પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી બનેલા જેકેટને પહેરી સંસદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:32:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડાં હમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે ફરી એક વખત તેમના જેકેટે સૌ કોઈને આકર્ષિત કર્યા છે. બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આભાર પ્રસ્તાવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જે જેકેટ પહર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાઈકલ કરીને બનાવામાં આવ્યું હતું. સોમવારે બેંગલુરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેકેટ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. કંપનીએ પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી આ જેકેટ બનાવ્યું છે. 


ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી ભેટ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના કપડા ઉપરાંત તેમનું જેકેટ હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ હોય. સદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલું જેકેટ પહેર્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું.  



પીએમના દરજી પાસે જેકેટ કરાયું છે તૈયાર    

PM મોદીએ જે જકેટ પહેર્યું છે તેના માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું,અને પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે લગભગ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે.અને જે જેકેટ બનાવ્યું છે તે ઈન્ડિયન ઓઈલએ  ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ તૈયાર કરાવ્યું છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.