દક્ષિણ ભારતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, 11 હજાર 300 કરોડના યોજનાઓનો કરશે શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-04-08 14:54:18

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ-તિરૂપતિ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેન તેલંગાણાથી આંધ્ર પ્રદેશ માટે બીજી ટ્રેન છે. આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ- વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. તે સિવાય અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે પીએમ મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે. તે સિવાય સિકંદરાબાદ રેલવે સ્ટેશનના 720 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અન્ય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.   



પીએમ મોદીએ કર્યું જનસંબોધન   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. વાતો વાતોમાં તેમણે તેલંગાણાના સીએમ પણ નિશાન સાધ્યું હતું. તેલંગાણાના સીએમઆ કાર્યક્રમથી દૂર રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કેન્દ્રના અનેક પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો સહયોગ ન મળવાને કારણે યોજનાઓ મોડી પહોંચે છે. જેને કારણે નુકસાન તેલંગાણાના લોકોને થાય છે. મારો રાજ્ય સરકારને આગ્રહ છે કે વિકાસથી જોડાયેલા કામોમાં કોઈ બાધા ન આવવા દે.


પરિવારવાદને લઈ પીએમએ સાધ્યું નિશાન  

ઉપરાંત તેમણે કહ્યું કે નવા ભારતના દેશવાસિયોની આશાઓ પૂર્ણ કરવી એ અમારી પ્રાથમિકતા છે. પરંતુ અનેક લોકો વિકાસના આ કાર્યોથી ડરી ગયા છે. જે લોકો પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરે છે, તેમને ઈમાનદારીથી કામ કરતા લોકોથી મુશ્કેલી થાય છે.       


અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ  

પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ઉપરાંત 720 કરોડના ખર્ચે બનેલું સિકંદરાબાદ રેલવે સ્ટેશનના રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. 5 નેશનલ હાઈવે સહિત 11 હજર 300 કરોડની યોજાનાઓનું શિલાન્યાસ કર્યું હતું.  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.