દેશની 36 બેંકોને 56,000 કરોડનો ચુનો, ભૂષણ સ્ટીલના નીરજ સિંઘલે કેવી રીતે આચર્યું કૌંભાડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-12 16:04:56

ભારતમાં બેંકોને કરોડોનો ચુનો લગાવીને ફરાર થઈ જવું તે નવી વાત નથી. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા બિઝનેશ મેન તેનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે. જો કે ભૂષણ સ્ટીલના પૂર્વ એમ ડી નીરજ સિંઘલે જે કૌંભાડ કર્યું છે તે તો દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌંભાંડ છે. નીરજ સિંઘલે દેશની 36 બેંકોને 56 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભૂષણ સ્ટીલ હાલ નાદાર થઈ ચુકી છે, અને ટાટા સ્ટીલે તેનું અધિગ્રહણ કર્યું છે.


કેવી રીતે આચર્યું કૌંભાડ?


મીડિયા રિપોર્ટ મુજબ નીરજ સિંઘલે શેલ કંપનીઓ બનાવીને બેંકો સાથે કરોડો  રૂપિયાની છેંતરપિંડી આચરી છે. નીરજે દેશની 36 બેંકોને 56000 રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે.તેણે શેલ કંપનીઓ બનાવી તેની મદદથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ રીતે તેના પર મલ્ટીપલ ટ્રાન્જેક્સનનો આરોપ લાગ્યો છે. બેંકો પાસેથી કંપનીનો બિઝનેશ વધારવા માટે લીધેલી કરોડોની લોન તેના અંગત ઉપયોગ માટે કર્યા હોવાનો બેંકોએ આરોપ લગાવ્યો છે. તેણે આ બેંક લોનનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, શોપિંગ, પાર્ટીઓ કરવા, મોંઘાદાટ કારો ખરીદવા પાછળ ખર્ચ્યા હોવાનો આરોપ લાગ્યો છે.


આ બેંકોને કરોડોનું નુકસાન


 નીરજ સિંઘલે 36 બેંકોના 56000 કરોડ રૂપિયા ઓળવી ગયો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, અલ્લાહબાદ બેંક સહિતનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓએ નીરજ સિંઘલની કરોડોની છેંતરપિંડીનો ખુલાસો કરતા જણાવ્યું કે બનાવટીના ડોક્યુમેન્ટના સહારે બેંકો પાસેથી મોટી લોન ઉપાડી હતી. તેણે ભૂષણ સ્ટીલ મારફતે લેટર ઓફ ક્રેડિટ (LCs) બનાવી અને બેંકો પાસેથી મોટું ફંડ મેળવ્યું હતું.  હાલ તો ઈડીએ નીરજ સામે કેસ દાખલ કરીને તેને 10 દિવસના રિમાન્ડ પર લીધો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.