મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એકસાથે 13 ગાડીઓ ટકરાઈ, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-27 18:22:35

મહારાષ્ટ્રમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભીષણ અકસ્માતના દ્રશ્યો જોઈને ભલભલાનું હૃદય ધ્રુજી ઉઠશે. અકસ્માત એટલો ગંભીર છે કે એક સાથે 13 વાહનોના ફુરચા નીકળી ગયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, ઘાયલ થયેલા લોકોઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.


ખોપોલી પાસે વાહનોની ટક્કર


મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આ અકસ્માત થયો હતો. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર દોડી રહેલી એક કારે અચાનક બ્રેક મારી અને તે પછી પાછળ દોડી રહેલા 13 વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયા. આ ભીષણ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતો ટ્રાફિક પણ બંધ થઈ ગયો છે. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બચાવ માટે પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ ટીમ અને મેડિકલ ટીમ ઘટના સ્થળ પહોંચીને ઘાયલોની મદદ કરી રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.