રાજસ્થાનમાં સચિન પાયલટના ધરણાને લઈ ગરમાયું રાજકારણ, પાયલટે અશોક ગેહલોત સામે ખોલ્યો છે મોરચો! ગેહલોત સરકારની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-04-11 13:04:18

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજસ્થાનના પૂર્વ ડે. સીએમ સચિન પાયલટ અનશન પર બેઠા છે. જયપુરના શહીદ સ્મારક ખાતે 11 વાગ્યાથી સચિન પાયલટ મૌન ધરણા ધરીને બેઠા છે. મળતી માહિતી અનુસાર સાંજના ચાર વાગ્યા સુધી ધરણા પર બેસશે.


   

પોસ્ટરમાં રખાયો માત્ર મહાત્મા ગાંધીનો ફોટો

કોંગ્રેસના નેતાએ પોતાની પાર્ટી વિરૂદ્ધ બાંયો ચઢાવી હોય તેવા સંકેતો તો મળી આવ્યા હતા. પરંતુ રાજનૈતિક હલચલ વધારે ત્યારે વેગવન્તી થઈ જ્યારે ધરણા સ્થળ પર લાગેલા પોસ્ટરોમાં માત્ર મહાત્મા ગાંધીનો જ ફોટો રાખવામાં આવ્યો હતો. પોસ્ટરોમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધીથી લઈ કોઈ પણ કોંગ્રેસના નેતાનો ફોટો રાખવામાં આવ્યો ન હતો. 


રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારીએ આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યું

સચિન પાયલટે અનશન પહેલા રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વસુંધરા રાજે જ્યારે સીએમ હતા ત્યારે કૌભાંડો પર પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દાને લઈ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જયપુરના શહીદ સ્મારકમાં એક દિવસના અનશન પર સચિન પાયલટ બેઠા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિહ રંધાવાએ પાયલટના આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યો છે.    


સચિન પાયલટને સમર્થન આપવા લોકો પહોંચ્યા જયપુર! 

સચિન પાયલટના આ નિર્ણય બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પાર્ટીમાં ચાલતું આંતરીક રાજકારણ ખુલ્લું પડ્યું છે. રંધાવા  જયપુરની મુલાકાત લેવાના હતા પરંતુ તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સચિન પાયલોટને સમર્થન આપવા લોકો જયપુર પહોંચી રહ્યા છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.