દેશની 36 બેંકોને 56,000 કરોડનો ચુનો, ભૂષણ સ્ટીલના નીરજ સિંઘલે કેવી રીતે આચર્યું કૌંભાડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 16:04:56

ભારતમાં બેંકોને કરોડોનો ચુનો લગાવીને ફરાર થઈ જવું તે નવી વાત નથી. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા બિઝનેશ મેન તેનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે. જો કે ભૂષણ સ્ટીલના પૂર્વ એમ ડી નીરજ સિંઘલે જે કૌંભાડ કર્યું છે તે તો દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌંભાંડ છે. નીરજ સિંઘલે દેશની 36 બેંકોને 56 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભૂષણ સ્ટીલ હાલ નાદાર થઈ ચુકી છે, અને ટાટા સ્ટીલે તેનું અધિગ્રહણ કર્યું છે.


કેવી રીતે આચર્યું કૌંભાડ?


મીડિયા રિપોર્ટ મુજબ નીરજ સિંઘલે શેલ કંપનીઓ બનાવીને બેંકો સાથે કરોડો  રૂપિયાની છેંતરપિંડી આચરી છે. નીરજે દેશની 36 બેંકોને 56000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે.તેણે શેલ કંપનીઓ બનાવી તેની મદદથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ રીતે તેના પર મલ્ટીપલ ટ્રાન્જેક્સનનો આરોપ લાગ્યો છે. બેંકો પાસેથી કંપનીનો બિઝનેશ વધારવા માટે લીધેલી કરોડોની લોન તેના અંગત ઉપયોગ માટે કર્યા હોવાનો બેંકોએ આરોપ લગાવ્યો છે. તેણે આ બેંક લોનનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, શોપિંગ, પાર્ટીઓ કરવા, મોંઘાદાટ કારો ખરીદવા પાછળ ખર્ચ્યા હોવાનો આરોપ લાગ્યો છે.


આ બેંકોને કરોડોનું નુકસાન


 નીરજ સિંઘલે 36 બેંકોના 56000 કરોડ રૂપિયા ઓળવી ગયો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, અલ્લાહબાદ બેંક સહિતનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓએ નીરજ સિંઘલની કરોડોની છેંતરપિંડીનો ખુલાસો કરતા જણાવ્યું કે બનાવટીના ડોક્યુમેન્ટના સહારે બેંકો પાસેથી મોટી લોન ઉપાડી હતી. તેણે ભૂષણ સ્ટીલ મારફતે લેટર ઓફ ક્રેડિટ (LCs) બનાવી અને બેંકો પાસેથી મોટું ફંડ મેળવ્યું હતું.  હાલ તો ઈડીએ નીરજ સામે કેસ દાખલ કરીને તેને 10 દિવસના રિમાન્ડ પર લીધો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.