અરે ભાઈ ક્યાં છે મોંઘવારી, દેશમાં એકલા મે મહિનામાં જ 3,34,247 કારોનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-06-14 21:40:15

દેશમાં કાળઝાળ મોંઘવારીની બુમો પાડતા લોકોને તે જાણીને આશ્ચર્ય થશે કે માત્ર મે મહિનામાં જ મોંઘીદાટ કારોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સ  ( PVs, પેસેન્જર વાહનો)નું હોલસેલ વેચાણ મે મહિનામાં વાર્ષિક આધાર પર 13.54 ટકા વધીને 3,34,247 થઈ ગઈ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે મે 2022ની તુલનામાં મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું હોલસેલ વેચાણ ડબલ ડિજીટમાં વધ્યું છે.આંકડા અનુસાર, મે 2022માં મેન્યુફેક્ચરર્સે ડીલરોને PVsના 2,94,392 યુનિટ મોકલ્યા હતા. આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું હોલ વેચાણ 14,71,550 યુનિટ રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં 12,53,187 યુનિટ હતું. ટુ-વ્હીલરના વેચાણમાં 17.42 ટકાનો વધારો થયો છે.


PVsનું વેચાણ રેકોર્ડ સ્તરે 


SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનનું કહેવું છે કે મે મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. યુટિલિટી વ્હિકલનું હોલસેલ વેચાણ 35.5% વધીને 155,184 યુનિટ થયું છે. જે એક વર્ષ પહેલા મે મહિનામાં 116255 હતો. આ વેચાણમાં ટાટા મોટર્સના આંકડાનો સમાવેશ થતો નથી. જ્યારે, SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'મે 2022ની સરખામણીએ મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું જથ્થાબંધ વેચાણ બે આંકડામાં વધ્યું હતું.' આ વલણો આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.