ના હોય! કર્ણાટકમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારે જમા કરાવ્યા એક-એકના સિક્કા, જુઓ સિક્કા ગણવામાં અધિકારીની શું થઈ હાલત


  • Published By :
  • Published Date : 2023-04-19 17:06:34

કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લાખો રુપિયા આપી ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. ત્યારે પોતાની ઉમેદવારી નોંધાવા ઉમેદવારો પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે યાદગિરી વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર યનકેપ્પાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ડિપોઝીટની રકમ જમા કરાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યા હતા.10 હજારની ડિપોઝિટ જમા કરાવા માટે એક એકના સિક્કા લઈને ઉમેદવાર પહોંચ્યા હતા.

   

એક-એકના સિક્કા લઈ ઉમેદવારે ભરી 10 હજારની ડિપોઝિટ! 

ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવી પડતી હોય છે. આમ તો સામાન્ય વ્યવ્હારમાં પણ આપણે પરચૂરણનો ઉપયોગ નથી કરતા. નોટો વાપરીએ છીએ. જો કોઈ આપણને એક-બેના સિક્કા પકડાવે અને આપણને ગણવા પડે તો? આપણે પરચૂરણનો ઉપયોગ સામાન્ય રીતે કરતા નથી અને જો આપણને કોઈ પરચૂરણ ગણવાનું કહે તો તે આપણે ના જ પાડી દઈએ. ત્યારે કર્ણાટક ચૂંટણી માટે અપક્ષ તરીકે લડવા માટે ઉમેદવારે 10 હજારનું પરચૂરણ ડિપોઝિટ તરીકે જમા કરાવી છે. 

in-karnataka-a-candidate-fills-the-nomination-form-with-10-thousand-coins-of-1-rupee-each-officials-sweat-while-counting-118643

સિક્કા ગણવામાં અધિકારીને લાગ્યો બે કલાકનો સમય!

યાદગિરી સ્થિત કાર્યાલયમમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યો હતો. ત્યાં હાજર અધિકારીને આ સિક્કા ગણવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરવા યંકપ્પા પોતાના ગળામાં બેનર લટકાવીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવારના પોસ્ટરમાં 12મી સદીના સમાજ સુધારક બસવેશ્વર, કર્ણાટકના સંત કવિ, સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર અને બંધારણની પ્રસ્તાવનાનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાવાની છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.