મલ્લિકાર્જુન ખડગેના ભાષણને સાંભળી સાંસદો હસવા લાગ્યા! હસતા હસતા વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-14 17:14:45

ઓસ્કર એવોર્ડમાં ભારતનો ડંકો જોવા મળ્યો હતો. RRR ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ઓસ્કર એવોર્ડ જીતવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ મુદ્દો આજે સંસદમાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે સંસદમાં એક નિવેદન આપ્યું જેને કારણે બધા સાંસદો હસવા લાગ્યા હતા.


PM મોદી પર મલ્લિકાર્જુન ખડગેએ કર્યા શાબ્દિક પ્રહાર  

સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ ગઈ કાલથી થઈ ગયો છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થાય છે સરકારને ઘેરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સંસદમાં ઓસ્કર એવોર્ડ જીતેલી ફિલ્મને લઈ ચર્ચા થઈ હતી. ગંભીર મુદ્દાઓ પરતો ચર્ચા થતી હોય છે પરંતુ અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેને લઈ સાંસદો જોર જોરથી હસી પડતા હોય છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં નામ લીધા વગર કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  


મોદીજી આનો શ્રેય પણ ન લઈ લેતા - ખડગે 

ઓસ્કર વિજેતા ફિલ્મોને લઈ સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે હું આ બંને ફિલ્મોને અભિનંદન આપવા માગું છું કે તેમને ઓસ્કર એવોર્ડ મળ્યો. બંને ફિલ્મો દક્ષિણ ભારતની છે. અમને આનો ખૂબ જ ગર્વ છે અને તેમે જે કંઈ પણ કહ્યું અમે તમારી સાથે છીએ. હું તેમને માત્ર આટલી વિનંતી કરું છું કે શાસક પક્ષ આનું ક્રેડિટ ન લેવું જોઈએ કે અમે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અમે કવિતા લખી છે. મોદીજીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ મારી એકમાત્ર વિનંતી છે. આ નિવેદનને લઈ સાંસદો હસી પડ્યા હતા. સભાપતિ પણ આ નિવેદન સાંભળી હસવાનું રોકી શક્યા ન હતા.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.