દક્ષિણ ભારતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, 11 હજાર 300 કરોડના યોજનાઓનો કરશે શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2023-04-08 14:54:18

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ-તિરૂપતિ વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ વંદે ભારત ટ્રેન તેલંગાણાથી આંધ્ર પ્રદેશ માટે બીજી ટ્રેન છે. આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ- વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. તે સિવાય અનેક કાર્યોનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. મહત્વનું છે કે પીએમ મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે. તે સિવાય સિકંદરાબાદ રેલવે સ્ટેશનના 720 કરોડ રૂપિયાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અન્ય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.   



પીએમ મોદીએ કર્યું જનસંબોધન   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. વાતો વાતોમાં તેમણે તેલંગાણાના સીએમ પણ નિશાન સાધ્યું હતું. તેલંગાણાના સીએમઆ કાર્યક્રમથી દૂર રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કેન્દ્રના અનેક પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનો સહયોગ ન મળવાને કારણે યોજનાઓ મોડી પહોંચે છે. જેને કારણે નુકસાન તેલંગાણાના લોકોને થાય છે. મારો રાજ્ય સરકારને આગ્રહ છે કે વિકાસથી જોડાયેલા કામોમાં કોઈ બાધા ન આવવા દે.


પરિવારવાદને લઈ પીએમએ સાધ્યું નિશાન  

ઉપરાંત તેમણે કહ્યું કે નવા ભારતના દેશવાસિયોની આશાઓ પૂર્ણ કરવી એ અમારી પ્રાથમિકતા છે. પરંતુ અનેક લોકો વિકાસના આ કાર્યોથી ડરી ગયા છે. જે લોકો પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરે છે, તેમને ઈમાનદારીથી કામ કરતા લોકોથી મુશ્કેલી થાય છે.       


અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ  

પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી ઉપરાંત 720 કરોડના ખર્ચે બનેલું સિકંદરાબાદ રેલવે સ્ટેશનના રિડેવલેપમેન્ટ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. 5 નેશનલ હાઈવે સહિત 11 હજર 300 કરોડની યોજાનાઓનું શિલાન્યાસ કર્યું હતું.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.