ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમ મોદીએ કરી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે વાત, ભારતીયોની સુરક્ષાને લઈ આપ્યું આશ્વાસન


  • Published By :
  • Published Date : 2023-03-10 15:56:26

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાલ ભારતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક સ્થળોની તેમણે મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચને પણ નિહાળી હતી. ત્યારે દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. જે બાદ બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈને પણ વાત કરી હતી.

     


ગાર્ડ ઓફ ઓનર સાથે ઓસ્ટ્રેલિયાના પીએમનું કરાયું સ્વાગત 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ચાર દિવસના ભારતના પ્રવાસે છે. 8 માર્ચે પીએમ અમદાવાદ આવ્યા હતા. જે બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 9 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચની મજા માણી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આભાર પણ માન્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ભારત બંને સારા મિત્રો છે. અમે પાર્ટનર્સ છીએ અને પ્રતિદિન અમારી દોસ્તી મજબૂત બની રહી છે.


હિંદુ મંદિરો પર થતા હુમલાને લઈ પીએમએ કરી વાત 

બંને દેશોના વડાપ્રધાનોએ બેઠકો કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડેલિગેશન સ્તર પર વાતચીત કરવામાં આવી. વડાપ્રધાન મોદીના સિવાય વિદેશ મંત્રી એસ.જયશંકર અને અજીત ડોભાલ હાજર રહ્યા હતા. બંને વડાપ્રધાનોએ ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા એન્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોમાં થતા હુમલા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા થવાના રિપોર્ટ જોયા છે. મેં આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે અને તેમણે મને ભરોસો આપ્યો છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ એમના માટે પ્રાથમિકતા છે.

        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.