ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને બેલેશ્વર મહાદેવ મંદિરને તોડી પાડ્યું, રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-03 15:09:02

મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં  અનેક લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં આવેલાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ નગર નિગમની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગર નિગમ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધેલા મંદિરોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અતિક્રમણ હટાવવા માટે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા વહેલી સવારથી કામગીરી કરવામાં આવી હતી. 

इंदौर में नगर निगम ने सोमवार सुबह कई धार्मिक स्थलों से अतिक्रमण हटाने की कार्रवाई की। इस दौरान बेलेश्वर महादेव मंदिर से भी अतिक्रमण को हटाया गया।

રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના 

ગેરકાયદેસર રીતે અનેક બાંધકામો કરવામાં આવતા હોય છે. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે મધ્યપ્રદેશના બેલેશ્વર મહાદેવ મંદિરને તોડવામાં આવ્યું હતું. સોમવારે સવારે ગેરકાયદેસર નિર્માણને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રામનવમીના દિવસે પગથિયાની છત ધારાશાયી થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 36 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.        

हादसे के अगले दिन मंदिर में ताला लगा दिया गया था। यहां आवाजाही पर प्रतिबंध लगा दिया था। सोमवार सुबह मंदिर का ताला खोलकर अतिक्रमण हटाने की कार्रवाई की गई।


नगर निगम ने बेलेश्वर महादेव झूलेलाल मंदिर के अवैध निर्माण को हटाने की कार्रवाई शुरू की तो विरोध में आसपास के कुछ लोग पहुंच गए। उन्हें अफसरों ने समझाइश देकर शांत कराया।


मंदिर के अवैध निर्माण को तोड़ने की कार्रवाई की तो नगर निगम के विरोध में बजरंग दल के कार्यकर्ताओं ने प्रदर्शन किया।

પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર તોડાયું 

મંદિર તોડવાની કાર્યવાહી કરવા નગર નિગમની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ પહોંચી ગઈ હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. રાત્રે નોટિસ પણ લગાવવામાં આવી હતી. પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અતિક્રમણ હટાવવા જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.