ના હોય! કર્ણાટકમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારે જમા કરાવ્યા એક-એકના સિક્કા, જુઓ સિક્કા ગણવામાં અધિકારીની શું થઈ હાલત


  • Published By :
  • Published Date : 2023-04-19 17:06:34

કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લાખો રુપિયા આપી ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. ત્યારે પોતાની ઉમેદવારી નોંધાવા ઉમેદવારો પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે યાદગિરી વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર યનકેપ્પાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ડિપોઝીટની રકમ જમા કરાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યા હતા.10 હજારની ડિપોઝિટ જમા કરાવા માટે એક એકના સિક્કા લઈને ઉમેદવાર પહોંચ્યા હતા.

   

એક-એકના સિક્કા લઈ ઉમેદવારે ભરી 10 હજારની ડિપોઝિટ! 

ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવી પડતી હોય છે. આમ તો સામાન્ય વ્યવ્હારમાં પણ આપણે પરચૂરણનો ઉપયોગ નથી કરતા. નોટો વાપરીએ છીએ. જો કોઈ આપણને એક-બેના સિક્કા પકડાવે અને આપણને ગણવા પડે તો? આપણે પરચૂરણનો ઉપયોગ સામાન્ય રીતે કરતા નથી અને જો આપણને કોઈ પરચૂરણ ગણવાનું કહે તો તે આપણે ના જ પાડી દઈએ. ત્યારે કર્ણાટક ચૂંટણી માટે અપક્ષ તરીકે લડવા માટે ઉમેદવારે 10 હજારનું પરચૂરણ ડિપોઝિટ તરીકે જમા કરાવી છે. 

in-karnataka-a-candidate-fills-the-nomination-form-with-10-thousand-coins-of-1-rupee-each-officials-sweat-while-counting-118643

સિક્કા ગણવામાં અધિકારીને લાગ્યો બે કલાકનો સમય!

યાદગિરી સ્થિત કાર્યાલયમમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યો હતો. ત્યાં હાજર અધિકારીને આ સિક્કા ગણવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરવા યંકપ્પા પોતાના ગળામાં બેનર લટકાવીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવારના પોસ્ટરમાં 12મી સદીના સમાજ સુધારક બસવેશ્વર, કર્ણાટકના સંત કવિ, સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર અને બંધારણની પ્રસ્તાવનાનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાવાની છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.