મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એકસાથે 13 ગાડીઓ ટકરાઈ, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-27 18:22:35

મહારાષ્ટ્રમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભીષણ અકસ્માતના દ્રશ્યો જોઈને ભલભલાનું હૃદય ધ્રુજી ઉઠશે. અકસ્માત એટલો ગંભીર છે કે એક સાથે 13 વાહનોના ફુરચા નીકળી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, ઘાયલ થયેલા લોકોઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.


ખોપોલી પાસે વાહનોની ટક્કર


મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આ અકસ્માત થયો હતો. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર દોડી રહેલી એક કારે અચાનક બ્રેક મારી અને તે પછી પાછળ દોડી રહેલા 13 વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયા. આ ભીષણ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતો ટ્રાફિક પણ બંધ થઈ ગયો છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બચાવ માટે પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ ટીમ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ પહોંચીને ઘાયલોની મદદ કરી રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.