ઓડિસા ટ્રેન દુર્ઘટના: CBIને અકસ્માતની કડી મળી, એક અધિકારી સહિત 5 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-12 15:03:08

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIની ટીમે મહત્વની કાર્યવાહી કરતા 5 લોકોની અટકાયત કરી છે. ઓડિસાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં 5 લોકોની અટકાયત કરી હતી. આ 5 લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. CBIએ કથિત રીતે બહાનાગા ASMની પણ અટકાયત કરી છે. 


CBIની ટીમે કેટલાક લોકોની કરી પૂછપરછ


CBIની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. CBIની ટીમ આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. અકસ્માતની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. લગભગ 9 અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના માટે જવાબદાર હતા તેઓ હવે CBIના સ્કેનર હેઠળ છે. કેન્દ્રીય બ્યુરો સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પૂછપરછ કરી રહી છે. 


બહાનગા બજાર સ્ટેશન સીલ


અત્રે ઉલ્લેખનિય છે કે બહાનગા બજાર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી CBI તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલ્વે સ્ટેશન પરથી વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. CBIની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288ના મોત જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.