અદાણી મામલે સંસદમાં વિપક્ષોનો હોબાળો, વિરોધ પક્ષોએ JPCની માગ કરી, કાર્યવાહી ઠપ


  • Published By :
  • Published Date : 2023-02-02 19:14:27

ગૌતમ અદાણીની કંપનીઓને લઈ હિંડેનબર્ગની રિપોર્ટ જાહેર થયા બાદ હડકંપ મચી ગયો છે. આજે વિરોધ પક્ષોએ અદાણી મુદ્દે કેન્દ્રની મોદી સરકારને સંસદમાં ઘેરી હતી, વિરોધ પક્ષોએ એકજુથ થઈ આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી હતી. 


વિપક્ષોનો સંસદમાં હોબાળો 


આજે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું આ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે આ માત્ર એક પ્રમોટર અંગે નહીં, પરંતું સમગ્ર રેગ્યુલેટરી સિસ્ટમ પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું LIC અને SBIમાં રહેલી મોટી રકમને પ્રધાનમંત્રીએ એવા ગ્રુપના હવાલે કરી દીધી જેના પર કોર્પોરેટ ફ્રોડનો આરોપ છે. દેશના લોકોની ડિપોઝીટની રકમને ડુબાડવામાં કોઈ કસર છોડી નથી. પીએમ મોદીએ એલઆઈસીના 29 કરોડ અને એલઆઈસીના 45 કરોડ ખાતાધારકોની સાથે દગો કર્યો છે. પવન ખેડાએ કહ્યું અમારી પાર્ટી ક્રોની કેપિટાલિઝ્મ વિરૂધ્ધ છે, દેશના કેટલાક પસંદગીના અબજોપતિઓ માટે નિયમ બદલીને ફાયદો પહોંચાડવામાં આવે છે, અને અમે તેનો વિરોધ કરીએ છીએ. 


સંસદની કાર્યવાદી ઠપ


સંસદના બજેટ સત્રના ત્રીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જેવો પ્રશ્ન કાળ શરૂ કર્યો કે તરત જ વિપક્ષે સંયુક્ત રીતે સુત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. વિપક્ષના સાંસદોએ હિડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા કરવા અને સંયુક્ત સંસદીય સમિતી દ્વારા તપાસ કરાવવાની માગ કરી હતી. જો કે હોબાળો વધી જતા લોકસભા અધ્યક્ષે કાર્યવાહી શુક્રવાર સુધી મુલત્વી જાહેર કરી હતી. આ જ પ્રકારે રાજ્ય સભામાં પણ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે કાર્ય સ્થગનની જોગવાઈનવાળા નિયમ 267 હેઠળ અદાણી મુદ્દે ચર્ચા કરાવવાની માગ કરી હતી, જો કે પ્રસ્તાન નામંજુર થતાં અંતે રાજ્યસભાની કાર્યવાહી મોકુફ જાહેર કરી હતી.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.