મલ્લિકાર્જુન ખડગેના ભાષણને સાંભળી સાંસદો હસવા લાગ્યા! હસતા હસતા વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-14 17:14:45

ઓસ્કર એવોર્ડમાં ભારતનો ડંકો જોવા મળ્યો હતો. RRR ફિલ્મના ગીત નાટુ નાટુએ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. ઓસ્કર એવોર્ડ જીતવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ મુદ્દો આજે સંસદમાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે સંસદમાં એક નિવેદન આપ્યું જેને કારણે બધા સાંસદો હસવા લાગ્યા હતા.


PM મોદી પર મલ્લિકાર્જુન ખડગેએ કર્યા શાબ્દિક પ્રહાર  

સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ ગઈ કાલથી થઈ ગયો છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થાય છે સરકારને ઘેરવાનો પ્રયાસ થાય છે. ત્યારે સંસદમાં ઓસ્કર એવોર્ડ જીતેલી ફિલ્મને લઈ ચર્ચા થઈ હતી. ગંભીર મુદ્દાઓ પરતો ચર્ચા થતી હોય છે પરંતુ અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેને લઈ સાંસદો જોર જોરથી હસી પડતા હોય છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં નામ લીધા વગર કેન્દ્ર સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  


મોદીજી આનો શ્રેય પણ ન લઈ લેતા - ખડગે 

ઓસ્કર વિજેતા ફિલ્મોને લઈ સંસદમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે હું આ બંને ફિલ્મોને અભિનંદન આપવા માગું છું કે તેમને ઓસ્કર એવોર્ડ મળ્યો. બંને ફિલ્મો દક્ષિણ ભારતની છે. અમને આનો ખૂબ જ ગર્વ છે અને તેમે જે કંઈ પણ કહ્યું અમે તમારી સાથે છીએ. હું તેમને માત્ર આટલી વિનંતી કરું છું કે શાસક પક્ષ આનું ક્રેડિટ ન લેવું જોઈએ કે અમે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અમે કવિતા લખી છે. મોદીજીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ મારી એકમાત્ર વિનંતી છે. આ નિવેદનને લઈ સાંસદો હસી પડ્યા હતા. સભાપતિ પણ આ નિવેદન સાંભળી હસવાનું રોકી શક્યા ન હતા.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.