નીતીશ કુમારે અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, મલ્લિકાર્જુન ખડગેના ઘરે થયું હતું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-04-12 16:03:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકો માટે  ભલે ચૂંટણી આવવાને એક વર્ષનો સમય બાકી લાગતો હોય પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઘણો ઓછો માનતી હોય છે. ઘણા સમય પહેલાથી ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી જતી હોય છે. ત્યારે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે.સીએમ તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. 2024ને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વની માનવામાં આવે છે.

    


રાહુલ ગાંધી સાથે નીતીશ કુમારે કરી મુલાકાત 

નીતીશ કુમાર હાલ ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે છે. મંગળવારે નીતીશ કુમારે લાલુ યાદવ સાથે બેઠક કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.    


ગઈકાલે રાહુલ ગાંધીએ લીધી હતી વાયનાડની મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમની દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ કર્યો હતો. ત્યારે ગઈકાલે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનસંબોધન પણ કર્યું હતું. ઉપરાંત રેલીનું આયોજન પણ કર્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.