પુલવામા હુમલાની આજે ચોથી વરસી, પીએમ સહિત અનેક રાજનેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-02-14 14:17:38

એક તરફ 14મી ફ્રેબુઆરીના રોજ લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ દેશના જવાનો આતંકવાદીઓનો નિશાન બન્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દેશના જવાનોનો કાફલો પસાર થતો હતો તે દરમિયાન વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સમર્થિક જૈશે મહોમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા 40 સીઆરપીએફ જવાનો શહીદ થઈ ગયા હતા.  

પુલવામા આતંકી હુમલાને 4 વર્ષ થયા, ભારતે લીધો હતો આ રીતે બદલો - pulwama  attack fourth anniversary – News18 Gujarati


40 જવાનો થયા હતા શહીદ 

14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ દેશના જવાનો પર હુમલો કર્યો હતો. સવાર સુધી માહોલ એકદમ નોર્મલ હતો પરંતુ બપોર બાદ આ માહોલ બદલાઈ ગયો હતો. દેશના જવાનો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો દરમિયાન વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં 40 જવાનો શહિદ થઈ ગયા હતા. હુમલો થયો બાદ જવાનોને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી. 



પીએમ મોદી, અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ 

આ હુમલાની આજે ચોથી વરસી છે. આ દિવસે અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે એ વીરોને યાદ કરી રહ્યો છું, જેમને આપણે પુલવામામાં ખોઈ દીધા છે. તેમના સર્વોચ્ચ બલિદાનને નહીં ભૂલી શકીએ. તે ઉપરાંત અમિત શાહે પણ વીર જવાનોને યાદ કર્યા છે. તેમણે લખ્યું કે હું 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા આતંકીહુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવું છું.

        




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.