અરે ભાઈ ક્યાં છે મોંઘવારી, દેશમાં એકલા મે મહિનામાં જ 3,34,247 કારોનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-06-14 21:40:15

દેશમાં કાળઝાળ મોંઘવારીની બુમો પાડતા લોકોને તે જાણીને આશ્ચર્ય થશે કે માત્ર મે મહિનામાં જ મોંઘીદાટ કારોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સ  ( PVs, પેસેન્જર વાહનો)નું હોલસેલ વેચાણ મે મહિનામાં વાર્ષિક આધાર પર 13.54 ટકા વધીને 3,34,247 થઈ ગઈ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે મે 2022ની તુલનામાં મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું હોલસેલ વેચાણ ડબલ ડિજીટમાં વધ્યું છે.આંકડા અનુસાર, મે 2022માં મેન્યુફેક્ચરર્સે ડીલરોને PVsના 2,94,392 યુનિટ મોકલ્યા હતા. આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું હોલ વેચાણ 14,71,550 યુનિટ રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં 12,53,187 યુનિટ હતું. ટુ-વ્હીલરના વેચાણમાં 17.42 ટકાનો વધારો થયો છે.


PVsનું વેચાણ રેકોર્ડ સ્તરે 


SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનનું કહેવું છે કે મે મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. યુટિલિટી વ્હિકલનું હોલસેલ વેચાણ 35.5% વધીને 155,184 યુનિટ થયું છે. જે એક વર્ષ પહેલા મે મહિનામાં 116255 હતો. આ વેચાણમાં ટાટા મોટર્સના આંકડાનો સમાવેશ થતો નથી. જ્યારે, SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'મે 2022ની સરખામણીએ મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું જથ્થાબંધ વેચાણ બે આંકડામાં વધ્યું હતું.' આ વલણો આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.