દેશની 36 બેંકોને 56,000 કરોડનો ચુનો, ભૂષણ સ્ટીલના નીરજ સિંઘલે કેવી રીતે આચર્યું કૌંભાડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 16:04:56

ભારતમાં બેંકોને કરોડોનો ચુનો લગાવીને ફરાર થઈ જવું તે નવી વાત નથી. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા બિઝનેશ મેન તેનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે. જો કે ભૂષણ સ્ટીલના પૂર્વ એમ ડી નીરજ સિંઘલે જે કૌંભાડ કર્યું છે તે તો દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌંભાંડ છે. નીરજ સિંઘલે દેશની 36 બેંકોને 56 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભૂષણ સ્ટીલ હાલ નાદાર થઈ ચુકી છે, અને ટાટા સ્ટીલે તેનું અધિગ્રહણ કર્યું છે.


કેવી રીતે આચર્યું કૌંભાડ?


મીડિયા રિપોર્ટ મુજબ નીરજ સિંઘલે શેલ કંપનીઓ બનાવીને બેંકો સાથે કરોડો  રૂપિયાની છેંતરપિંડી આચરી છે. નીરજે દેશની 36 બેંકોને 56000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે.તેણે શેલ કંપનીઓ બનાવી તેની મદદથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ રીતે તેના પર મલ્ટીપલ ટ્રાન્જેક્સનનો આરોપ લાગ્યો છે. બેંકો પાસેથી કંપનીનો બિઝનેશ વધારવા માટે લીધેલી કરોડોની લોન તેના અંગત ઉપયોગ માટે કર્યા હોવાનો બેંકોએ આરોપ લગાવ્યો છે. તેણે આ બેંક લોનનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, શોપિંગ, પાર્ટીઓ કરવા, મોંઘાદાટ કારો ખરીદવા પાછળ ખર્ચ્યા હોવાનો આરોપ લાગ્યો છે.


આ બેંકોને કરોડોનું નુકસાન


 નીરજ સિંઘલે 36 બેંકોના 56000 કરોડ રૂપિયા ઓળવી ગયો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, અલ્લાહબાદ બેંક સહિતનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓએ નીરજ સિંઘલની કરોડોની છેંતરપિંડીનો ખુલાસો કરતા જણાવ્યું કે બનાવટીના ડોક્યુમેન્ટના સહારે બેંકો પાસેથી મોટી લોન ઉપાડી હતી. તેણે ભૂષણ સ્ટીલ મારફતે લેટર ઓફ ક્રેડિટ (LCs) બનાવી અને બેંકો પાસેથી મોટું ફંડ મેળવ્યું હતું.  હાલ તો ઈડીએ નીરજ સામે કેસ દાખલ કરીને તેને 10 દિવસના રિમાન્ડ પર લીધો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.