કાશીથી બોગીબીલ જતી ગંગા વિલાસ ક્રૂઝને વડાપ્રધાન મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-01-13 09:59:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ ક્રૂઝ વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર ચાલવાની છે. આ ક્રૂઝની યાત્રા 3200 કિલોમીટરની હશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી આ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હશે. ઉપરાંત પીએમના હસ્તે ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ધાટન થવાનું છે. 



3200 કિલોમીટરની ક્રૂઝ કરશે યાત્રા 

કાશીથી બોગીબીલ સુધી આ ક્રૂઝ યાત્રા કરવાની છે. આ ક્રૂઝની સફરનો આનંદ સ્વિટ્જરલેન્ડના 32 પર્યટકો માણશે. 3200 કિલોમીટરની આ યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે. પોતાના સફરમાં આ ક્રૂઝ 27 નદીઓને અને 50 પર્યટક સ્થળોને જોડશે. દુનિયાની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા પર નિકળવા તૈયાર છે. ગંગા વિલાસ ક્રૂઝ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.

PM મોદીના ટેલિપ્રોમ્પ્ટરમાં ખરેખર ગરબડ થઈ હતી કે કંઈ બીજું કારણ હતું? - BBC  News ગુજરાતી

બીજા અનેક પ્રોજેક્ટનો પીએમ કરશે શિલાન્યાસ 

પીએમ મોદી ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે ઉપરાંત બિહારના બે જિલ્લામાં પાંચ ઘાટનો શિલાન્યાસ પણ કરવાના છે. પશ્મિબંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગુવાહટીમાં પૂર્વોત્તર માટે સમુદ્રી કૌશલ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.