ઓડિસા ટ્રેન દુર્ઘટના: CBIને અકસ્માતની કડી મળી, એક અધિકારી સહિત 5 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-12 15:03:08

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIની ટીમે મહત્વની કાર્યવાહી કરતા 5 લોકોની અટકાયત કરી છે. ઓડિસાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં 5 લોકોની અટકાયત કરી હતી. આ 5 લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. CBIએ કથિત રીતે બહાનાગા ASMની પણ અટકાયત કરી છે. 


CBIની ટીમે કેટલાક લોકોની કરી પૂછપરછ


CBIની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. CBIની ટીમ આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. અકસ્માતની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. લગભગ 9 અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના માટે જવાબદાર હતા તેઓ હવે CBIના સ્કેનર હેઠળ છે. કેન્દ્રીય બ્યુરો સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પૂછપરછ કરી રહી છે. 


બહાનગા બજાર સ્ટેશન સીલ


અત્રે ઉલ્લેખનિય છે કે બહાનગા બજાર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી CBI તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલ્વે સ્ટેશન પરથી વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. CBIની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288ના મોત જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.