અરે ભાઈ ક્યાં છે મોંઘવારી, દેશમાં એકલા મે મહિનામાં જ 3,34,247 કારોનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-06-14 21:40:15

દેશમાં કાળઝાળ મોંઘવારીની બુમો પાડતા લોકોને તે જાણીને આશ્ચર્ય થશે કે માત્ર મે મહિનામાં જ મોંઘીદાટ કારોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સ  ( PVs, પેસેન્જર વાહનો)નું હોલસેલ વેચાણ મે મહિનામાં વાર્ષિક આધાર પર 13.54 ટકા વધીને 3,34,247 થઈ ગઈ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે મે 2022ની તુલનામાં મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું હોલસેલ વેચાણ ડબલ ડિજીટમાં વધ્યું છે.આંકડા અનુસાર, મે 2022માં મેન્યુફેક્ચરર્સે ડીલરોને PVsના 2,94,392 યુનિટ મોકલ્યા હતા. આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું હોલ વેચાણ 14,71,550 યુનિટ રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં 12,53,187 યુનિટ હતું. ટુ-વ્હીલરના વેચાણમાં 17.42 ટકાનો વધારો થયો છે.


PVsનું વેચાણ રેકોર્ડ સ્તરે 


SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનનું કહેવું છે કે મે મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. યુટિલિટી વ્હિકલનું હોલસેલ વેચાણ 35.5% વધીને 155,184 યુનિટ થયું છે. જે એક વર્ષ પહેલા મે મહિનામાં 116255 હતો. આ વેચાણમાં ટાટા મોટર્સના આંકડાનો સમાવેશ થતો નથી. જ્યારે, SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'મે 2022ની સરખામણીએ મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું જથ્થાબંધ વેચાણ બે આંકડામાં વધ્યું હતું.' આ વલણો આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.