દેશના 13 રાજ્યમાં નવા રાજ્યપાલોની નિમણૂક, રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-12 15:21:50

દેશના 13 રાજ્યોને નવા રાજ્યપાલો મળ્યા છે, રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુએ આજે રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ગુલાબચંદ કટારિયાને આસામના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તો સીપી રાધાકૃષ્ણને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજેન્દ્ર વિશ્વનાથને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ (નિવૃત્ત) એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ છે 13 રાજ્યોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નર


1-ગુલાબ ચંદ કટારિયા રાજ્યપાલ, આસામ 

2- રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, રાજ્યપાલ, બિહાર

3-શિવ પ્રતાપ શુક્લા, રાજ્યપાલ, હિમાચલ પ્રદેશ

4-રમેશ બૈસ, રાજ્યપાલ, મહારાષ્ટ્ર  

5- નિવૃત્ત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર, રાજ્યપાલ, આંધ્રપ્રદેશ

6- બિસ્વા ભૂષણ હરિચંદન, રાજ્યપાલ, છત્તીસગઢ

7- અનુસુયા ઉઇકે, રાજ્યપાલ, મણિપુર

8- એલ. ગણેશન, રાજ્યપાલ, નાગાલેન્ડ

9- ફાગુ ચૌહાણ, રાજ્યપાલ, મેઘાલય

10- સીપી રાધાકૃષ્ણન, રાજ્યપાલ, ઝારખંડ 

11-લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, રાજ્યપાલ, સિક્કિમ  

12- બ્રિગેડિયર (નિવૃત્ત) બીડી મિશ્રા, લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખ 

13-લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક, રાજ્યપાલ, અરુણાચલ પ્રદેશ



મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ આપ્યું રાજીનામું 


કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએનું રાજીનામું સ્વીકારી લીધું છે. નોંધપાત્ર વાત એ છે કે ભગતસિંહ કોશ્યારી ત્યાં સતત વિવાદોમાં ફસાયા હતા. હાલમાં જ એક કાર્યક્રમમાં આપેલા તેમના નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. રાજ્યના તમામ રાજકીય પક્ષોએ તેમની આકરી ટીકા કરી હતી. આ પછી, આ પદ પર ચાલુ રાખવાની અનિચ્છા દર્શાવવાની સાથે, તેમણે કેન્દ્ર સરકારને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. જેને કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું અને તેમને પદ પરથી મુક્ત કર્યા હતા.


જસ્ટિસ અબ્દુલ નઝીર બન્યા આંધ્ર પ્રદેશના રાજ્યપાલ


જસ્ટિસ અબ્દુલ એસ નઝીર ગયા મહિને સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. વિદાય વખતે, નોટબંધીને યોગ્ય ઠેરવવાનો ચુકાદો આપ્યો કર્યો, અયોધ્યા કેસનો નિર્ણય કરનાર બેંચમાં હતા. આજે રાષ્ટ્રપતિએ તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.


બીડી મિશ્રા લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, બ્રિગેડિયર (ડૉ.) બી.ડી. મિશ્રા (નિવૃત્ત)ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.