ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમ મોદીએ કરી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વાત, ભારતીયોની સુરક્ષાને લઈ આપ્યું આશ્વાસન


  • Published By :
  • Published Date : 2023-03-10 15:56:26

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાલ ભારતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળોની તેમણે મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને પણ નિહાળી હતી. ત્યારે દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. જે બાદ બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈને પણ વાત કરી હતી.

     


ગાર્ડ ઓફ ઓનર સાથે ઓસ્ટ્રેલિયાના પીએમનું કરાયું સ્વાગત 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ચાર દિવસના ભારતના પ્રવાસે છે. 8 માર્ચે પીએમ અમદાવાદ આવ્યા હતા. જે બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચની મજા માણી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આભાર પણ માન્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ભારત બંને સારા મિત્રો છે. અમે પાર્ટનર્સ છીએ અને પ્રતિદિન અમારી દોસ્તી મજબૂત બની રહી છે.


હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમએ કરી વાત 

બંને દેશોના વડાપ્રધાનોએ બેઠકો કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડેલિગેશન સ્તર પર વાતચીત કરવામાં આવી. વડાપ્રધાન મોદીના સિવાય વિદેશ મંત્રી એસ.જયશંકર અને અજીત ડોભાલ હાજર રહ્યા હતા. બંને વડાપ્રધાનોએ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા એન્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોમાં થતા હુમલા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા થવાના રિપોર્ટ જોયા છે. મેં આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને તેમણે મને ભરોસો આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ એમના માટે પ્રાથમિકતા છે.

        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.