કાશીથી બોગીબીલ જતી ગંગા વિલાસ ક્રૂઝને વડાપ્રધાન મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-01-13 09:59:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ ક્રૂઝ વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર ચાલવાની છે. આ ક્રૂઝની યાત્રા 3200 કિલોમીટરની હશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી આ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હશે. ઉપરાંત પીએમના હસ્તે ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ધાટન થવાનું છે. 



3200 કિલોમીટરની ક્રૂઝ કરશે યાત્રા 

કાશીથી બોગીબીલ સુધી આ ક્રૂઝ યાત્રા કરવાની છે. આ ક્રૂઝની સફરનો આનંદ સ્વિટ્જરલેન્ડના 32 પર્યટકો માણશે. 3200 કિલોમીટરની આ યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે. પોતાના સફરમાં આ ક્રૂઝ 27 નદીઓને અને 50 પર્યટક સ્થળોને જોડશે. દુનિયાની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા પર નિકળવા તૈયાર છે. ગંગા વિલાસ ક્રૂઝ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.

PM મોદીના ટેલિપ્રોમ્પ્ટરમાં ખરેખર ગરબડ થઈ હતી કે કંઈ બીજું કારણ હતું? - BBC  News ગુજરાતી

બીજા અનેક પ્રોજેક્ટનો પીએમ કરશે શિલાન્યાસ 

પીએમ મોદી ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે ઉપરાંત બિહારના બે જિલ્લામાં પાંચ ઘાટનો શિલાન્યાસ પણ કરવાના છે. પશ્મિબંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગુવાહટીમાં પૂર્વોત્તર માટે સમુદ્રી કૌશલ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.