PM મોદીએ અચાનક જ લીધી નવા સંસદ ભવનની મુલાકાત, એક કલાકથી વધુ સમય સુધી કર્યું નિરીક્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-30 21:19:24

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (30 માર્ચે) આશ્ચર્યજનક રીતે નવા સંસદ ભવનનું  નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે નવી ઇમારતમાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો અને સંસદના બંને ગૃહોમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ સાથે પીએમ મોદીએ વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું.પીએમ મોદીએ નવા સંસદ ભવનના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ નવા સંસદ ભવનમાં હાજર રહ્યા હતા.  


સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે નિર્માણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ દેશોના રાજદૂતોએ હાજરી આપી હતી. નવા સંસદ ભવનનું ક્ષેત્રફળ 64,500 ચોરસ મીટર હશે. નવા બિલ્ડિંગમાં લોકસભા ચેમ્બરમાં 888 સીટો અને રાજ્યસભા ચેમ્બરમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની જેમ તેમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. સંયુક્ત સત્રમાં લોકસભા ભવન 1,272 સભ્યોને સમાવી શકવા માટે સક્ષમ હશે. બાકીની ઇમારતમાં મંત્રીઓના કાર્યાલય અને કમિટી રૂમ સાથે 4 માળ હશે.


કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં અન્ય પ્રોજેક્ટ્સની સાથે નવી સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર હશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.