વિપક્ષોની એકતા માટે નિતીશ કુમારે કરી હાકલ, દિલ્હીમાં વિવિધ નેતાઓ સાથે કરી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-04-12 22:45:12

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સતત વિપક્ષી એકતાને આગળ વધારવાના પ્રયાસમાં લાગ્યા છે. વર્ષ 2024 પહેલા મોદી સરકારને ટક્કર આપવા માટે નીતિશ બાબુ તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે તેમણે આજે એટલે કે 12મી એપ્રિલે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને ત્યાર બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બંને બેઠક દરમિયાન બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ સીએમ નીતિશની સાથે જોવા મળ્યા હતા. 


દેશ હાલ ખૂબ જ મુશ્કેલ તબક્કામાં


બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલને મળ્યા બાદ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે વધુને વધુ વિપક્ષી દળોને એકજુથ કરીશું. બંને મુખ્યમંત્રીઓ એક સાથે આવ્યા અને કહ્યું કે હાલ દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશની અંદર છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે અને કેન્દ્રમાં સરકાર બદલે અને એવી સરકાર આવે જે દેશને વિકાસ આપી શકે.

 

વિપક્ષો એક થાઓ! 


આ પૂર્વે  નીતીશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. નીતિશ કુમારે ખડગે, રાહુલ અને તેજસ્વી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે દેશમાં વધુને વધુ પક્ષોને એક કરવાના તમામ પ્રયાસો કરીશું. અમે બધા સાથે મળીને કામ કરીશું. અમે આજના નિર્ણયો અનુસાર આગળ વધીશું. જેઓ સહમત છે, તેઓ તેમની સાથે બેસીને આગળની કાર્યવાહી નક્કી કરે છે. 


આ દરમિયાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં તમામ પક્ષોને એકજૂથ કરીને એક થઈને લડવાનો અમારો નિર્ણય છે. આપણે બધા એક જ માર્ગ પર કામ કરીશું. તેજસ્વી જી, નીતિશ જી, અમારા બધા નેતાઓ જે અહીં બેઠા છે. આપણે બધા એક જ લાઇન પર કામ કરીશું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.