પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી બનેલા જેકેટને પહેરી સંસદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:32:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડાં હમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે ફરી એક વખત તેમના જેકેટે સૌ કોઈને આકર્ષિત કર્યા છે. બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આભાર પ્રસ્તાવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જે જેકેટ પહર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાઈકલ કરીને બનાવામાં આવ્યું હતું. સોમવારે બેંગલુરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેકેટ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. કંપનીએ પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી આ જેકેટ બનાવ્યું છે. 


ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી ભેટ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના કપડા ઉપરાંત તેમનું જેકેટ હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ હોય. સદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલું જેકેટ પહેર્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું.  



પીએમના દરજી પાસે જેકેટ કરાયું છે તૈયાર    

PM મોદીએ જે જકેટ પહેર્યું છે તેના માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું,અને પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે લગભગ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે.અને જે જેકેટ બનાવ્યું છે તે ઈન્ડિયન ઓઈલએ  ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ તૈયાર કરાવ્યું છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.