પુલવામામાં ટાર્ગેટ કિલિંગ પર ભભૂક્યો લોકોનો રોષ, પૂર્વ મુખ્યમંત્રીએ સરકારને કરી આ રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-28 13:48:47

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે પુલવામામાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવ્યું હતું. કાશ્મીરી પંડિત સંજય શર્માના અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં પોલિસ અધિકારી તેમજ અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સંજય શર્માના પરિવારની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ સંજય શર્માની હત્યાએ સમયે કરી હતી જ્યારે તેઓ બજારમાં પત્ની સાથે જઈ રહ્યા હતા. 


સરકાર પાસેથી ટ્રાન્સફરની કરી માગ 

આતંકવાદી હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આતંકવાદીનો શિકાર બની રહ્યા છે. ત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધન થઈ ગયું હતું. આ ઘટના બાદ લોકોનો રોષ સામે આવ્યો હતો. ટ્રાન્સફરની માગ કરવામાં આવી હતી 

संजय शर्मा के हत्या के विरोध में कई कश्मीरी पंडितों ने विरोध प्रदर्शन किया।- फोटो सोशल मीडिया।

સોમવારે કરવામાં આવ્યા હતા અંતિમસંસ્કાર 

આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહી છે. કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે રવિવારે એટીએમમાં સુરક્ષાકર્મીની ફરજ બજાવનાર સંજય શર્માની હત્યા કરવામાં આવી હતી. સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધતા હુમલાને લઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. પીડીપી પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?   


મહેબુબા મુફ્તીએ આપ્યું નિવેદન 

મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે બેરહેમીથી સંજય શર્માની હત્યા થઈ છે તેને લઈ અમે શર્મિંદા છીએ. કાશ્મીરી પંડિતોની મદદ કરવાવાળા મુસ્લિમો સંકટમાં છે. હું સરકારને મૃતકના પત્નીને નોકરી આપવા માટે અપીલ કરું છું. તેમના 3 છોકરા છે અને પ્રત્યેકને 5 લાખ આપવામાં આવે તેવી વાત કહી હતી. તે ઉપરાંત સરકાર પર પ્રહાર કર્યા છે. જો આતંકવાદ ખતમ થઈ ગયો છે તો આમને કોણે માર્યા? સરકાર શું કરી રહી છે?    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.