ઓડિસા ટ્રેન દુર્ઘટના: CBIને અકસ્માતની કડી મળી, એક અધિકારી સહિત 5 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-12 15:03:08

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIની ટીમે મહત્વની કાર્યવાહી કરતા 5 લોકોની અટકાયત કરી છે. ઓડિસાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં 5 લોકોની અટકાયત કરી હતી. આ 5 લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. CBIએ કથિત રીતે બહાનાગા ASMની પણ અટકાયત કરી છે. 


CBIની ટીમે કેટલાક લોકોની કરી પૂછપરછ


CBIની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. CBIની ટીમ આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. અકસ્માતની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. લગભગ 9 અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના માટે જવાબદાર હતા તેઓ હવે CBIના સ્કેનર હેઠળ છે. કેન્દ્રીય બ્યુરો સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પૂછપરછ કરી રહી છે. 


બહાનગા બજાર સ્ટેશન સીલ


અત્રે ઉલ્લેખનિય છે કે બહાનગા બજાર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી CBI તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલ્વે સ્ટેશન પરથી વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. CBIની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288ના મોત જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.