પુલવામા હુમલાની આજે ચોથી વરસી, પીએમ સહિત અનેક રાજનેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-14 14:17:38

એક તરફ 14મી ફ્રેબુઆરીના રોજ લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ દેશના જવાનો આતંકવાદીઓનો નિશાન બન્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દેશના જવાનોનો કાફલો પસાર થતો હતો તે દરમિયાન વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સમર્થિક જૈશે મહોમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા 40 સીઆરપીએફ જવાનો શહીદ થઈ ગયા હતા.  

પુલવામા આતંકી હુમલાને 4 વર્ષ થયા, ભારતે લીધો હતો આ રીતે બદલો - pulwama  attack fourth anniversary – News18 Gujarati


40 જવાનો થયા હતા શહીદ 

14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ દેશના જવાનો પર હુમલો કર્યો હતો. સવાર સુધી માહોલ એકદમ નોર્મલ હતો પરંતુ બપોર બાદ આ માહોલ બદલાઈ ગયો હતો. દેશના જવાનો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો દરમિયાન વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં 40 જવાનો શહિદ થઈ ગયા હતા. હુમલો થયો બાદ જવાનોને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી. 



પીએમ મોદી, અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ 

આ હુમલાની આજે ચોથી વરસી છે. આ દિવસે અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે એ વીરોને યાદ કરી રહ્યો છું, જેમને આપણે પુલવામામાં ખોઈ દીધા છે. તેમના સર્વોચ્ચ બલિદાનને નહીં ભૂલી શકીએ. તે ઉપરાંત અમિત શાહે પણ વીર જવાનોને યાદ કર્યા છે. તેમણે લખ્યું કે હું 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા આતંકીહુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવું છું.

        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.