ના હોય! કર્ણાટકમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારે જમા કરાવ્યા એક-એકના સિક્કા, જુઓ સિક્કા ગણવામાં અધિકારીની શું થઈ હાલત


  • Published By :
  • Published Date : 2023-04-19 17:06:34

કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લાખો રુપિયા આપી ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. ત્યારે પોતાની ઉમેદવારી નોંધાવા ઉમેદવારો પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે યાદગિરી વિધાનસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર યનકેપ્પાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ડિપોઝીટની રકમ જમા કરાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યા હતા.10 હજારની ડિપોઝિટ જમા કરાવા માટે એક એકના સિક્કા લઈને ઉમેદવાર પહોંચ્યા હતા.

   

એક-એકના સિક્કા લઈ ઉમેદવારે ભરી 10 હજારની ડિપોઝિટ! 

ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ડિપોઝિટની રકમ જમા કરાવી પડતી હોય છે. આમ તો સામાન્ય વ્યવ્હારમાં પણ આપણે પરચૂરણનો ઉપયોગ નથી કરતા. નોટો વાપરીએ છીએ. જો કોઈ આપણને એક-બેના સિક્કા પકડાવે અને આપણને ગણવા પડે તો? આપણે પરચૂરણનો ઉપયોગ સામાન્ય રીતે કરતા નથી અને જો આપણને કોઈ પરચૂરણ ગણવાનું કહે તો તે આપણે ના જ પાડી દઈએ. ત્યારે કર્ણાટક ચૂંટણી માટે અપક્ષ તરીકે લડવા માટે ઉમેદવારે 10 હજારનું પરચૂરણ ડિપોઝિટ તરીકે જમા કરાવી છે. 

in-karnataka-a-candidate-fills-the-nomination-form-with-10-thousand-coins-of-1-rupee-each-officials-sweat-while-counting-118643

સિક્કા ગણવામાં અધિકારીને લાગ્યો બે કલાકનો સમય!

યાદગિરી સ્થિત કાર્યાલયમમાં ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા એક એકના સિક્કા લઈને પહોંચ્યો હતો. ત્યાં હાજર અધિકારીને આ સિક્કા ગણવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. ઉમેદવારી પત્ર દાખલ કરવા યંકપ્પા પોતાના ગળામાં બેનર લટકાવીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. અપક્ષ ઉમેદવારના પોસ્ટરમાં 12મી સદીના સમાજ સુધારક બસવેશ્વર, કર્ણાટકના સંત કવિ, સ્વામી વિવેકાનંદ, ડો. બાબા સાહેબ આંબેડકર અને બંધારણની પ્રસ્તાવનાનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક જ તબક્કામાં યોજાવાની છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.