અદાણી મામલે સંસદમાં વિપક્ષોનો હોબાળો, વિરોધ પક્ષોએ JPCની માગ કરી, કાર્યવાહી ઠપ


  • Published By :
  • Published Date : 2023-02-02 19:14:27

ગૌતમ અદાણીની કંપનીઓને લઈ હિંડેનબર્ગની રિપોર્ટ જાહેર થયા બાદ હડકંપ મચી ગયો છે. આજે વિરોધ પક્ષોએ અદાણી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને સંસદમાં ઘેરી હતી, વિરોધ પક્ષોએ એકજુથ થઈ આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી હતી. 


વિપક્ષોનો સંસદમાં હોબાળો 


આજે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર એક પ્રમોટર અંગે નહીં, પરંતું સમગ્ર રેગ્યુલેટરી સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું LIC અને SBIમાં રહેલી મોટી રકમને પ્રધાનમંત્રીએ એવા ગ્રુપના હવાલે કરી દીધી જેના પર કોર્પોરેટ ફ્રોડનો આરોપ છે. દેશના લોકોની ડિપોઝીટની રકમને ડુબાડવામાં કોઈ કસર છોડી નથી. પીએમ મોદીએ એલઆઈસીના 29 કરોડ અને એલઆઈસીના 45 કરોડ ખાતાધારકોની સાથે દગો કર્યો છે. પવન ખેડાએ કહ્યું અમારી પાર્ટી ક્રોની કેપિટાલિઝ્મ વિરૂધ્ધ છે, દેશના કેટલાક પસંદગીના અબજોપતિઓ માટે નિયમ બદલીને ફાયદો પહોંચાડવામાં આવે છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ. 


સંસદની કાર્યવાદી ઠપ


સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જેવો પ્રશ્ન કાળ શરૂ કર્યો કે તરત જ વિપક્ષે સંયુક્ત રીતે સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. વિપક્ષના સાંસદોએ હિડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા કરવા અને સંયુક્ત સંસદીય સમિતી દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. જો કે હોબાળો વધી જતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી શુક્રવાર સુધી મુલત્વી જાહેર કરી હતી. આ જ પ્રકારે રાજ્ય સભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે કાર્ય સ્થગનની જોગવાઈનવાળા નિયમ 267 હેઠળ અદાણી મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી, જો કે પ્રસ્તાન નામંજુર થતાં અંતે રાજ્યસભાની કાર્યવાહી મોકુફ જાહેર કરી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.