ઓડિસા ટ્રેન દુર્ઘટના: CBIને અકસ્માતની કડી મળી, એક અધિકારી સહિત 5 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-12 15:03:08

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIની ટીમે મહત્વની કાર્યવાહી કરતા 5 લોકોની અટકાયત કરી છે. ઓડિસાના બાલાસોર જિલ્લાના બહાનાગા ખાતે 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં 5 લોકોની અટકાયત કરી હતી. આ 5 લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. CBIએ કથિત રીતે બહાનાગા ASMની પણ અટકાયત કરી છે. 


CBIની ટીમે કેટલાક લોકોની કરી પૂછપરછ


CBIની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. CBIની ટીમ આ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. અકસ્માતની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. લગભગ 9 અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટના માટે જવાબદાર હતા તેઓ હવે CBIના સ્કેનર હેઠળ છે. કેન્દ્રીય બ્યુરો સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પૂછપરછ કરી રહી છે. 


બહાનગા બજાર સ્ટેશન સીલ


અત્રે ઉલ્લેખનિય છે કે બહાનગા બજાર સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી CBI તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલ્વે સ્ટેશન પરથી વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. CBIની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288ના મોત જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.