મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની અમૃતપાલ સિંહની આખરે ઝડપાયો, પંજાબના મોગામાંથી કરાઈ ધરપકડ, 18 માર્ચથી હતો ફરાર


  • Published By :
  • Published Date : 2023-04-23 11:28:21

પંજાબ પોલીસ જેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી હતી તે મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક ચીફ અમૃતપાલ સિંહની અંતે ધરપકડ થઈ છે. વારિસ દે પંજાબના ચીફ અમૃતપાલ સિંહની 36 દિવસ બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ખાલિસ્તાન સમર્થકને પોલીસે પંજાબના મોગાના ગુરુદ્વારામાંથી ધરપકડ કરાઈ છે, અજનાલા કાંડની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા જ ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. 


પંજાબ પોલીસે આપી જાણકારી


ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબ પોલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે, મોગમાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે લોકોને શાંતિ અને સલામતી જાળવવા અપીલ કરી છે. લોકોને કોઈપણ ફેક ન્યૂઝ શેર ન કરવા પણ અપીલ કરી છે.


NSA એક્ટ હેઠળ થશે કાર્યવાહી


પંજાબ પોલીસે18 માર્ચે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી લીધી હતી. પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો. તેની સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA)ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વૉરંટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. 


કોણ છે અમૃતપાલ સિંહ?


અમૃતપાલ સિંહ  'વારિસ  દે પંજાબ' સંસ્થાનો ચીફ છે. આ સંગઠન અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યું છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત ફર્યો હતો.  'વારિસ  દે પંજાબ' સંગઠનની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા કરવામાં આવી હતી. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલ આ સંગઠનનો વડો બન્યો હતો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું હતું. અમૃતપાલની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સાંઢગાંઠ હોવાનું પણ સામે આવ્યું છે. તેણે 23 ફેબ્રુઆરીના રોજ તેના એક સાથીને છોડાવવા હજારો સમર્થકો સાથે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યાર બાદ તેણે વિવિધ ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં પણ અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. તે ઉપરાંત તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.