દક્ષિણ ભારતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, 11 હજાર 300 કરોડના યોજનાઓનો કરશે શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-04-08 14:54:18

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ-તિરૂપતિ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેન તેલંગાણાથી આંધ્ર પ્રદેશ માટે બીજી ટ્રેન છે. આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ- વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. તે સિવાય અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે પીએમ મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે. તે સિવાય સિકંદરાબાદ રેલવે સ્ટેશનના 720 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અન્ય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.   



પીએમ મોદીએ કર્યું જનસંબોધન   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. વાતો વાતોમાં તેમણે તેલંગાણાના સીએમ પણ નિશાન સાધ્યું હતું. તેલંગાણાના સીએમઆ કાર્યક્રમથી દૂર રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કેન્દ્રના અનેક પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો સહયોગ ન મળવાને કારણે યોજનાઓ મોડી પહોંચે છે. જેને કારણે નુકસાન તેલંગાણાના લોકોને થાય છે. મારો રાજ્ય સરકારને આગ્રહ છે કે વિકાસથી જોડાયેલા કામોમાં કોઈ બાધા ન આવવા દે.


પરિવારવાદને લઈ પીએમએ સાધ્યું નિશાન  

ઉપરાંત તેમણે કહ્યું કે નવા ભારતના દેશવાસિયોની આશાઓ પૂર્ણ કરવી એ અમારી પ્રાથમિકતા છે. પરંતુ અનેક લોકો વિકાસના આ કાર્યોથી ડરી ગયા છે. જે લોકો પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરે છે, તેમને ઈમાનદારીથી કામ કરતા લોકોથી મુશ્કેલી થાય છે.       


અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ  

પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ઉપરાંત 720 કરોડના ખર્ચે બનેલું સિકંદરાબાદ રેલવે સ્ટેશનના રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. 5 નેશનલ હાઈવે સહિત 11 હજર 300 કરોડની યોજાનાઓનું શિલાન્યાસ કર્યું હતું.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.