મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એકસાથે 13 ગાડીઓ ટકરાઈ, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-27 18:22:35

મહારાષ્ટ્રમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભીષણ અકસ્માતના દ્રશ્યો જોઈને ભલભલાનું હૃદય ધ્રુજી ઉઠશે. અકસ્માત એટલો ગંભીર છે કે એક સાથે 13 વાહનોના ફુરચા નીકળી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, ઘાયલ થયેલા લોકોઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.


ખોપોલી પાસે વાહનોની ટક્કર


મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આ અકસ્માત થયો હતો. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર દોડી રહેલી એક કારે અચાનક બ્રેક મારી અને તે પછી પાછળ દોડી રહેલા 13 વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયા. આ ભીષણ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતો ટ્રાફિક પણ બંધ થઈ ગયો છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બચાવ માટે પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ ટીમ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ પહોંચીને ઘાયલોની મદદ કરી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.