અરે ભાઈ ક્યાં છે મોંઘવારી, દેશમાં એકલા મે મહિનામાં જ 3,34,247 કારોનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-06-14 21:40:15

દેશમાં કાળઝાળ મોંઘવારીની બુમો પાડતા લોકોને તે જાણીને આશ્ચર્ય થશે કે માત્ર મે મહિનામાં જ મોંઘીદાટ કારોનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હિકલ્સ  ( PVs, પેસેન્જર વાહનો)નું હોલસેલ વેચાણ મે મહિનામાં વાર્ષિક આધાર પર 13.54 ટકા વધીને 3,34,247 થઈ ગઈ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે મે 2022ની તુલનામાં મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું હોલસેલ વેચાણ ડબલ ડિજીટમાં વધ્યું છે.આંકડા અનુસાર, મે 2022માં મેન્યુફેક્ચરર્સે ડીલરોને PVsના 2,94,392 યુનિટ મોકલ્યા હતા. આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલરનું હોલ વેચાણ 14,71,550 યુનિટ રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં 12,53,187 યુનિટ હતું. ટુ-વ્હીલરના વેચાણમાં 17.42 ટકાનો વધારો થયો છે.


PVsનું વેચાણ રેકોર્ડ સ્તરે 


SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનનું કહેવું છે કે મે મહિનામાં પેસેન્જર વાહનોનું વેચાણ રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. યુટિલિટી વ્હિકલનું હોલસેલ વેચાણ 35.5% વધીને 155,184 યુનિટ થયું છે. જે એક વર્ષ પહેલા મે મહિનામાં 116255 હતો. આ વેચાણમાં ટાટા મોટર્સના આંકડાનો સમાવેશ થતો નથી. જ્યારે, SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'મે 2022ની સરખામણીએ મે 2023 દરમિયાન તમામ સેગમેન્ટમાં વાહનોનું જથ્થાબંધ વેચાણ બે આંકડામાં વધ્યું હતું.' આ વલણો આગળ પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.