ના હોય! કર્ણાટકમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારે જમા કરાવ્યા એક-એકના સિક્કા, જુઓ સિક્કા ગણવામાં અધિકારીની શું થઈ હાલત


  • Published By :
  • Published Date : 2023-04-19 17:06:34

કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લાખો રુપિયા આપી ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. ત્યારે પોતાની ઉમેદવારી નોંધાવા ઉમેદવારો પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે યાદગિરી વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર યનકેપ્પાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ડિપોઝીટની રકમ જમા કરાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યા હતા.10 હજારની ડિપોઝિટ જમા કરાવા માટે એક એકના સિક્કા લઈને ઉમેદવાર પહોંચ્યા હતા.

   

એક-એકના સિક્કા લઈ ઉમેદવારે ભરી 10 હજારની ડિપોઝિટ! 

ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવી પડતી હોય છે. આમ તો સામાન્ય વ્યવ્હારમાં પણ આપણે પરચૂરણનો ઉપયોગ નથી કરતા. નોટો વાપરીએ છીએ. જો કોઈ આપણને એક-બેના સિક્કા પકડાવે અને આપણને ગણવા પડે તો? આપણે પરચૂરણનો ઉપયોગ સામાન્ય રીતે કરતા નથી અને જો આપણને કોઈ પરચૂરણ ગણવાનું કહે તો તે આપણે ના જ પાડી દઈએ. ત્યારે કર્ણાટક ચૂંટણી માટે અપક્ષ તરીકે લડવા માટે ઉમેદવારે 10 હજારનું પરચૂરણ ડિપોઝિટ તરીકે જમા કરાવી છે. 

in-karnataka-a-candidate-fills-the-nomination-form-with-10-thousand-coins-of-1-rupee-each-officials-sweat-while-counting-118643

સિક્કા ગણવામાં અધિકારીને લાગ્યો બે કલાકનો સમય!

યાદગિરી સ્થિત કાર્યાલયમમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યો હતો. ત્યાં હાજર અધિકારીને આ સિક્કા ગણવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરવા યંકપ્પા પોતાના ગળામાં બેનર લટકાવીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવારના પોસ્ટરમાં 12મી સદીના સમાજ સુધારક બસવેશ્વર, કર્ણાટકના સંત કવિ, સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર અને બંધારણની પ્રસ્તાવનાનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાવાની છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.