દેશની 36 બેંકોને 56,000 કરોડનો ચુનો, ભૂષણ સ્ટીલના નીરજ સિંઘલે કેવી રીતે આચર્યું કૌંભાડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 16:04:56

ભારતમાં બેંકોને કરોડોનો ચુનો લગાવીને ફરાર થઈ જવું તે નવી વાત નથી. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા બિઝનેશ મેન તેનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે. જો કે ભૂષણ સ્ટીલના પૂર્વ એમ ડી નીરજ સિંઘલે જે કૌંભાડ કર્યું છે તે તો દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌંભાંડ છે. નીરજ સિંઘલે દેશની 36 બેંકોને 56 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભૂષણ સ્ટીલ હાલ નાદાર થઈ ચુકી છે, અને ટાટા સ્ટીલે તેનું અધિગ્રહણ કર્યું છે.


કેવી રીતે આચર્યું કૌંભાડ?


મીડિયા રિપોર્ટ મુજબ નીરજ સિંઘલે શેલ કંપનીઓ બનાવીને બેંકો સાથે કરોડો  રૂપિયાની છેંતરપિંડી આચરી છે. નીરજે દેશની 36 બેંકોને 56000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે.તેણે શેલ કંપનીઓ બનાવી તેની મદદથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ રીતે તેના પર મલ્ટીપલ ટ્રાન્જેક્સનનો આરોપ લાગ્યો છે. બેંકો પાસેથી કંપનીનો બિઝનેશ વધારવા માટે લીધેલી કરોડોની લોન તેના અંગત ઉપયોગ માટે કર્યા હોવાનો બેંકોએ આરોપ લગાવ્યો છે. તેણે આ બેંક લોનનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, શોપિંગ, પાર્ટીઓ કરવા, મોંઘાદાટ કારો ખરીદવા પાછળ ખર્ચ્યા હોવાનો આરોપ લાગ્યો છે.


આ બેંકોને કરોડોનું નુકસાન


 નીરજ સિંઘલે 36 બેંકોના 56000 કરોડ રૂપિયા ઓળવી ગયો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, અલ્લાહબાદ બેંક સહિતનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓએ નીરજ સિંઘલની કરોડોની છેંતરપિંડીનો ખુલાસો કરતા જણાવ્યું કે બનાવટીના ડોક્યુમેન્ટના સહારે બેંકો પાસેથી મોટી લોન ઉપાડી હતી. તેણે ભૂષણ સ્ટીલ મારફતે લેટર ઓફ ક્રેડિટ (LCs) બનાવી અને બેંકો પાસેથી મોટું ફંડ મેળવ્યું હતું.  હાલ તો ઈડીએ નીરજ સામે કેસ દાખલ કરીને તેને 10 દિવસના રિમાન્ડ પર લીધો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.