PM મોદીએ અચાનક જ લીધી નવા સંસદ ભવનની મુલાકાત, એક કલાકથી વધુ સમય સુધી કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-30 21:19:24

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (30 માર્ચે) આશ્ચર્યજનક રીતે નવા સંસદ ભવનનું  નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે નવી ઇમારતમાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો અને સંસદના બંને ગૃહોમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ સાથે પીએમ મોદીએ વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું.પીએમ મોદીએ નવા સંસદ ભવનના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ નવા સંસદ ભવનમાં હાજર રહ્યા હતા.  


સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે નિર્માણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે. નવા બિલ્ડિંગમાં લોકસભા ચેમ્બરમાં 888 સીટો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની જેમ તેમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. સંયુક્ત સત્રમાં લોકસભા ભવન 1,272 સભ્યોને સમાવી શકવા માટે સક્ષમ હશે. બાકીની ઇમારતમાં મંત્રીઓના કાર્યાલય અને કમિટી રૂમ સાથે 4 માળ હશે.


કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં અન્ય પ્રોજેક્ટ્સની સાથે નવી સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર હશે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.