મલ્લિકાર્જુન ખડગેના ભાષણને સાંભળી સાંસદો હસવા લાગ્યા! હસતા હસતા વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-14 17:14:45

ઓસ્કર એવોર્ડમાં ભારતનો ડંકો જોવા મળ્યો હતો. RRR ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ઓસ્કર એવોર્ડ જીતવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ મુદ્દો આજે સંસદમાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે સંસદમાં એક નિવેદન આપ્યું જેને કારણે બધા સાંસદો હસવા લાગ્યા હતા.


PM મોદી પર મલ્લિકાર્જુન ખડગેએ કર્યા શાબ્દિક પ્રહાર  

સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ ગઈ કાલથી થઈ ગયો છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થાય છે સરકારને ઘેરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સંસદમાં ઓસ્કર એવોર્ડ જીતેલી ફિલ્મને લઈ ચર્ચા થઈ હતી. ગંભીર મુદ્દાઓ પરતો ચર્ચા થતી હોય છે પરંતુ અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેને લઈ સાંસદો જોર જોરથી હસી પડતા હોય છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં નામ લીધા વગર કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  


મોદીજી આનો શ્રેય પણ ન લઈ લેતા - ખડગે 

ઓસ્કર વિજેતા ફિલ્મોને લઈ સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે હું આ બંને ફિલ્મોને અભિનંદન આપવા માગું છું કે તેમને ઓસ્કર એવોર્ડ મળ્યો. બંને ફિલ્મો દક્ષિણ ભારતની છે. અમને આનો ખૂબ જ ગર્વ છે અને તેમે જે કંઈ પણ કહ્યું અમે તમારી સાથે છીએ. હું તેમને માત્ર આટલી વિનંતી કરું છું કે શાસક પક્ષ આનું ક્રેડિટ ન લેવું જોઈએ કે અમે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અમે કવિતા લખી છે. મોદીજીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ મારી એકમાત્ર વિનંતી છે. આ નિવેદનને લઈ સાંસદો હસી પડ્યા હતા. સભાપતિ પણ આ નિવેદન સાંભળી હસવાનું રોકી શક્યા ન હતા.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.