રાજસ્થાનમાં સચિન પાયલટના ધરણાને લઈ ગરમાયું રાજકારણ, પાયલટે અશોક ગેહલોત સામે ખોલ્યો છે મોરચો! ગેહલોત સરકારની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-04-11 13:04:18

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજસ્થાનના પૂર્વ ડે. સીએમ સચિન પાયલટ અનશન પર બેઠા છે. જયપુરના શહીદ સ્મારક ખાતે 11 વાગ્યાથી સચિન પાયલટ મૌન ધરણા ધરીને બેઠા છે. મળતી માહિતી અનુસાર સાંજના ચાર વાગ્યા સુધી ધરણા પર બેસશે.


   

પોસ્ટરમાં રખાયો માત્ર મહાત્મા ગાંધીનો ફોટો

કોંગ્રેસના નેતાએ પોતાની પાર્ટી વિરૂદ્ધ બાંયો ચઢાવી હોય તેવા સંકેતો તો મળી આવ્યા હતા. પરંતુ રાજનૈતિક હલચલ વધારે ત્યારે વેગવન્તી થઈ જ્યારે ધરણા સ્થળ પર લાગેલા પોસ્ટરોમાં માત્ર મહાત્મા ગાંધીનો જ ફોટો રાખવામાં આવ્યો હતો. પોસ્ટરોમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધીથી લઈ કોઈ પણ કોંગ્રેસના નેતાનો ફોટો રાખવામાં આવ્યો ન હતો. 


રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારીએ આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યું

સચિન પાયલટે અનશન પહેલા રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વસુંધરા રાજે જ્યારે સીએમ હતા ત્યારે કૌભાંડો પર પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દાને લઈ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જયપુરના શહીદ સ્મારકમાં એક દિવસના અનશન પર સચિન પાયલટ બેઠા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિહ રંધાવાએ પાયલટના આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યો છે.    


સચિન પાયલટને સમર્થન આપવા લોકો પહોંચ્યા જયપુર! 

સચિન પાયલટના આ નિર્ણય બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પાર્ટીમાં ચાલતું આંતરીક રાજકારણ ખુલ્લું પડ્યું છે. રંધાવા  જયપુરની મુલાકાત લેવાના હતા પરંતુ તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સચિન પાયલોટને સમર્થન આપવા લોકો જયપુર પહોંચી રહ્યા છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.