મલ્લિકાર્જુન ખડગેના ભાષણને સાંભળી સાંસદો હસવા લાગ્યા! હસતા હસતા વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-14 17:14:45

ઓસ્કર એવોર્ડમાં ભારતનો ડંકો જોવા મળ્યો હતો. RRR ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ઓસ્કર એવોર્ડ જીતવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ મુદ્દો આજે સંસદમાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે સંસદમાં એક નિવેદન આપ્યું જેને કારણે બધા સાંસદો હસવા લાગ્યા હતા.


PM મોદી પર મલ્લિકાર્જુન ખડગેએ કર્યા શાબ્દિક પ્રહાર  

સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ ગઈ કાલથી થઈ ગયો છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થાય છે સરકારને ઘેરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સંસદમાં ઓસ્કર એવોર્ડ જીતેલી ફિલ્મને લઈ ચર્ચા થઈ હતી. ગંભીર મુદ્દાઓ પરતો ચર્ચા થતી હોય છે પરંતુ અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેને લઈ સાંસદો જોર જોરથી હસી પડતા હોય છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં નામ લીધા વગર કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  


મોદીજી આનો શ્રેય પણ ન લઈ લેતા - ખડગે 

ઓસ્કર વિજેતા ફિલ્મોને લઈ સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે હું આ બંને ફિલ્મોને અભિનંદન આપવા માગું છું કે તેમને ઓસ્કર એવોર્ડ મળ્યો. બંને ફિલ્મો દક્ષિણ ભારતની છે. અમને આનો ખૂબ જ ગર્વ છે અને તેમે જે કંઈ પણ કહ્યું અમે તમારી સાથે છીએ. હું તેમને માત્ર આટલી વિનંતી કરું છું કે શાસક પક્ષ આનું ક્રેડિટ ન લેવું જોઈએ કે અમે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અમે કવિતા લખી છે. મોદીજીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ મારી એકમાત્ર વિનંતી છે. આ નિવેદનને લઈ સાંસદો હસી પડ્યા હતા. સભાપતિ પણ આ નિવેદન સાંભળી હસવાનું રોકી શક્યા ન હતા.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.