પુલવામા હુમલાની આજે ચોથી વરસી, પીએમ સહિત અનેક રાજનેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-14 14:17:38

એક તરફ 14મી ફ્રેબુઆરીના રોજ લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ દેશના જવાનો આતંકવાદીઓનો નિશાન બન્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દેશના જવાનોનો કાફલો પસાર થતો હતો તે દરમિયાન વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સમર્થિક જૈશે મહોમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા 40 સીઆરપીએફ જવાનો શહીદ થઈ ગયા હતા.  

પુલવામા આતંકી હુમલાને 4 વર્ષ થયા, ભારતે લીધો હતો આ રીતે બદલો - pulwama  attack fourth anniversary – News18 Gujarati


40 જવાનો થયા હતા શહીદ 

14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ દેશના જવાનો પર હુમલો કર્યો હતો. સવાર સુધી માહોલ એકદમ નોર્મલ હતો પરંતુ બપોર બાદ આ માહોલ બદલાઈ ગયો હતો. દેશના જવાનો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો દરમિયાન વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં 40 જવાનો શહિદ થઈ ગયા હતા. હુમલો થયો બાદ જવાનોને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી. 



પીએમ મોદી, અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ 

આ હુમલાની આજે ચોથી વરસી છે. આ દિવસે અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે એ વીરોને યાદ કરી રહ્યો છું, જેમને આપણે પુલવામામાં ખોઈ દીધા છે. તેમના સર્વોચ્ચ બલિદાનને નહીં ભૂલી શકીએ. તે ઉપરાંત અમિત શાહે પણ વીર જવાનોને યાદ કર્યા છે. તેમણે લખ્યું કે હું 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા આતંકીહુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવું છું.

        




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.