ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમ મોદીએ કરી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વાત, ભારતીયોની સુરક્ષાને લઈ આપ્યું આશ્વાસન


  • Published By :
  • Published Date : 2023-03-10 15:56:26

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાલ ભારતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળોની તેમણે મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને પણ નિહાળી હતી. ત્યારે દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. જે બાદ બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈને પણ વાત કરી હતી.

     


ગાર્ડ ઓફ ઓનર સાથે ઓસ્ટ્રેલિયાના પીએમનું કરાયું સ્વાગત 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ચાર દિવસના ભારતના પ્રવાસે છે. 8 માર્ચે પીએમ અમદાવાદ આવ્યા હતા. જે બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચની મજા માણી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આભાર પણ માન્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ભારત બંને સારા મિત્રો છે. અમે પાર્ટનર્સ છીએ અને પ્રતિદિન અમારી દોસ્તી મજબૂત બની રહી છે.


હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમએ કરી વાત 

બંને દેશોના વડાપ્રધાનોએ બેઠકો કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડેલિગેશન સ્તર પર વાતચીત કરવામાં આવી. વડાપ્રધાન મોદીના સિવાય વિદેશ મંત્રી એસ.જયશંકર અને અજીત ડોભાલ હાજર રહ્યા હતા. બંને વડાપ્રધાનોએ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા એન્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોમાં થતા હુમલા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા થવાના રિપોર્ટ જોયા છે. મેં આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને તેમણે મને ભરોસો આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ એમના માટે પ્રાથમિકતા છે.

        




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.