પુલવામામાં ટાર્ગેટ કિલિંગ પર ભભૂક્યો લોકોનો રોષ, પૂર્વ મુખ્યમંત્રીએ સરકારને કરી આ રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-28 13:48:47

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે પુલવામામાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવ્યું હતું. કાશ્મીરી પંડિત સંજય શર્માના અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પોલિસ અધિકારી તેમજ અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સંજય શર્માના પરિવારની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ સંજય શર્માની હત્યાએ સમયે કરી હતી જ્યારે તેઓ બજારમાં પત્ની સાથે જઈ રહ્યા હતા. 


સરકાર પાસેથી ટ્રાન્સફરની કરી માગ 

આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આતંકવાદીનો શિકાર બની રહ્યા છે. ત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું હતું. આ ઘટના બાદ લોકોનો રોષ સામે આવ્યો હતો. ટ્રાન્સફરની માગ કરવામાં આવી હતી 

संजय शर्मा के हत्या के विरोध में कई कश्मीरी पंडितों ने विरोध प्रदर्शन किया।- फोटो सोशल मीडिया।

સોમવારે કરવામાં આવ્યા હતા અંતિમસંસ્કાર 

આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે રવિવારે એટીએમમાં સુરક્ષાકર્મીની ફરજ બજાવનાર સંજય શર્માની હત્યા કરવામાં આવી હતી. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધતા હુમલાને લઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?   


મહેબુબા મુફ્તીએ આપ્યું નિવેદન 

મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે બેરહેમીથી સંજય શર્માની હત્યા થઈ છે તેને લઈ અમે શર્મિંદા છીએ. કાશ્મીરી પંડિતોની મદદ કરવાવાળા મુસ્લિમો સંકટમાં છે. હું સરકારને મૃતકના પત્નીને નોકરી આપવા માટે અપીલ કરું છું. તેમના 3 છોકરા છે અને પ્રત્યેકને 5 લાખ આપવામાં આવે તેવી વાત કહી હતી. તે ઉપરાંત સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?    




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.