કાશીથી બોગીબીલ જતી ગંગા વિલાસ ક્રૂઝને વડાપ્રધાન મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-01-13 09:59:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંગા વિલાસ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ ક્રૂઝ વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર ચાલવાની છે. આ ક્રૂઝની યાત્રા 3200 કિલોમીટરની હશે. વડાપ્રધાન મોદી વર્ચુઅલી આ ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હશે. ઉપરાંત પીએમના હસ્તે ચાર કોમ્યુનિટી જેટીનું પણ ઉદ્ધાટન થવાનું છે. 



3200 કિલોમીટરની ક્રૂઝ કરશે યાત્રા 

કાશીથી બોગીબીલ સુધી આ ક્રૂઝ યાત્રા કરવાની છે. આ ક્રૂઝની સફરનો આનંદ સ્વિટ્જરલેન્ડના 32 પર્યટકો માણશે. 3200 કિલોમીટરની આ યાત્રા 51 દિવસમાં પૂર્ણ થશે. પોતાના સફરમાં આ ક્રૂઝ 27 નદીઓને અને 50 પર્યટક સ્થળોને જોડશે. દુનિયાની સૌથી લાંબી ક્રૂઝ યાત્રા પર નિકળવા તૈયાર છે. ગંગા વિલાસ ક્રૂઝ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે.

PM મોદીના ટેલિપ્રોમ્પ્ટરમાં ખરેખર ગરબડ થઈ હતી કે કંઈ બીજું કારણ હતું? - BBC  News ગુજરાતી

બીજા અનેક પ્રોજેક્ટનો પીએમ કરશે શિલાન્યાસ 

પીએમ મોદી ક્રૂઝને લીલી ઝંડી બતાવવાના છે ઉપરાંત બિહારના બે જિલ્લામાં પાંચ ઘાટનો શિલાન્યાસ પણ કરવાના છે. પશ્મિબંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગુવાહટીમાં પૂર્વોત્તર માટે સમુદ્રી કૌશલ વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.