પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી બનેલા જેકેટને પહેરી સંસદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


  • Published By :
  • Published Date : 2023-02-08 17:32:42

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કપડાં હમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે ફરી એક વખત તેમના જેકેટે સૌ કોઈને આકર્ષિત કર્યા છે. બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આભાર પ્રસ્તાવ માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જે જેકેટ પહર્યું હતું તે ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી રિસાઈકલ કરીને બનાવામાં આવ્યું હતું. સોમવારે બેંગલુરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેકેટ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. કંપનીએ પ્લાસ્ટિકની ખરાબ બોટલમાંથી આ જેકેટ બનાવ્યું છે. 


ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી ભેટ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના કપડા ઉપરાંત તેમનું જેકેટ હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ હોય. સદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરાબ પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલું જેકેટ પહેર્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ જેકેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું.  



પીએમના દરજી પાસે જેકેટ કરાયું છે તૈયાર    

PM મોદીએ જે જકેટ પહેર્યું છે તેના માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું,અને પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી અને સામાન્ય જેકેટ બનાવવા માટે લગભગ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે.અને જે જેકેટ બનાવ્યું છે તે ઈન્ડિયન ઓઈલએ  ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ તૈયાર કરાવ્યું છે. 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.