નીતીશ કુમારે અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, મલ્લિકાર્જુન ખડગેના ઘરે થયું હતું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-04-12 16:03:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકો માટે  ભલે ચૂંટણી આવવાને એક વર્ષનો સમય બાકી લાગતો હોય પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઘણો ઓછો માનતી હોય છે. ઘણા સમય પહેલાથી ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી જતી હોય છે. ત્યારે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે.સીએમ તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. 2024ને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વની માનવામાં આવે છે.

    


રાહુલ ગાંધી સાથે નીતીશ કુમારે કરી મુલાકાત 

નીતીશ કુમાર હાલ ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે છે. મંગળવારે નીતીશ કુમારે લાલુ યાદવ સાથે બેઠક કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.    


ગઈકાલે રાહુલ ગાંધીએ લીધી હતી વાયનાડની મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમની દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ કર્યો હતો. ત્યારે ગઈકાલે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનસંબોધન પણ કર્યું હતું. ઉપરાંત રેલીનું આયોજન પણ કર્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.