંહની આખરે ઝડપાયો, પંજાબના મોગામાંથી કરાઈ ધરપકડ, 18 માર્ચથી હતો ફરાર


  • Published By :
  • Published Date : 2023-04-23 11:28:21

પંજાબ પોલીસ જેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી હતી તે મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક ચીફ અમૃતપાલ સિંહની અંતે ધરપકડ થઈ છે. વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહની 36 દિવસ બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ખાલિસ્તાન સમર્થકને પોલીસે પંજાબના મોગાના ગુરુદ્વારામાંથી ધરપકડ કરાઈ છે, અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા જ ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. 


પંજાબ પોલીસે આપી જાણકારી


ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મોગમાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સલામતી જાળવવા અપીલ કરી છે. લોકોને કોઈપણ ફેક ન્યૂઝ શેર ન કરવા પણ અપીલ કરી છે.


NSA એક્ટ હેઠળ થશે કાર્યવાહી


પંજાબ પોલીસે18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી લીધી હતી. પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વૉરંટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. 


કોણ છે અમૃતપાલ સિંહ?


અમૃતપાલ સિંહ  'વારિસ  દે પંજાબ' સંસ્થાનો ચીફ છે. આ સંગઠન અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યું છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત ફર્યો હતો.  'વારિસ  દે પંજાબ' સંગઠનની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા કરવામાં આવી હતી. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલ આ સંગઠનનો વડો બન્યો હતો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું હતું. અમૃતપાલની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સાંઢગાંઠ હોવાનું પણ સામે આવ્યું છે. તેણે 23 ફેબ્રુઆરીના રોજ તેના એક સાથીને છોડાવવા હજારો સમર્થકો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યાર બાદ તેણે વિવિધ ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં પણ અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. તે ઉપરાંત તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.